પ્રખ્યાત બોલીવૂડ સ્ટાર્સના 10 એકરારનામા બની શકે કે તેમાંના કેટલાકથી તમને આઘાત લાગે
બોલીવૂડ સ્ટાર્સ જે કંઈ પણ કરે છે તે બધું જ હંમેશા સ્પોટલાઇટમા આવી જાય છે. વાસ્તમાં તો તેઓ પોતાના અંગત જીવનની વિગતોને પણ લીક થતી બચાવી શકતા નથી. ઘણીવાર તેઓ પોતાની કેટલીક બાબતો ગુપ્ત રાખવા માગે છે તેમ છતાં તેઓ ક્યારેક નિખાલસ થઈને કેટલાક એકરાર કરી બેસતા હોય છે.
આજના આ લેખમાં અમે તમને દસ બોલીવૂડ હસ્તીઓના રહસ્યમય કન્ફેશન્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આજનો આ લેખ વાંચીને તમને કેટલાકના કન્ફેશન્સ, ગંદા, અનકન્ફર્ટેબલ અથવા તો રસપ્રદ લાગશે પણ એટલું તો આપણે માનવું જ જોઈએ કે તેઓ પ્રામાણીક છે. અને કોઈ સ્ટાર્સને નીખાલસ થતો જોવો તે ખરેખર સામાન્ય વાત નથી. તો ચાલો જાણીએ તેમના કન્ફેશન્સ વિષે
1. કરીના કપૂર ખાન
આપણો સામાન્ય ખ્યાલ એવો હોય છે કે સેલીબ્રીટીઝ ક્યારેય પોતાના કપડાં રીપીટ નથી કરતા પણ કરીનાએ જણાવ્યું છે કે તેણી પોતાના જીન્સને એક મહીના સુધી ધોતી નથી. તેણીએ એમ જણાવ્યું કે તેને પહેરેલા જીન્સને પ્લેનની મુસાફરીમાં ફરી પહેરવું કમ્ફર્ટેબલ રહે છે.
2. રનબીર કપૂર
રનબીર કપૂરે એક વાર સ્વીકાર્યું હતું કે તેણે પ્રેમમાં દગો દીધો છે અને તેવું તેણે પોતાની અપરિપક્વતા, બિનઅનુભવીપણા અને અમુક સંજોગોમાં પોતાનો ફાયદો ઉઠાવવામાં આવતો હોવાનું લાગતા તેણે તેમ કર્યું હતું.
3. રીતીક રોશન
રીતીક રોશન બોલીવૂડનો એકર ડીઝાયરેબલ મેન છે પણ હવે એ કંઈ રહસ્ય રહ્યું નથી કે બાળપણમાં તે બોલતા હકલાતો હતો. રીતીકની તેના બાળપણના મિત્રો મજાક ઉડાવતા હતા. તેણે જણાવ્યું હતું કે તેના હકલાવાના કારણે તેનું બાળપણ જાણે નરક બની ગયું હતું.
4. સોનમ કપૂર
સોનમના બોડી શેપ વિષે કેટલીક ટીપ્પણીઓ કરવામાં આવી હતી ત્યારે તેણીએ નીખાલસ પણે પોતાની બોડી બિકીની માટે યોગ્ય નથી તેવું જણાવ્યું હતું જો કે પાછળથી તેણે બેવકૂફીયાં અને વિરે દી વેડિંગમાં બીકીની પહેરી હતી.
5. ગોવિંદા
તેના લગ્નેત્તર સંબંધ વિષે જ્યારે તેને પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે કેટલીક બાબતો ગુપ્ત રહે તે જ યોગ્ય છે. આમ કહી તેણે પોતાના લગ્નેત્તર સંબંધ હતાં તે તો સ્વિકારી જ લીધું હતું.
6. આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેણીને અંધારાથી બીક લાગે છે અને તે લાઇટ ચાલુ રાખીને સુવે છે.
7. સિદ્ધાર્થ મલ્હોત્રા
એક ઇન્ટર્વ્યૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આલિયા ભટ્ટને કીસ કરવી એ વાસ્તમાં બોરીંગ હતું કારણ કે તે ખુબ જ ટેક્નિકલ હતું અમારે અમારા હોઠના એન્ગલ પર ખુબ ધ્યાન આપવું પડતું હતું. જો કે તેણે કહ્યું હતું કે તે દીપીકા પદુકોણને કીસ કરવાનું એન્જોય કરશે.
8. કલ્કી કોચલીન
કલ્કી કોચલીને ખુલાસો કર્યો હતો કે તેણીનું પણ બાળપણમાં શારીરિક શોષણ થયું હતું અને તે ઘણા લાંબા સમય સુધી ચૂપ રહી હતી.
9. વિદ્યા બાલન
વિદ્યા બાલને એક એવોર્ડ ફંક્શનમાં સ્વિકાર્યું હતું કે તેણે ખારમાં પોતાનું નવું ઘર લીધું ત્યારે રજીસ્ટર કરતી વખતે અધીકારીઓને લાંચ આપી હતી. તેણીએ એ પણ કહ્યું હતું કે તેણી તેમ ફરી ક્યારેય નહીં કરે.
10. ચિત્રાંગદા સિંઘ
ચિત્રાંગદા સિંઘે કન્ફેસ કર્યું હતું કે તેણી જ્યારે દીલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી.
તો જાણી લીધું તમે કે તેઓ પણ આપણા જેટલા જ સામાન્ય છે !
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ