સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. ત્યારે હવે 86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં આવેલ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા હાલમાં ચારેકોર ચર્ચામાં છે.
ત્યારે હવે નવા સમાચાર છે તે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સિઝ(NDPS) કોર્ટે 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. બંનેની જામીન અરજી પર સોમવારે સુનાવણી થશે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો NCBએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી અને હર્ષના રિમાન્ડ માગ્યા, પરંતુ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. ઉલ્લેખનીય છે કે, 86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં આવેલી કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. બંનેને થોડાં કલાકોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરતા પહેલાં મેડિકલ ચેકઅપ માટે સાયન હોસ્પિટલ લઇ ગયા હતા.
તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ભારતીની 3.5 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તો તેના પતિ હર્ષ લિંબાચિયાની છેલ્લાં 16 કલાકથી પૂછપરછ ચાલી રહી હતી. NDPS એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને NCBના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવી.
આ બંને ઉપરાંત ભારતીના હોમ સ્ટાફની પણ NCBએ પૂછપરછ કરી. ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી.
આગળ વાત કરીએ તો NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી.
NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. ઉલ્લએખનીય છે કે ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શૉ’માં જોવા મળી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ