રીલ લાઈફમાં કામ કરતાં કરતાં ક્યારે આ બૉલીવુડ સિતારાઓ રિયલ લાઈફમાં એકબીજાના દિલમાં ઉતરી જાય છે, તેમને પોતાને પણ ખબર નથી પડતી. એમ પણ જિંદગીની ફિલોસોફી ફિલ્મોથી જરાક જુદી હોય છે. ત્યાં જ દરેક વ્યક્તિ એટલું ખુશનસીબ પણ નથી હોતું કે તેને પોતાનો પ્રેમ મળી જ જાય. એમ પણ કહેવાય છે ને કે સાચો પ્રેમ મળે એ દરેકના નસીબના નથી હોતું.
આજે અમે આપને કેટલીક એવી જ ટ્રેજિક લવસ્ટોરી વિષે જણાવીશું જે અધૂરી રહી ગઈ અને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કરી ગઈ. તેમજ આ અસફળ પ્રેમ કહાનીની લિસ્ટમાં સામેલ થઈ ગઈ. તો ચાલો જાણીએ એ લવસ્ટોરી વિષે જે આજે પણ અધૂરી હોવા છતાં અમર છે અને તેને યાદ કરવામાં આવે છે.
અમિતાભ બચ્ચન-રેખા:
આ લિસ્ટમાં પહેલું નામ સામેલ થાય છે મહાનાયક અમિતાભ બચ્ચન અને એવરગ્રીન એક્ટ્રેસ રેખાનું. બંનેની લવસ્ટોરીના કિસ્સા આજે પણ બી ટાઉનની ગલીઓમાં સાંભળવા મળી જાય છે. અમિતાભ અને રેખાનું અફેર લગ્ન પછી પણ રહ્યું. જણાવીએ કે આ બંને વચ્ચે નજીદીકિયો ફિલ્મ ‘દો અનજાને’ની શૂટિંગના સમયે આવી હતી. એટલું જ નહિ બંનેને લઈને વર્ષ ૧૯૮૧ માં યશ ચોપડાએ અમિતાભ અને રેખાના સંબંધને લઈને જ ‘સિલસિલા’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં બિગ બીની પત્ની જયાએ પણ મહત્વનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં જ છેલ્લી વાર અમિતાભ- રેખા સાથે જોવા મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી આ સ્ટાર્સ ના ક્યારેય ઓનસ્ક્રીન અને ના ક્યારેય પણ ઓફ સ્ક્રીન એકબીજાની સામે આવ્યા.
દેવ આનંદ-સુરૈયા:
દેવ આનંદ અને સુરૈયાની પ્રેમ કહાની કોઈનાથી છુપાયેલી નથી. દેવ ખુલ્લેઆમ કહેતાં હતા કે સુરૈયા તેમનો પેહલો પ્રેમ હતી. પરંતુ બંને એક નથી થઈ શક્ય. દેવ આનંદને ૧૯૪૮ માં ફિલ્મ ‘વિદ્યા’ તેમની સાથે પહેલી ફિલ્મ હતી. ત્યારપછી બંનેએ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું અને પ્રેમ ઊંડો થતો ગયો. પરંતુ બંનેના પ્રેમની દુશ્મન બની સુરૈયાની નાની. તેમને આ બંનેનો સંબંધ ક્યારેય મંજૂર ના હતો. તેનું કારણ બંનેના અલગ અલગ ધર્મના હોવું.
જણાવીએ કે દેવ આનંદ એ સમયે સુરૈયાની જિંદગીમાં આવ્યા જ્યારે તેઓ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા અને સુરૈયા એક ફેમસ એક્ટ્રેસ હતી. જ્યારે સુરૈયાની નાનીને તેમના પ્રેમ વિષે ખબર પડી તો તેમણે દેવના ઘરે આવવા પર રોક લગાવી દીધી અને સુરૈયાને પણ ઘરમાં જ બંધ કરી દીધી. તેઓ સુરૈયાની જલ્દી થી જલ્દી લગ્ન કરાવવા ઇચ્છતા હતા, જ્યારે દેવ આનંદ ઇચ્છતા હતા કે તેઓ ભાગીને કોર્ટ મેરેજ કરી લે. આ દબાવની વચ્ચે સુરૈયાને જ અંતિમ નિર્ણય લેવાનો હતો, પરંતુ તે તૂટી ગઈ. તેમણે દેવ સાથે સંબંધ તોડી દીધો, પરંતુ આ સાથે જ ઉમ્રભર લગ્ન નહિ કરવાનો નિર્ણય પણ કર્યો.
રાજ કપૂર-નરગિસ:
નરગિસ અને રાજ કપૂરની લવસ્ટોરી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચામાં રહી. આજે પણ તેમની પ્રેમ કહાનીને લોકો યાદ કરે છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા, પરંતુ તેમના સંબંધનો દુખદ અંત થયો. નરગિસથી પ્રેમ થતાં પહેલા થી જ રાજ કપૂર પરણિત હતા. તે ના નરગિસને છોડવા ઇચ્છતા હતા અને ના તો પોતાના પરિવારને જ્યારે નરગિસને આ વાતનો એહસાસ થયો તો તે એકદમ તૂટી ગઈ હતી. આની વચ્ચે તેમની જિંદગીમાં સુનિલ દત્ત આવ્યા અને પછી બંનેએ લગ્ન કરી લીધા.
સલમાન ખાન-ઐશ્વર્યા:
સલમાન ખાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરી બોલીવુડની પ્રેમ કહાનિયોમાં ક્યારેય ભૂલી ના શકાય એવી લવ સ્ટોરી છે. પરંતુ પોતાની જ ભૂલોના કારણોથી સલમાને પોતાના ખૂબસુરત સંબંધને ખોઈ બેઠા. સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાની વર્ષ ૧૯૯૭ માં શરૂ થઈ હતી, સલમાન તે સમયે સુપરસ્ટાર બની ગયા હતા. ત્યાંજ એશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી બોલીવુડમાં હજી એન્ટ્રી જ કરી હતી. કહેવાય છે કે સલમાને એશ્વર્યાનુ કરિયર બનાવવાનું બીડું ઉઠાવ્યું અને કેટલાક પ્રોડ્યુસરને તેણે સિફારીશ પણ કરી. ત્યાર પછી બંનેને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી મોટી ફિલ્મ મળી.
આ એ જ ફિલ્મ હતી, જ્યાંથી સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાનીની શરૂઆત થઈ. ફિલ્મની શૂટિંગની સાથે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. બંને એકબીજાના પ્રેમમાં જાણે ડૂબી ગયા. કહેવાય છે કે આ ફિલ્મમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રીની પાછળ બંનેનો અસલી પ્રેમ હતો. એક દિવસ અડધી રાતના સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચી ગયા અને તેમનો દરવાજો જોરથી ખખડાવા લાગ્યા. સલમાને ગુસ્સામાં ૧૯મા માળેથી કુદવાની ધમકી પણ દીધી અને સવારે ૩ વાગ્યા સુધી દરવાજો ખખડાવતા રહ્યા, કહેવાય છે કે દરવાજો ખખડાવતા ખખડાવતા સલમાનના હાથ જખમી થઈ ગયા.
આખરે સવારે ૬ વાગે ઘરનો દરવાજો ખૂલ્યો. સલમાનના હંગામો કરવા પાછળનું કારણ એ જણાવ્યું કે તેઓ ઐશ્વર્યા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ ઐશ્વર્યા કમિયાબીની સીડીઓ ચડી રહી હતી અને એ સમયે ઐશ્વર્યા લગ્ન કરવા ઇચ્છતી ના હતી. આ ઘટના વિષે વર્ષો પછી સલમાને ખુદ એક મેગેઝિનના ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે તેઓ ઐશ્વર્યાના ઘરે ગયા હતા.
મહેશ ભટ્ટ-પરવીન બાબી:
મહેશ ભટ્ટ અને પરવીન બાબીની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. પરવીન, મહેશ ભટ્ટની જિંદગીમાં તે સમયની સૌથી મોંઘી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ હતી. પરંતુ મહેશ ભટ્ટના પ્રેમના ચાલતા તેમનું કરિયર બરબાદ થઈ ગયું. પરવીનનું નામ કેટલાક સ્ટાર્સની સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ સૌથી વધારે તેમનું નામ મહેશ ભટ્ટની સાથે ચર્ચામાં રહ્યું.
જે સમયે પરવીનનું દિલ મહેશ ભટ્ટ પર આવ્યું હતું તે સમયે પરવીનનું કરિયર ટોપ હતું. વર્ષ ૧૯૭૭ માં બંનેનો પ્રેમ પરવાન્ ચડી રહ્યો હતો. ત્યારે મહેશ ભટ્ટ પરણિત હતા. ખબરોની માનીએ તો પરવીન અને મહેશ એક લિવ-ઇનમાં રહેતા હતા. પરંતુ બંને ક્યારેય એક ના થઈ શક્ય. આ સંબંધની સાથે પરવીનને એક માનસિક બીમારીએ ઘેરી લીધી જેને મહેશ ભટ્ટે પોતાના કેટલાક ઇન્ટરવ્યૂમાં પૈરાનાયડ સ્કીત્જોફ્રેનિયા જણાવે છે.
દિલીપ કુમાર-મધુબાલા:
આ લિસ્ટમાં દિલીપ કુમાર અને મધુબાલાનું નામ પણ સામેલ છે. દિલીપ, મધુબાલાના દિવાના હતા. એકબીજા પર જાન ન્યોછાવર કરવાવાળા આ બંને ક્લાકરોનો સંબંધ લગ્નમાં ના બદલી શક્યા. મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાનને આ સંબંધ પસંદ ના હતો. ખબરોની માનીએ તો દિલીપ કુમાર અને મધુબાલાની વાત સગાઈ સુધી પહોંચી ગઈ હતી પરંતુ લગ્ન પહેલા દિલીપ કુમારે મધુબાલા સામે શરત રાખી દીધી કે લગ્ન પછી ફિલ્મોમાં કામ નહિ કરે અને પોતાના પિતા સાથે પણ કોઈ સંબંધ નહિ રાખે. મધુબાલા પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. મધુબાલાને દિલીપ કુમારની આ શરત બિલ્કુલ્ પસંદ આવી નહિ અને બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવાની શરૂ થઈ ગઈ. કેટલાક દિવસો પછી આ સંબંધ હમેશા માટે ખતમ થઈ ગયો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ