‘40 વર્ષ જૂની કારને વિન્ટેજ નહીં ખટારો કહેવાય’ અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ વચ્ચે જંગ છેડાઈ

હાલમાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ બંને હવે પછીની ફિલ્મ ‘એકે વીએસ એકે’ ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાને કરશે. ફિલ્મ પહેલા બંનેએ ટ્વિટર પર યુદ્ધ કર્યું છે.

image source

જો કે, હજી સુધી તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ અનુરાગ કશ્યપ, ટ્વિટર પર અનિલ કપૂરને જોરદાર જવાબ આપતો જોવા મળ્યો હતો. અને આમ પણ સોશિયલ મીડિયા પર ક્યારે, કોણ, કોની સાથે લડી પડશે તે કહેવું શક્ય નથી. હવે બોલિવૂડમા દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે બોલાચાલી થઈ ગઈ છે.

image source

માહોલ એવો છે કે બંનેએ એક-બીજા પર વ્યક્તિગત હુમલા કર્યા છે. બંનેએ એક-બીજાના કેરિયરની મજાક બનાવી છે. અનુરાગે તો અનિલ કપૂરના ઑસ્કર જીતવા પર પણ કટાક્ષ કર્યો છે. જો વાત કરીએ તો આ આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર ‘દિલ્હી ક્રાઇમ’ વેબ સિરીઝની ટીમની પ્રશંસામાં એક ટ્વીટ લખ્યું. તેમણે કહ્યું હતુ, ‘તમે ડિઝર્વ કરો છો. સારું લાગી રહ્યું છે કે હવે બીજા પણ અનેક લોકોને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી રહી છે.’   

બસ પછી તો ધડબડાટી બોલવાનું શરૂ થઈ ગયું હતું અને અનિલ કપૂરના આ ટ્વીટ પર અનુરાગે કટાક્ષ કરતા લખ્યું હતુ કે, ‘સારું લાગ્યું કે કેટલાક ઉત્કૃષ્ટ લોકોને ઇન્ટરનેશનલ લેવલ પર ઓળખ મળી રહી છે. ખૈર, તમારો ઑસ્કાર ક્યાં છે? ઓ…સૉરી… નૉમિનેશન.’ હવે અનુરાગે અનિલ કપૂર પર વ્યક્તિગત કૉમેન્ટ કરી તો અભિનેતાએ પણ જોરદાર જવાબ આપ્યો. તેમણે જવાબ આપ્યો કે, ‘તમે ઑસ્કારની નજીક જ ત્યારે આવ્યા હતા જ્યારે તમે ટીવી પર Slumdog Millionaireને ઑસ્કાર જીતતા જોઇ હતી.’ અનિલ કપૂરે તો ત્યાં સુધી કહી દીધું કે, તમારાથી કંઈ નહીં થાય.

ત્યારબાદની વાત કરીએ તો ધીરે ધીરે આ ટ્વિટર વૉર આગળ વધ્યું અને અનુરાગે ફરી અનિલ કપૂરની મજાક કરી. અનુરાગે લખ્યું, ‘તમે તો કદાચ આ ફિલ્મ માટે સેકેન્ડ ચોઇસ હતા ને?’ અનુરાગે આ ટ્વીટ કરીને એ કહ્યું કે Slumdog Millionaireમાં પહેલા શાહરુખ ખાનને કાસ્ટ કરવાની તૈયારી હતી. અનુરાગે અનિલ કપૂરના કેરિયર પર કૉમેન્ટ કરી તો અનિલ કપૂરે પણ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ‘તમારી જેમ મારે કામ શોધતા સમયે વાળ નથી ખેંચવા પડતા.’ આના પર અનુરાગે કહ્યું કે, ‘સર, તમે વાળની તો વાત જ ના કરો. તમને વાળના દમ પર તો ફિલ્મોમાં રૉલ મળે છે.’

જો છેલ્લે કેવી પરિસ્થિતિ વાત હતી એના વિશે વાત કરીએ તો ટ્વિટર વૉર ખત્મ કરતા અનિલ કપૂરે લખ્યું કે, ‘હું ફક્ત એટલે દુ:ખી છું કે મે તમારી સાથે એક ફિલ્મ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ચિંતા ના કરો, અંતમાં હું જ હસવાનો છું.’ ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર અને અનુરાગ કશ્યપની AK vs AK રિલીઝ થવાની છે.

આમાં અનુરાગ અને અનિલની વચ્ચે ઘણો જ ઝઘડો જોવા મળશે. સોશિયલ મીડિયા પર વાયરલ આ ટ્વિટર વૉરને પણ AK vs AKના પ્રમોશનનો ભાગ માનવામાં આવે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આગળ આ મામલો કયુ રૂપ ધારણ કરે છે અને કેવો વળાકં લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ