ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામનું પ્રેશર, ફિટ રહેવાનું પ્રેશર, પોપ્યુલરિટીનું પ્રેશર…એક સાથે ઘણા પ્રેશર સહન કરે છે આ કલાકારો. એવામાં જો એમની અંગત જિંદગી સારી ન હોય તો એમનો તણાવ વધી જાય છે. પણ ટીવીની અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે છૂટાછેડા પછી પણ તૂટી નથી પણ છૂટાછેડા પછી એ વધુ જાણીતી બની ગઈ, એમના ફોલોઅર્સ વધી ગયા. તો ચાલો અમે તમને જણાવીએ એવી અભિનેત્રીઓ વિશે જેમને છૂટાછેડા પછી પોતાની જાતને અને એમના કરીયરને પણ ખૂબ જ સરસ રીતે સાચવ્યું અને સતત સફળતાનાં રસ્તે આગળ વધતી ગઈ.
રશ્મિ દેસાઈ.
ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈની એક્ટિંગ જેટલી જબરદસ્ત છે, એટલી જ ચર્ચા છે એમની સુંદરતાની. ઉતરન સીરિયલમાં તપસ્યાનું પાત્ર ભજવીને રશ્મિ દેસાઈ ઘેર ઘેર જાણીતી બની ગઈ છે. રશ્મિ દેસાઈ પોતાના પહેલા જ શો ઉતરનમાં કામ કરતા પોતાના કોસ્ટાર નંદીશ સંધુને પોતાનું દિલ આપી બેઠી. પછી વર્ષ 2011માં બન્ને એ લગ્ન કરી લીધા પણ લગ્નના 2 વર્ષ પછી જ બંનેના અલગ થયા સમાચાર આવવા લાગ્યા હતા. જો કે બન્નેએ પોતાના સંબંધને સારા કરવા ઘણા પ્રયત્ન કર્યા, એ માટે બંનેએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં ભાગ પણ લીધો પણ તો ય એમનો સંબંધ તૂટી ગયો. વર્ષ 2015માં રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુએ છૂટાછેડા લઈ લીધા.છૂટાછેડા પછી રશ્મિ દેસાઈમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું, હવે એ પોતાના કરીયરને લઈને વધુ ગંભીર બની ગઈ છે. આજે રશ્મિ દેસાઈ ટીવી ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાંથી એક છે.
જેનિફર વીંગેટ.
માયા મેહરોત્રા ઉર્ફે જેનિફર વીંગેટને એમના ખૂબ જ પોપ્યુલર સિરિયલ બેહદથી એક નવી ઓળખ મળી. આ સીરિયલમાં જેનિફર વીંગેટએ એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું છે જેનું ઓબસેશન ક્યારે શુ કરી નાખે એ કોઈને ખબર નથી હોતી. આ સિરિયલ એટલી હિટ ગઈ કે જેનિફરની લોકપ્રિયતા વધી ગઈ. જેનિફરને આટલી સફળતા છૂટાછેડા બાદ જ મળી છે. જેનિફર વીંગેટને લગ્ન એકટર કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા. બંનેની મુલાકાત દિલ મિલ ગયે સિરિયલમાં કામ કરતી વખતે થઈ હતી. પછી બંનેએ લગ્ન કરી લીધા.પણ થોડા જ સમયમાં બંને અલગ થઈ ગયા.છૂટાછેડા પછી જેનિફરે પોતાની જાતને સંભાળી અને પોતાની એક્ટિંગને વધુ જબરદસ્ત બનાવી.
શ્વેતા તિવારી.
કસોટી જિંદગી કી સિરિયલની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. પણ શ્વેતા તિવારીનું લગ્નજીવન કઈ ખાસ નથી રહ્યું. શ્વેતા તિવારીનું પહેલું લગ્ન સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકટર અને ફિલ્મ પ્રોડ્યુસર રાજા ચૌધરી સાથે થયું હતું પણ આ સંબંધ વધુ ન ટક્યો અને શ્વેતાએ રાજાને છૂટાછેડા આપી દીધા. તમને જણાવી દઈએ કે એમની એક દીકરી પણ છે. એ પછી શ્વેતા તિવારીએ એકટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા પણ આ લગ્ન પણ વધુ ન ટક્યા અને શ્વેતા પોતાના બાળકો સાથે અલગ રહેવા લાગી. હાલ શ્વેતા પોતાના બાળકોનો ઉછેર એકલા જ કરી રહી છે. અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ કામ કરી રહી છે.
વાહબીજ દોરાબજી.
પ્યાર કી એક કહાનીની પંછી એટલે કે અભિનેત્રી વાહબીઝ દોરાબજીને પણ સાથે કામ કરતા વિવિયન ડિસેના સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. કદાચ એમનો સંબંધ તૂટવા માટે જ બન્યો હતો એટલે જ લગ્નના ત્રણ વર્ષમાં જ બંને અલગ થઈ વ્યા. પણ વાહબીઝે વિવિયન ડિસેના સાથે અલગ થયા પછી પોતાને તૂટવા ન દીધી. વાહબીઝ સોશિયલ મીડિયા પર પોતાનો ટોક શો કરે છે અને ક્રિએટિવ વિડીયો પણ અપલોડ કરે છે.‘
સ્નેહા વાઘ.
એક વીર કી અરદાસ: વીરા સીરિયલમાં વીરાની માતાનું પાત્ર ભજવનાર સ્નેહા વાઘનું લગ્ન એકટર આવિષ્કાર દરવેકર સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે લગ્ન સમયે એમની ઉંમર ફક્ત 19 વર્ષની હતી પણ કાચી ઉંમરનો આ પ્રેમ વધુ સમય ન ટકી શક્યો અને બંનેના છૂટાછેડા થઈ ગયા. સ્નેહના આ લગ્ન ઘરેલુ હિંસાના કારણે તૂટ્યા હતા. એ પછી સ્નેહા ઇન્ટિરિયર ડેકોરેટર અનુરાગ સોલંકીને ડેટ કરવા લાગી, બંનેએ લગ્ન પણ કર્યા પણ એ લગ્ન પણ જલ્દી જ તૂટી ગયા. અને સ્નેહા ફરી એકલી થઈ ગઈ પણ એકલી થયા પછી પણ સ્નેહા તૂટી નહિ એ આજે પણ જિંદગીનું ખુલીને સ્વાગત કરે છે.
દલજીત કૌર.
ઇસ પ્યાર કો ક્યાં નામ દું સિરિયલની અંજલી એટલે કે અભિનેત્રી દલજીત કૌરને પણ છૂટાછેડાની વેદનમાંથી પસાર થવું પડ્યું છે.‘.દલજીતના લગ્ન શાલીન ભનોટ સાથે થયા હતા પણ લગ્નના પાંચ વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. તમને જણાવી દઈએ કે એમનો એક દીકરો પણ છે. છૂટાછેડા પછી પણ દલજીતે પોતાનું કામ ચાલુ રાખ્યું અને પોતાના કરિયરમાં સતત આગળ વધતી ગઈ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ