જલ્સા કરોને જેંતીલાલ

રસોઈની આ 1 ચીજથી થશે કમાલ, નહીં કરો વિશ્વાસ

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે તો પણ તેને સફળતા મળતી નથી. અનેક પ્રયાસ બાદ પણ સફળતા ન મળવાનો દોષ તે તેના નસીબને આપે છે. આજે અમે આપને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું ભાગ્ય ચપટીમાં બદલાઈ શકે છે અને તમે ખુશ થઈ શકો છો. તમને ભાગ્યે જ ખ્યાલ હશે કે તમારી રસોઈમાં રહેલા નાના દાણા તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ કરીને તમારુ જુવન સંદર બનાવી શકે છે. હા, વાસ્તુ વિશેષજ્ઞો કહે છે કે રસોઈના કાળા મરી તમારું સુતેલું નસીબ જગાડી શકે છે. આ માટે તમારે આ નાના પ્રયોગ કરવાના રહેશે.

image soucre

જો તમને લાગે છે કે તમારું નસીબ નબળું છે તો તમે કાળા મરીના 5 દાણા લો અને તમારા માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે અને તમે વિચાર્યું નહીં હોય તેવી સફળતા મળશે.

પ્રેમમાં અસફળતા

image source

જો તમે પ્રેમ સંબંધમાં અસફળતા અનુભવો છો તો તમે આ ઉપાય કરો. કાળા મરીના 5 દાણા લો અને તેને માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે. તમને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળશે.

બગડેલા કામ બની જશે

image source

જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે કાળા મારીના એક દાણાને લઈને દરવાજાની ચોખટ એટલે કે ઉંબરા પર રાખો. હવે તમારા પગથી એ દાણાને અડો અને ઘરની બહાર નીકળો. આ ઉપાયથી રસ્તામાં આવનારી બાધા દૂર થશે. સફળતા તમને રોકી નહીં શકે. કાળા મરી પર પગ રાખીને બહાર જવાથી કોઈ કારણે દરવાજાની અંદર આવશો તો તમારા દરેક કામ બગડી પણ શકે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ધનલાભ માટે

image source

તમે લાંબા સમયથી મહેનત કરો છો છતાં તમને લક્ષ્મીનો લાભ મળતો નથી તો તમે સૌ પહેલાં કોઈ સમુસામ જ્ગ્યાએ કાળા મરીના 5 દાણા લઈને જાવ. તેમાંથી 4 દાણા એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. હવે ઘરે પાછા આવો તો પાછળ વળીને ન જુઓ. ધનપ્રાપ્તિના યોગ બનશે.

નકારાત્મક ઉર્જા

image source

ઉપાય અનુસાર ઘરથી નકારાત્મક ઉર્જા બહાર કાઢવા માટે કાળા મરીના 7-8 દાણા લો અને ઘરના એક ખૂણામાં પ્રગટાવેલા દીવા પર રાખીને તેને સળગાવી લો. નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળશે. આ સાથે આ ઉપાય કરતી સમયે મનમાં શુદ્ધ વિચારો અને ઈશ્વરનું ધ્યાન કરો. તમને સફળતા મળશે. એવી સફળતા કે તમે વિચારી પણ નહીં હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version