મિત્રો, પ્રવર્તમાન સમય એટલો આધુનિક બની ગયો છે કે, લોકો પોતાની જીવનશૈલીમા વ્યસ્ત રહે છે. આ લોકો આધુનિકતામા એટલા અંજાઈ ગયા છે કે, પૌરાણિક શાસ્ત્રો અને રીતીરીવાજની અવગણના કરવા લાગ્યા છે અને બાબતો પર યોગ્ય ધ્યાન પણ નથી આપતા પરંતુ, તમને જણાવી દઈએ કે, આ બાબતો પર ધ્યાન દેવુ અત્યંત આવશ્યક છે.
આપણા પૂર્વજો કઈ બેવકૂફ ના હતા કે, જે આ શાસ્ત્રોને પોતાના જીવનમા વિશેષ મહત્વ આપતા હતા. તે પોતાના દરેક કર્મ શાસ્ત્રના નીતિ-નિયમો મુજબ કરતા હતા અને આ જ કારણોસર તેમણે ક્યારેય જીવનમા આર્થિક નાણાભીડની સમસ્યાઓનો સામનો કરવો પડતો નહોતો. આજે અમે તમને આ લેખમા અમુક એવા કાર્યો વિશે જણાવીશુ કે, જે તમે તમારા રોજીંદા જીવનમા કરશો તો તમારે ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યાથી પીડાવુ પડશે નહિ, તો ચાલો જાણીએ આ કાર્યો વિશે.
જો તમે તમારા જીવનમા અઢળક નાણા મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે કોઈ કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી પરંતુ, આ માટે અમુક એવા સરળ કાર્યો છે, જે તમારે તમારા રોજીંદા જીવનમા કરવા પડશે. સૌથી પહેલા તો તમારે સવારે વહેલા ઉઠવાની આદત કેળવવી જોઈએ.
અવારે વહેલા ઉઠીને સૌથી પહેલા ઘરના પ્રમુખ્દ્વાર પાસે જઈને ત્યાં ગંગાજળનો છંટકાવ કરો. આપણા હિંદુ ધર્મશાસ્ત્રમા ગંગાજળને અત્યંત પવિત્ર માનવામા આવે છે અને તેનો ઉપયોગ ઘરની અશુધ્ધિઓને દૂર કરવા માટે થાય છે. એટલા માટે જો તમે દારરોજ વહેલી સવારે ઉઠીને ઘરની આસપાસ ગંગાજળનો છંટકાવ કરો તો તમારા ઘરની અંદર કોઈપણ પ્રકારની નકારાત્મક શકતી પ્રવેશી શકતી નથી અને તમારા ઘરની આસપાસ સકારાત્મક વાતાવરણ બન્યુ રહે છે.
આ સિવાય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના પ્રવેશદ્વારની પાસે સ્વસ્તિક બનાવવું પણ અત્યંત શુભ ગણવામાં આવે છે. આ ચિહ્નને માતા લક્ષ્મીદેવીનુ પ્રિય ચિહ્ન માનવામા આવે છે. જો તમે તમારા ઘરના પ્રવેશદ્વાર પર આ સ્વસ્તિકનુ ચિહ્ન બનાવો તો માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક સમસ્યાઓ ઉદ્ભવતી નથી.
આ સિવાય જો ઘરમા ક્યારેય પણ આર્થિક તંગીની સમસ્યા સર્જાય તો તમારે ઘરને લાલ અથવા તો મારું રંગથી રંગાવવુ જોઈએ કારણકે, આ બંને રંગો આપણા ઘર માટે અત્યંત શુભ માનવામા આવે છે. આ રંગોથી ઘર રંગવામા આવે તો તમારા ઘરની આસપાસ રહેલી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તમારા ઘરની આસપાસ સકારાત્મક વાતાવરણ બને છે.
આ ઉપરાંત જો તમે તમારા ઘરની પાસે તુલસીનો રોપ લગાવો તો તે અત્યંત શુભ માનવામા આવે છે. તેના કારણે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઇ જાય છે અને ઘરમા માતા લક્ષ્મીનો વાસ પણ થાય છે. આ ઉપરાંત જો તમે નિયમિત સૂર્યોદય સમયે તુલસીને પાણી રેડો તો તમારા ઘરમા સુખ અને શાંતિનુ વાતવરણ બની રહે છે અને આર્થિક તંગીની સમસ્યા દૂર થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,