ભરાવદાર અને મોટી હથેળી હોય તેને પ્રાપ્ત થાય છે જીવનના દરેક સુખ

ભરાવદાર અને મોટી હથેળી હોય તેને પ્રાપ્ત થાય છે જીવનના દરેક સુખ

હસ્તરેખા જ્યોતિષમાં લોકોની હાથની રેખાઓ અને નિશાન જોઈ ભવિષ્ય કથન કરવામાં આવે છે. વ્યક્તિના ભવિષ્ય વિશે હથેળીના નિશાન અનેક તથ્યો જણાવે છે. હથેળીની રેખાઓ ઉપરાંત હથેળી પર ક્રોસ, ચોરસ, ચક્ર, જાળ, શંક જેવા નિશાન પણ બનેલા હોય છે તેમનું પણ આગવું મહત્વ છે. જો કે આ ઉપરાંત હથેળીના આકાર પરથી પણ વ્યક્તિના ભવિષ્ય વિશે ફળાદેશ કરવામાં આવે છે.

image source

હાથમાં જોવા મળતી રેખાઓની પ્રકૃતિ અને હથેળીના પ્રકાર પણ જીવન વિશે ઘણું જણાવે છે. હથેળીના આકાર જીવન વિશે અનેક સંકેત કરે છે. નિષ્ણાંતો અનુસાર હથેળીની હસ્તરેખાઓથી એવા અનેક યોગ બને છે જે જીવનને પ્રભાવિત કરે છે. પરંતુ સૌથી વધારે ધ્યાન આપવા જેવી બાબત હોય છે હથેળીની બનાવટ.

હસ્તરેખા શાસ્ત્રમાં ભરાવદાર અને સમકોણ હાથને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જેમની હથેળી આવી હોય તે દયાળુ, ગંભીર અને પ્રેમાળ સ્વભાવના હોય છે. પાતળી અને લાંબી આંગળી હોય તેવા હાથ ધરાવતા લોકો આદર્શવાદી હોય છે. આવા લોકો મોટા ભાગે સ્વપ્નમાં રાચતા રહે છે. જ્યારે થોડો ભરાવદાર હાથ અને લાંબી આંગળીઓ ઉત્તમ વ્યક્તિત્વ દર્શાવે છે. આવા વ્યક્તિ કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે.

image source

– જે લોકોની હથેળી ભરાવદાર અને પહોળી હોય છે અને આંગળીઓ મુલાયમ હોય તેને સમ્માન અને ધન અઢળક મળે છે. તેના જીવનમાં ધનની ક્યારેય ખામી સર્જાતી નથી.

– જે લોકોના હાથમાં જીવન રેખા ગોળાઈમાં અને મસ્તિક રેખા બે ભાગમાં વિભાજિત હોય તેને અચાનક ધન પ્રાપ્તિ થાય છે. આવા લોકોને અચાનક એવી તક મળે છે કે તેઓ રાતોરાત ધનવાન બની જાય છે.

image source

– જેની હથેળીમાં શનિ પર્વત ઊભરેલો હોય અને જીવન રેખા યોગ્ય ગોળાઈમાં હોય તો તેવા લોકો થોડી મહેનત કરે તો પણ ધનવાન બની જાય છે.

– જેમની હથેળીમાં ભાગ્ય રેખા મણિબંધ ક્ષેત્રથી શરુ થઈ અને શનિ પર્વત સુધી તુટ્યા વિના જતી હોય તો આવા વ્યક્તિને વ્યવસાયમાં મોટી સફળતા મળે છે.

image source

– જીવન, મસ્તિષ્ક અને ભાગ્ય રેખા ત્રણેય એક સમાન લંબાઈમાં જોવા મળે અને તેના પર કોઈ નિશાન ન હોય તો તેવા લોકો પણ ધન વાન બને છે.

– જે લોકોની હથેળીમાં જીવન રેખા સાથે મંગળ રેખા અંત સુધી એક સમાન ચાલતી હોય તો આવા લોકોને પૈતૃક સંપતિથી ધન પ્રાપ્ત થાય છે.

image source

– હથેળીમાં સીધી અને પાતળી આંગળીઓ હોય અને હૃદય રેખા સીધી બૃહસ્પતિ પર્વતની નીચે જઈને પૂર્ણ થતી હોય તો આવા લોકોને ધન અને સમ્માન અઢળક પ્રમાણમાં મળે છે.

– જેમની હથેળીમાં ભાગ્ય રેખા એક કરતાં વધારે હોય તેમજ જેમની હથેળી ભારે એટલે કે ભરાવદાર હોય તેવા લોકોને અચાનક ધન લાભ થાય છે. આ ધન લાભથી તેમને અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ