ભારતમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના, વોર્ડ બોયે ઓક્સિજન મશીન કાઢી લેતાં 9 કલાક તડપ્યા બાદ થયું મોત

રેકોર્ડ બ્રેક આંકડાઓ સાથે કોરોના આંતક મચાવી રહ્યો છે. આ સમયે દેશનાં દરેક રાજ્યની હાલત ખૂબ જ ખરાબ છે. હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી છલકાય ગયા છે. હોસ્પિટલોની બહાર પણ એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. આ સમયે મધ્યપ્રદેશમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી ફરી એકવાર હોસ્પિટલોની બેદરકારીનો અંદાજો લગાડી શકાય છે. શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીનું ઓક્સિજન મશીન વોર્ડ બોયે હટાવી લીધું હતુ. આ પછી ઓક્સિજનના અભાવે દર્દી તડપી-તડપીને પુત્રના સામે જ બેડ પર મોતને ભેટ્યા હતા.

આ પહેલાં દર્દી ઓક્સિજન માસ્કને મોઢા સાથે દબાવતાં ઓક્સિજન લેવાનો પ્રયાસ કરતા રહ્યાં હતા પણ તેમને શું ખબર કે ત્યાં ઓક્સિજન આપનારું મશીન (સિલિન્ડર) જ છે નહીં. તે દર્દીની હાલત એવી હતી કે તે ક્યારેક ઘૂંટણની વચ્ચે પોતાનું માથું ફસાવતા તો ક્યારેક તેઓ બેડ પર પોતાનું માથું પછાડતા રહ્યા. તેમની આટલી ગંભીર હાલત હોવા છતાં પણ 9 કલાક સુધી ન તો કોઈ ડોકટર આવ્યા કે ન કોઈ સ્ટાફ. આ પછી તેમનો પુત્ર તેમની પાસે પહોંચ્યો હતો ત્યારે તેણે તડપી રહેલા પિતાને આઈસીયુમાં લઈ જવાના પ્રયાસ કર્યા પરંતુ ત્યાં સુધીના ઘણું મોડું થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના કોવિડ વોર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આખી ઘટનાનાં ફોટો સામે આવતા હવે પરિવારનાં લોકો તંત્રની આવી બેદરકારીને લઈને ખૂબ જ ગુસ્સામાં છે. આ દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવી મૂક્યો હતો અને ગેરજવાબદારી બાબતે આરોપો લગાવ્યાં હતાં. આ વચ્ચે હોસ્પિટલના ડિરેકટર ડો. કેબી વર્માએ કહ્યું હતું કે દર્દીનું ઓક્સિજન મશીન હટાવાયું ન હતું. તેમની હાલત ખરાબ હતી એટલા માટે તેમણે બચાવી શકાયા ન હતા. પરિવારના લોકો ન માન્યા અને કોરોના વોર્ડના સીસીટીવી ફૂટેજ નીકાળવાની માગ પર અડગ રહ્યા હતા જે પછી તંત્રની બેદરકારી સામે આવી હતી.

મળતી માહિતી મુજબ જ્યારે સીસીટીવી ફૂટેજની માંગ કરવામાં આવી ત્યારે આખી હકીકત સામે આવી હતી. આ ફોટોમાં પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરને હટાવતાં વોર્ડ બોય દેખાયો હતો. આ પછી મેડિકલ કોલેજના ડીને દલીલ કરી હતી કે દર્દીને ઓક્સિજનની જરૂર ન હતી તેથી નર્સના કહેવા પર વોર્ડ બોયે બીજા દર્દી માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરને બહાર કાઢી લીધું હતું. હવે આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટની આ બે જુદી જુદી દલીલો સામે આવી રહી છે જેના કારણે આ આખો કેસ માત્ર શંકાસ્પદ બન્યો છે.

જાણવા મળ્યું હતું કે આ પછી મેડિકલ કોલેજના ડીન ડો.અક્ષય નિગમે આ સમગ્ર મામલાની તપાસ માટે એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. Aa કેસ અંગે વિગતે વાત કરવામાં આવે તો કોવિડ વોર્ડમાં દાખલ થયેલા શિક્ષક સુરેન્દ્ર શર્માનો પુત્ર મંગળવારે રાત્રે 11 વાગ્યે ઘરે ગયો હતો ત્યારે થોડા સમય પછી વોર્ડ બોયે બીજા દર્દી માટે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરને કાઢી લીધું હતું. આ પછી તેમની સ્થિતિ બગડવાનું શરૂ થયું હતું જે બાદમાં મળેલા ફોટો પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું.

સુરેન્દ્ર શર્મા જ્યારે અસહ્ય પીડામાં હોય ત્યારે તે ઘૂંટણની વચ્ચે માથું ફસાવતા જોવા મળી રહ્યા હતાં અને કેટલીકવાર તેઓ માથું પટકતાં પણ જોવા મળે છે. તેમની આવી હાલત પછી પણ ન તો ડોક્ટર કે ન અન્ય સ્ટાફ તેમની મદદ માટે આવ્યો હતો. આ પછી છેક સવારે આઠ વાગ્યે વોર્ડમાં આવેલા પુત્ર દીપક શર્માએ જણાવ્યું હતું કે પિતાની હાલત ગંભીર છે. પિતાએ સારવાર માટે વોર્ડના સ્ટાફ પાસે મદદ માગી હતી પરંતુ કોઈએ મદદ કરી ન હતી. મોર્નિંગ ડ્યૂટી ડોક્ટર સાથે વાત કરી ત્યારે પણ તેમણે ગંભીરતાથી લીધી નહીં. જ્યારે સ્ટ્રેચર ન મળ્યું તો પિતાને પીઠ પર લઈને આઈસીયુમાં લઈ જવાના પ્રયાસ કર્યા હતા.

આ દરમિયાન એક યુવકે આવીને પિતાના પગ પકડવાની મદદ કરી હતી. જોકે મોડું થઈ ગયું અને તેમનું મોત થયું. મળતી માહિતી મુજબ તેઓ પિછોરના દુર્ગાપુરના રહેવાસી હતાં અને તે એક શિક્ષક હતાં. સુરેન્દ્ર શર્માને બે દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના આરોપ છે કે મંગળવારે રાત્રે 11 વાગ્યાથી બુધવારની સવાર સુધી ગંભીર હાલતમાં તડપતા રહ્યા હતા પણ ન તો કોઈ નર્સ આવી કે ન કોઈ ડોકટર તપાસ માટે આવ્યા.આ કેસ અંગે હવે અલગ લગ વાતો સામે આવી રહી છે જેમાં પરિવારજન કહે છે કે ઓક્સિજનને દૂર કરવાને કારણે દર્દીએ જીવ ગુમાવ્યાને કારણે હોસ્પિટલ મેનેજમેન્ટ પર આરોપ લગાવીને હોબાળો કર્યો.

જ્યારે બીજી તરફ મેડિકલ કોલેજના અધીક્ષક ડો.બી.બી. શર્માએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દી સુરેન્દ્ર શર્માનું ઓક્સિજન મશીન કાઢવામાં આવ્યું નથી. તેમની હાલત ખરાબ હતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.મંગળવાર-બુધવારે રાત્રે એસઆર ડોક્ટર રાહુલ અને જેઆર ડોક્ટર દીપ્તિ આઇસોલેશન વોર્ડમાં ફરજ પર હતાં. સ્ટાફની નર્સો ઉપરાંત વોર્ડમાં વોર્ડ બોય રવિ કરોસિયાની ડ્યૂટી હતી. આ સાથે તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જો ભાજપના નેતાના મામા ન હોત તો ફૂટેજ પણ મળત નહીં કે જેના આધારે આ સામે આવી શક્ત.

શિક્ષક સુરેન્દ્ર શર્મા ખરેખર ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય ધૈરવર્ધન શર્માના મામા હતા. ધૈરવર્ધન આ અંગે અધિકારીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. ફરીથી સત્ય જાણવા સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવ્યા. લોકોનો દાવો છે કે જો ત્યાં સામાન્ય માણસ હોત તો પણ ફૂટેજ બહાર આવ્યા ન હોત.આ મામલે વિવાદ વધતાં પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વોર્ડ બોય પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર નીકાળીને લઈ જઇ રહ્યો છે. જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટને કહેવામાં આવે છે કે આ જુઓ ફોટોમાં બધી હકીકત સ્સફ જોઈ શકાય છે કે તમે બેદરકારી કરી છે. આ અંગે ડીનનો જવાબ હતો કે દર્દી સુરેન્દ્ર શર્માને ઓક્સિજનની જરૂર ન હતી. એટલા માટે નર્સના કહેવા પર પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર વોર્ડ બોયે કાઢી લીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!