જગતના સૌથી જુના ધર્મોમાં હિન્દુ ધર્મનું નામ પહેલું આવે છે. આપણા ધર્મમાં ગીતા એ પવિત્ર પુસ્તકતો છે જ પણ તે ઉપરાંત પણ આપણા ઋષિઓએ અનેક ગ્રંથો લખ્યા છે. જેમાં સમગ્ર સૃષ્ટિની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પછી ખગોળશાસ્ત્ર હોય, આયુર્વેદ હોય, ધાર્મિક ગ્રંથ ગીતા હોય, કે પછી આપણા ચાર વેદ હોય. હિન્દુ ધર્મના ગ્રંથોમાં સમગ્ર વિશ્વની સાથે સાથે સમગ્ર બ્રહ્માન્ડનું જ્ઞાન પણ સમાયેલું છે.
એક સામાન્ય ઉદાહરણ જ તમે ધ્યાનમાં લો તો આજથી યુગો પહેલાં હનુમાન ચાલિસામાં પૃથ્વીથી સૂર્યનું અંતર કહેવામાં આવ્યું છે. જેને હજું એકાદ બે સદી પહેલાં જ આપણા વૈજ્ઞાનિકોએ શોધ્યું હતું જે હનુમાન ચાલિસામાં જણાવ્યા પ્રમાણે જ નીકળ્યું હતું.
તેવી જ રીતે ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કેટલીક વાતો જણાવી છે જે આજે પણ સત્ય પુરવાર થઈ રહી છે.
શ્રી કૃષ્ણએ જણાવ્યું છે તે પ્રમાણેઃ
પ્રેમને ક્યાંય અવકાશ નહીં રહેઃ ગીતામાં લખ્યા પ્રમાણે કળયુગમાં સ્ત્રી-પુરુષ ભલે લગ્નજીવનમાં બંધાશે પણ તેઓ માત્ર આકર્ષણ ખાતર જ એકબીજા સાથે રહેશે, એક તાંતણો પહેરનાર માણસને બ્રાહ્મણ કહેવાશે. આજે વાસ્તવિકતા તદ્દ્ન આવી જ છે.
આપત્તિઓમાં વધારો થશેઃ ભગવાનના જણાવ્યા પ્રમાણે કળયુગમાં માણસ નજીવી વસ્તુઓ માટે ઝઘડશે. અને પોતાના જીવનમાં વગર કારણે મુશ્કેલિઓનું સર્જન કરશે. અને માનવ સર્જીત તેમજ કુદરતી આફતો પણ નોતરશે.