શરીરના વિવિધ અંગ પર દેખાતા તલનું શું છે મહત્વ જાણો તમે પણ
તલ કે મસા શરીરના જુદા જુદા અંગો પર હોય છે. આ તલના રંગ, આકાર અને તે કયા સ્થાન પર છે તેના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. શરીર અલગ અલગ ભાગ પરના તલનું અલગ અલગ મહત્વ હોય છે.
આ તલ વ્યક્તિના સ્વભાવ વિશે પણ સંકેત કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના તલનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવ્યું છે તેના વિશે.
ચહેરા પર તલ
જો ચહેરાની જમણી બાજુ લાલ અથવા કાળા રંગનો તલ હોય તો તે વ્યક્તિ પ્રખ્યાત,શ્રીમંત અને ખુશ મિજાજ હોય છે.
હોઠ પર તલ
જો નીચલા હોઠ પર તલની નિશાની હોય તો તે વ્યક્તિ ગરીબ હોય છે અને જીવનભર દરિદ્રતામાં દિવસો વિતાવે છે.
જો ઉપરના હોઠ પર તલની નિશાની હોય તો આવી વ્યક્તિ કામકાજી અને ખૂબ વૈભવી જીવન જીવનાર અને ધનવાન હોય છે.
ડાબા કાનના ઉપલા ભાગ પર તલ
જો વ્યક્તિના ડાબા કાનના ઉપલા છેડે તલનું ચિહ્ન હોય તો તે વ્યક્તિ દીર્ધાયુષ્ય હોય છે પરંતુ તેનું શરીર થોડું નબળું હોય છે.
નાકના મધ્ય ભાગમાં તલ
જો નાકના મધ્ય ભાગમાં તલ હોય યાત્રા પ્રિય વ્યક્તિ પરંતુ સ્વભાવે દુષ્ટ હોય છે.
કનપટ્ટી પર તલ
જો કનપટ્ટી પર તલ હોય તો તે વ્યક્તિ પ્રેમી, સમૃદ્ધ અને સુખી વ્યક્તિ તરીકે પોતાનું જીવન પસાર કરશે.
ડાબા ગાલ પર તલ
જો ડાબી બાજુના ગાલ પર તલની નિશાની હોય, તો ઘરનો વ્યક્તિ ઘરમાં સુખથી જીવે છે પરંતુ તેના જીવનમાં ધનની ખામી રહેતી હોય છે.
દાઢી પર તલ
જો દાઢી પર તલ હોય તો તે વ્યક્તિ થોડો સ્વાર્થી હોય છે પરંતુ તે સતત કાર્યરત રહે છે.
જમણા કાનની નજીક તલ
જો જમણા કાનની નજીક તલ હોય તો વ્યક્તિ હિંમતવાન હોય છે.
કપાળ નજીક તલ
જો કપાળ પર ભ્રમરની નજીક તલ હોય તો તે વ્યક્તિની આંખો નબળી હોય છે.
જમણા ગાલ પર તલ
જો જમણા ગાલ પર તલની નિશાની હોય તો આવી વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે.
ગળા પર તલ
જો ગળામાં તલ હોય તો તેવા લોકો બુદ્ધિશાળી હોય છે અને તેમના પ્રયત્નો દ્વારા સંપત્તિ એકઠી કરે છે.
જમણી આંખ પાસે તલ
જો જમણી આંખના નીચલા ભાગ પર તલનાં ચિહ્નો હોય તો તે વ્યક્તિ સમૃદ્ધ અને ખુશ રહે છે.
નાકની ડાબી બાજુ તલ
જો નાકની ડાબી બાજુ તલ હોય તો તે વ્યક્તિ ખૂબ પ્રયત્નો કર્યા પછી સફળતા પ્રાપ્ત કરે છે.
ભમર નજીક તલ
જો ડાબી આંખની ભમરની નજીક એક તલ હોય તો તે વ્યક્તિ એકલતા પ્રિય અને તે સામાન્ય જીવન જીવનાર હોય છે.
બંને ભમર વચ્ચેની તલ
જો બંને ભ્રમર વચ્ચેના ભાગમાં તલની નિશાની હોય તો તે વ્યક્તિ ધાર્મિકવૃત્તિવાળો અને ઉદાર હૃદયનો સ્વામી હોય છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ