ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ લક્ષ્મીવિલાસ બેન્ક બાદ બીજી બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, આ પ્રતિબંધ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવેલી મંતા અર્બન કો-ઓપરેટિવ બેંક પર લગાવવામાં આવ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, તેણે આ બેંકને કેટલીક સૂચનાઓ આપી છે, જે 17 નવેમ્બર, 2020 ના રોજ બેંકના બંધ થયા પછી છ મહિના માટે અસરકારક રહેશે.
આરબીઆઈની પરવાનગી વિના કોઈ લોન નહિ આપી શકે
આ સૂચનો અનુસાર આ બેંક આરબીઆઈની પરવાનગી વિના કોઈ લોન અથવા કોઈ ઉધાર આપી શકશે નહીં કે જૂની લોનમાં નવીકરણ અથવા કોઈ રોકાણ કરી શકશે નહીં. નવી થાપણો સ્વીકારવા માટે પણ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે કોઈ ચુકવણી કરી શકશે નહીં અથવા ચૂકવણી માટે કોઈ કરાર કરી શકશે નહીં. જોકે આરબીઆઈએ પ્રતિબંધ માટેનો આધાર આપ્યો નથી.
પૈસા ઉપાડવાની મર્યાદા લગાવી
આપને જણાવી દઈએ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક (પીએમસી) માં થયેલા કથિત કૌભાંડ અંગે રિઝર્વ બેંકને ખબર પડી હતી. કૌભાંડ બહાર આવતાની સાથે જ બેંક પર પ્રતિબંધ મુકી દીધો હતો. બેંકને કટોકટીથી બચાવવા માટે, આરબીઆઈએ 24 સપ્ટેમ્બર 2019 ના રોજ પૈસા ઉપાડવાની મર્યાદા લગાવી દીધી હતી.
લક્ષ્મીવિલાસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
આ પહેલા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલ ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અનુસાર, કોઈપણ બેંક ખાતાધારક 25,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. આ પગલું બેંકની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જો બેંક વિશ્વસનીય પુનરુત્થાનની યોજના રજૂ નહીં કરવાની સ્થિતિમાં થાપણદારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રની સ્થિરતાના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
કેન્દ્રીય બેંકે કહ્યું કે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી
કેન્દ્રીય બેંકે કહ્યું કે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. તેથી, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 45 હેઠળ કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની બેંકો પર પ્રતિબંધ લાદ્યો છે. યસ બેન્ક બાદ આ વર્ષે મુશ્કેલીમાં મુકાનાર લક્ષ્મી વિલાસ બેન્ક ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક બની ગઈ છે. માર્ચમાં યસ બેંક પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ની સહાયથી યસ બેન્કને ઉગારવામાં આવી હતી. એસબીઆઈએ યસ બેન્કના 45 ટકા હિસ્સાના સ્થાને રૂ. 7,250 કરોડનું રોકાણ કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ