આજે “ચિલ્ડ્રન્સ ડે” છે, એ તો સૌને ખબર જ છે એની સાથે સાથે આજે “વર્લ્ડ ડાયાબિટીસ ડે” પણ છે! એ ભાગ્યેજ કોઈને ખબર હશે! વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને WHO દ્વારા સાલ ૧૯૯૧ થી ડાયાબિટીસ અવેરનેસ અને પ્રિવેન્શન માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.
ડાયાબિટીસ એ ખુબ જ ગંભીર બીમારી છે એને આપણે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. હવે નહિ તો કયારે નહિ!
ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર છે (૧.) જૂવાઇનલ અથવા ટાઇપ-૧ ડાયાબિટીસ (૨.) એડલ્ટ અથવા ટાઇપ-૨ ડાયાબિટીસ અને (૩.) જસ્ટેશનલ ડાયાબિટીસ.
(૧.) જૂવાઇનલ અથવા ટાઇપ-૧ ડાયાબિટીસ:
જૂવાઇનલ અથવા ટાઇપ-૧ ડાયાબિટીસ એ એક ઓટોઇમ્યુઇન રોગ છે. જે બાળકોમાં જોવા મળે છે. આ ડાયાબિટીસમાં સ્વાદુપિંડમા રહેલા કોષો નાશ પામે છે જેના કારણે ઇન્સ્યુલીન બનતું અટકે છે.
(૨.) એડલ્ટ અથવા ટાઇપ-૨ ડાયાબિટીસ:
એડલ્ટ અથવા ટાઇપ-૨ ડાયાબિટીસ એટલે નોન ઇન્સ્યુલીન ડીપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. જે એડલ્ટ લોકોમા જોવા મળે છે! આ રોગ શરીરના અંતઃસ્રાવ ગડબડ થવાના કારણે થાય છે. જેમાં શરીરના કોષો ઇન્સ્યુલીન સામે રિસ્પોન્ડ કરતા નથી.
(૩.) જસ્ટેશનલ ડાયાબિટીસ:
જસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નેન્સીમાં થતો ડાયાબિટીસ! પ્રેગનેન્સી રહ્યાં પછી માતાને આ ડાયાબિટીસ થાય છે. જસ્ટેશનલ ડાયાબિટીસની જાણકારી ખુબ જ ઓછા લોકો ધરાવે છે. જસ્ટેશનલ ડાયાબિટીસ એ હાલની ખુબ જ ગંભીર બીમારી છે માતાની સાથે સાથે બાળકનો જીવ પણ જોખમમાં મુકાય છે! તો ચાલો આજે આ બંને દિવસની ઉજવણી ઉપર આપણે ડાયાબિટીસથી બાળકોને અને માતાઓને કઈરીતે બચાવી શકાય એ વિષે વાત કરશું.
આ કે ચોકાવનારો આંકડો છે પણ હકીકત એ છે કે ભારતમાં દર વર્ષે આશરે ૧૦ લાખ પ્રેગનેન્ટ મહિલાઓ જસ્ટેશનલ ડાયાબિટીસનો શિકાર બને છે! આપણી વચ્ચે દર ૭ માંથી ૧ ગર્ભવતી મહિલા આ રોગથી પીડાય છે !
જસ્ટેશનલ ડાયાબિટીસ થાવના કારણો:
- • પ્રેગનેન્સી દરમિયાન માતાના શરીરમાંથી અમુક ચોક્કસ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે. જેના લીધે પ્રેગનેન્સી દરમિયાન માતાના શરીરમાં સુગર લેવલ વધે છે.
- • પ્રેગનેન્સી પહેલા વજન વધારે હોવાથી આ રોગ થાવની શક્યતાઓ વધી જાય છે.
- • ડાએટરી હેબીટ્સ અને લાઈફ સ્ટાઇલ પ્રોપરના હોવાથી પણ આ રોગ થાવની શક્યતાઓ વધી જાય છે.
- • પ્રેગનેન્સી પહેલા અને દરમિયાન શારીરિક શ્રમ ઓછો હોય તેમજ બેઠાળું જીવન હોય તો આ રોગ થાવની શક્યતાઓ વધી જાય છે.
- • સ્ટ્રેસ લેવલ નું પ્રમાણ વધારે હોય આ રોગ થાવની શક્યતાઓ વધી જાય છે.
જસ્ટેશનલ ડાયાબિટીસ ડાયેગ્નોસીસ કઈ રીતે કરી શકાય?:
- • પ્રેગનેન્સી કન્સીવ કરતા પહેલા જરૂરી લોહીના, પેશાબના તેમજ અન્ય અગત્યના રિપોર્ટસ કરાવવા જોઈએ. જેથી પહેલાથી જ આપણે આ રોગ વિશે માહિતી મેળવી, યોગ્ય પગલા લઇ શકીએ.
- • પ્રેગનેન્સી દરમિયાન પણ બ્લડ અને યુરીનના રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.
જસ્ટેશનલ ડાયાબિટીસ લક્ષણો:
- • અચાનક વજનમાં વધારો થવો
- • વધુ ભૂખ લાગવી
- • ચક્કર આવવા, શરીરમાં નબળાઈ લાગવી
- • વારે વારે પેશાબ લાગવી
- • આંખમાં થોડી ઝાંખપ આવવી
(નોંધ: પ્રેગ્નેન્સીના પણ આ પ્રકારના સમાન લક્ષણો હોવાથી, આવું થાય તો તરતજ તમારા યોગ્ય ડોક્ટરની સલાહ લેવી.)
માતા અને બાળક પર થતી જસ્ટેશનલ ડાયાબિટીસની અસરો:
માતા ઉપર થતી અસરો:
- • ગર્ભપાત થઇ જવો
- • ડિલીવરી વખતે વધુ લોહી વહી જવું
- • ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે.
- • વજનમાં વધારો થાય છે જેના કારણે બ્લડપ્રેસર જેવી અન્ય ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે
- • સિઝેરિયન ડિલીવરી થવાના મુખ્ય કારણોમાંનું એક કારણ જસ્ટેશનલ ડાયાબિટીસ છે
બાળક ઉપર થતી અસરો:
- • જન્મ સમયે બાળકનું વજન ખુબ વધારે હોવું
- • સમય પેહલા બાળકનો જન્મ થઈ જવો
- • ફેફસાં અને શ્વસનતંત્રનો યોગ્ય વિકાસ ન થવો
- • જન્મ પછી બાળકનો વિકાસ ધીમો થવો
- • ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે
જસ્ટેશનલ ડાયાબિટીસ ના થાય એ માટેની કાળજીઓ:
- • માતાએ બાળકને જન્મ આપતા પહેલા ઓછામાં ઓછા ૬ મહિના અગાઉ પ્રેગનેન્સીની તૈયારીઓ શરું કરી દેવી જોઈએ
- • જસ્ટેશનલ ડાયાબિટીસ એ પ્રેગ્નેન્સીના બીજા તેમજ ત્રીજા ટ્રાયમેસ્ટર દરમિયાન થવાની શકયતાઓ વધુ છે માટે આ દરમિયાન ખુબ કાળજી લેવી જોઈએ.
- • વજન વધે નહીં એની કાળજી લેવી જોઈએ
- • લાઈફ સ્ટાઇલમાં બદલાવ કરવો જોઈએ
- • પ્રેગનેન્સી પહેલા અને દરમિયાન યોગ્ય શારીરિક કસરતો કરવી જોઈએ
- • આ રોગ હોર્મોન્સ આધારિત છે. યોગ્ય માર્ગદર્શન અને કસરતો વડે હોર્મોન્સને બેલેન્સ કરી શકાય છે.
જસ્ટેશનલ ડાયાબિટીસ થયો હોય તો શું કાળજી રાખવી જોઈએ?:
-
- • યોગ્ય સ્પેશિયલિસ્ટ ડોક્ટર પાસે માર્ગદર્શન લીધા પછીજ ટ્રીટમેન્ટ શરુ કરવી
- • ડાયટ એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે જેથી સૌ પ્રથમ ડાયટ કંટ્રોલ કરવો જોઈએ.
- • વજન કંટ્રોલ મા રાખવું જોઈએ
- • નિયમિતપણે ચોક્કસ કસરતો કરવી જ જોઈએ. (પ્રેગનેન્સી દરમિયાન યોગ્ય તેમજ સચોટ માર્ગદર્શન હેઠળ કસરતો કરીજ શકાય છે.ભ્રમણાઓ ઉપર ધ્યાન આપવું નહીં)
- • ઘણા સંશોધકો એ એવું પુરવાર કર્યું છે કે જો માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવામાં આવે તો ડાયાબિટીસમાં પણ રાહત મેળવી શકાય છે.
Dr.Himani Shah
Gynec Physiotherapist
MPT(OBG), IASTM, CFN, MIAP, GSPC, MIAFT
+919409106293
આ પ્રકારની વધુ માહિતીઓ માટે તમે મારું પેજ લાઇક કરી શકો છો.
https://www.facebook.com/dr.himanishah/
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ