દેશની દરેક સરકારી અને પ્રાઈવેટ બેંક પોતાના ગ્રાહકોને દગાખોરોથી સાવધાન કરી રહી છે. સતત થઈ રહેલા ફ્રોડથી બચવા માટે તેઓ અનેક એલર્ટ મેસેજ પણ આપે છે.પણ છતાં ગ્રાહકો દગાખોરીનો શિકાર બને છે. આ માટે અમે આપને બેંક એટીએમ સાથે જોડાયેલી વાતોને જણાવી રહ્યા છેજેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ગ્રીન લાઈટ કરો ચેક
જ્યારે પણ તમે એટીએમ પર જાઓ છો ત્યારે તમારે ખ્યાલ રાખવો કે એટીએમનો સ્લોટ સારી રીતે કામ કરતો હોય. જો તે ઢીલો હોય તો તેમાં કાર્ડ સ્વેપ ન કરો. કાર્ડ સ્લોટમાં લગાવતા ત્યાં દેખાતી ગ્રીન લાઈટ પર ધ્યાન આપો. આ રંગની લાઈટ હોય તો એટીએમ સુરક્ષિત હોય છે. નહીં તો તેમાં લાલ લાઈટ દેખાશે. લાલ લાઈટવાળા એટીએમનો ઉપયોગ ન કરો. તેમાં દગાખોરીનો શિકાર બનવાની શક્યતા રહે છે.
નહીં તો ખાલી થઈ જશે એકાઉન્ટ
સાઈબર એક્સપર્ટ કહે છે કે દગાખોરો એટીએમ મશીનનમાં લાગતા કાર્ડમાં ડિવાઈસ મશીન લગાવીને કાર્ડની જાણકારી મેળવી લે છે. એવામાં તમને ત્યારે ખબર પડશે જ્યારે એટીએમ તમારા ખિસ્સામાં હશે અને સાથે જ તમારા ફોન પર મેસેજ આવે છે કે તમારા ખાતામાંથી રૂપિયા નીકળ્યા છે. જરૂરી વાત એ છે કે બેંક ખાતામાંથી રૂપિયા નીકાળતી સમયે પાસવર્ડને તેના અન્ય હાથથી છૂપાવો. સરળ શબ્દોમાં કહીએ તો ડેબિટ કાર્ડનું પૂરું એક્સેસ લેવા માટે હેકર્સ પાસે પાસવર્ડ કે પિન નબંર હોવો જરૂરી રહે છે. હેકર્સ પિન નંબરને કેમેરાથી ટ્રેક કરી શકે છે. આ માટે તમે એટીએમમાં પીન એન્ટર કરો તો તેને અન્ય હાથથી છુપાવી લો. જેથી તેની ઈમેજ સીસીટીવીમાં કેદ ન થાય.
જો દગાખોરીમાં ફસાઈ જાઓ તો શું કરશો
સાઈબર એકસપર્ટ કહે છે કે જો તમે હેકર્સના જાંસામાં ફસાઈ જાવ છો તો બેંક બંધ છે તો આ સમયે તમે પોલીસની મદદ લઈ શકો છો. કેમકે તમને હેકર્સના ફિંગર પ્રિંન્ટ મળી શકે છે. સાથે તમે એ પણ જોઈ શકો છો કે તમારી આસપાસ કોનું બ્લૂ ટ્રૂથ કનેક્શન કામ કરી રહ્યું છે. પછી તમે તે વ્યક્તિ સુધી પહોંચી શકો છો.
જાણો શું કહે છે આરબીઆઈનો નિયમ
રિઝર્વ બેંકના નિયમ અનુસાર સ્કેમિંગ, ફિશિંગની મદદથી થતા ફ્રોડને વિશે બેંકને 3 દિવસમાં જાણકારી આપવાની રહેશે. આમ કરવાથી તમને કોઈ નુકસાન થશે નહીં. ફ્રોડ થયા ના 7 દિવસમાં તે સૂચિત કરો છો તો તમારી દેનદારી સીમિત રહેશે.
આરબીઆઈના નિયમ અનુસાર જો તમે બેકંના કોઈ ફ્રોડની જાણકારી સમયસર આપી છે તો બેંક 10 દિવસમાં તમારી રકમ તમારા ખાતામાં પરત આપશે. આ સિવાય વિવાદનો ઉકેલ 90 દિવસમાં થવો જોઈએ. જો થર્ડ પાર્ટી ધોખાગીરી બેંક કે ગ્રાહકોની તરફની ભૂલથી નથી પણ બેંકિંગ સિસ્ટમની ભૂલથી થઈ છે તો આ કેસમાં ગ્રાહકોની જવાબદારી રહેશે નહીં.
ગ્રાહકને આ દગાખોરીના ટ્રાન્ઝેક્શનનો ખ્યાલ આવ્યાના 3 કાકાજી દિવસમાં બેંકને જાણકારી આપવાની રહે છે. એવામાં તેઓ દગાખોરીના કેસમાં જો ગ્રાહક બેંકની આ જાણકારી 4-7 દિવસમાં આપે છે તો ગ્રાહકોને 25000 રૂપિયા સુધી દેનદારીનો સામનો કરવાનો રહે છે.
ગ્રાહક જો 7 દિવસમાં આ રીતે કોઈ ફ્રોડનો રિપોર્ટ કરે છે તો બેંક બોર્ડની તરફથી નક્કી પોલીસીના આધારે ગ્રાહકની દેનદારી પર વિચાર કરાય છે. આ કેસમાં બચત બેંત ખાતાધારકની વધુમાં વધુ દેનદારી 10000 રૂપિયા હશે. બેંક માટે આ નિર્દેશ જાહેર કરતા આરબીઆઈએ ઈલેક્ટ્રોનિક બેંકિંગ લેન દેન માટે મોબાઈલને જરૂરી બનાવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,