મિત્રો, અશ્વગંધા એ એક એવી આયુર્વેદિક ઔષધિ છે કે, જેને ભાગ્યે જ કોઈ વ્યક્તિ નહિ ઓળખતુ હોય, પછી ભલે તેણે ક્યારેય આ ઔષધી નુ સેવન કર્યુ હોય કે ના કર્યુ હોય. સામન્ય રીતે લોકો અશ્વગંધાને જાતીય જીવનમા સુધારણા લાવવા માટેની એક અસરકારક ઔષધ માને છે, જે સમય ની સાથે ઘટતી પ્રજનનક્ષમતામા પણ સુધારો કરે છે. આ વાત તો સાચી છે પરંતુ, અશ્વગંધા તે સિવાય પણ આપણને અનેકવિધ રૂપે લાભદાયી સાબિત થાય છે, જેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ.
દરેક વ્યક્તિએ દરરોજ અશ્વગંધા નું કેવી રીતે અને શા માટે સેવન કરવુ જોઈએ તેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ. જો તમે આ ઔષધી વિશેની યોગ્ય માહિતી ધરાવતા હશો તો તમે ઋતુ પરીવર્તન ના કારણે તમારુ શરીર જે-જે સમસ્યાઓ કે બીમારીઓ નો શિકાર બની જાય છે તેની સામે રક્ષણ આપે છે. તો ચાલો અશ્વગંધા ના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીએ.
ત્વચાને યુવા બનાવી રાખે :
પ્રવર્તમાન સમયમા માનસિક અને શારીરિક તણાવ ની અસર આપણી ત્વચા પર ખુબ જ ગંભીર પડે છે. લોકો પોતાની ત્વચાની સારસંભાળ રાખવા માટે સંપૂર્ણપણે બજારમા મળતા સૌંદર્ય ઉત્પાદનો પર આધાર રાખતા હોય છે પરંતુ, સામાન્ય રીતે તેનાથી કોઈ વધારે લાભ મળતો નથી.
પરંતુ, જો તમે અશ્વગંધા નુ નિયમિત સેવન કરો તો તે તમારી ત્વચાને યુવાન બનાવી રાખવામા મદદગાર સાબિત થાય છે કારણકે, તે શરીરની અંદર કોલેજન બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે. કોલેજન એ એક એવો પદાર્થ છે કે, જે ત્વચા પરની કરચલીઓ, દાગા-ધબ્બા અને ખીલ ને સરળતાથી દૂર કરી દે છે, તે ત્વચાના કોષો ને નિરંતર પોષણ આપે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થશે :
પ્રવર્તમાન સમયમા મોટાભાગના લોકો વાળમા સફેદી આવી જવાની સમસ્યાથી પીડિત હોય છે પરંતુ, જો અશ્વગંધાનુ નિયમિત સેવન કરવામા આવે તો તમને આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે. તે શરીરમા કોર્ટિસોલ હોર્મોન નુ સ્તર સંતુલિત કરે છે. આ હોર્મોનનુ પ્રમાણ વધવાના કારણે વાળ પણ ઝડપથી પડે છે અને વાળ કાળા પણ રહે છે.
જાતીય શક્તિમા વૃદ્ધિ લાવે છે :
આપણે સૌ જાણીએ છીએ કે, અશ્વગંધાનુ નિયમિત સેવન કરવાથી તમારી જાતીય શક્તિમા વૃદ્ધિ થઇ શકે છે. આ ઉપરાંત જો તમને ગુપ્તાંગને લગતી કોઈ બીમારી છે તો તે સમસ્યાઓ ને દૂર કરવા માટે પણ આ ઔષધ અસરકારક સાબિત થાય છે.
સંતુલન સુધારે છે :
અશ્વગંધા એ એક એવી ઔષધ છે કે જે માણસના શારીરિક અને માનસિક વિકાસ ને સીધી અસર કરે છે. જે લોકો નિયમિતપણે આ દવાઓ નુ સેવન કરે છે, તે લોકોમા ખૂબ જ સારુ શારીરિક અને માનસિક સંતુલન રહે છે. તેમની તેમના સ્નાયુઓ અને વિચારો પર પણ ખૂબ જ સારી પકડ રહે છે.
પાચનતંત્ર મજબુત બને :
અશ્વગંધા નુ નિયમિત સેવન કરવાથી ચયાપચય ને સુધારવામા મદદ મળી રહે છે. આ ઔષધમા સમાવિષ્ટ એન્ટી-ઓકિસડન્ટ હાનિકારક ફ્રી રેડિકલ્સ ની સમસ્યાને દૂર કરે છે અને પાચનતંત્ર મજબુત બનાવે છે.
બ્લડ સુગર નિયંત્રિત રાખે :
જે લોકો ડાયાબિટીઝની સમસ્યા થી પીડાય છે તેમના માટે આ અશ્વગંધા નુ સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે તમારા તમારા બ્લડસુગરમા થતી વધઘટ ને નિયંત્રણમા રાખે છે અને ડાયાબીટીસ ને જડમુળથી દૂર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ