ગણિત અને વિજ્ઞાનના ઇતિહાસમાં E=mc2 એક બહુ લોકપ્રિય અને ચર્ચિત ઈકવેશન છે. 27 સપ્ટેમ્બર 1905 ના દિવસે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અલબર્ટ આઈન્સ્ટાઈનનું રિસર્ચ પેપર ” શું કોઈ યુનિટની ઘનતા તેના ઉર્જા કન્ટેન્ટ પર આધાર રાખે છે ? ” તે સમયના નામી વિજ્ઞાન મેગેઝીન ” એનાલેન દે ફિઝિક ” માં પ્રકાશિત થયું હતું. રિસર્ચ પેપરના સાથે જ ઉપરોક્ત સૂત્રનું ઉદઘાટન થયું જેમાં ઉર્જા અને દ્રવ્યમાનના સંબંધને સમજાવવામાં આવ્યા છે. તે સમયનું આ સૂત્ર એક ઇતિહાસ જ બની ગયું.
કપડાં, ફિલ્મો અને પોસ્ટરો સહિત અનેક જગ્યાઓએ આ સૂત્ર દેખાય છે. બ્રહ્માંડમાં અનેક પદાર્થોની ગતિ સાથે જોડાયેલા આ સૂત્રને વિશેષ સાપેક્ષતાના સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે વિશ્વના સૌથી વધુ અસરકારક અને આશ્ચર્યજનક આવિષ્કાર એવા ” એટમ બૉમ્બ ” ની રચના પણ આ સૂત્રની મદદથી થઈ છે. તો ચાલીએ આજે તેના વિશે થોડું જાણીએ.
શું છે E=mc2 નો અર્થ ?
E=mc2 સૂત્રમાં E નો અર્થ ઉર્જા થાય છે જે કોઈ પણ પદાર્થમાં હોય છે. અને m નો અર્થ દ્રવ્યમાન અને c નો અર્થ પ્રકાશની ગતિ થાય છે. આ સૂત્રનો અર્થ એ થાય કે કોઈપણ પદાર્થના કુલ દ્રવ્યમાનને જો પ્રકાશની ગતિના વર્ગ સાથે ગુણી દેવામાં આવે તો તે પદાર્થની કુલ ઉર્જા કેટલી છે તે જાણી શકાય. અલબર્ટ આઈન્સ્ટાઈને આ સૂત્ર તરીકે એ થિયરી આપી હતી કે ઉર્જાને દ્રવ્યમાન અને દ્રવ્યમાનને ઉર્જામાં બદલી શકાય છે.
જો કે આ સૂત્ર અંગે તે સમયે એ સવાલ પણ ઉભો થયો કે દ્રવ્યમાનમાંથી કેટલી ઉર્જા રૂપાંતર થશે અને થશે કે નહીં તેમાં પણ શંકા દર્શાવવામાં આવ્યો. ત્યારે અલબર્ટ આઈન્સ્ટાઈન પોતે જ પોતાની થિયરી સાબિત નહોતા કરી શક્યા પરંતુ બાદમાં સમયની સાથે સાથે આ થિયરી પર શોધ અને પ્રયોગ થતા રહ્યા અને 21 મી સદીમાં વૈજ્ઞાનિકોએ આ સૂત્ર સિદ્ધ હોવાનો દાવો કર્યો.
અલબર્ટ આઈન્સ્ટાઈનએ આ થિયરી આપ્યાનાં 113 વર્ષ બાદ ફ્રેન્ચ, જર્મન અને હંગરિના વૈજ્ઞાનિકોએ વર્ષ 2018 માં પ્રયોગો દરમિયાન ઉપરોક્ત E=mc2 સૂત્ર પ્રમાણિક હોવાની વાત જણાવી હતી. પરંતુ આ સૂત્ર પ્રમાણિક સાબિત થાય એ પહેલાં જ તેનો ઉપયોગ અનેક આવિષ્કારોમાં થઈ ચૂક્યો હતો.
અલબર્ટ આઈન્સ્ટાઈનની આ થિયરી જ્યારે ચર્ચિત થવા લાગી તેના થોડા સમય બાદ જ અમેરિકાના ન્યુક્લિયર પાવર સ્ટેશનોમાં આ થિયરીને અમલમાં લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા. રીએક્ટરો અંદર સબએટોમિક કણો એટલે કે ન્યુટ્રોન્સ સાથે યુરેનિયમના પરમાણુના સંઘટક સંબંધી પ્રયોગો શરૂ થયા. અણુઓના વિખંડન વાળા આ પ્રયોગ દ્વારા નોંધપાત્ર ઉર્જા રિલીઝ થવાનું ખુલ્યું. અને અંતે એટમ બૉમ્બ બનાવવામાં પણ આ સૂત્રએ ભાગ ભજવ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ