શું આપના વેપારમાં પ્રગતિ નથી થઈ રહી તો આપે આપની પ્રગતિ માટે લગાવવું જોઈએ આ રંગનું વિંડ ચાઈમ.
આજકાલ દરેક વ્યક્તિને પોતાના ધંધા- રોજગારને લઈને હેરાન થઈ રહ્યા છે. પરંતુ ફેંગશુઈમાં વિંડ ચાઈમને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, અને વિંડ ચાઈમને ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પણ પ્રગતિનું સૂચક માનવામાં આવે છે. આવામાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે ઘરમાં વિંડ ચાઈમ હોય છે તે ઘરમાં ક્યારેય પણ કોઇપણ પ્રકારની કમી થતી હોતી નથી ના તો ધનને સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે નહી જ કોઈ વસ્તુની ઓછપનો. આવી પરિસ્થિતિમાં જો વિંડ ચાઈમને વ્યવસાયિક સ્થળ પર રાખવામાં આવે છે તો તે વ્યક્તિના વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે.
સામાન્ય રીતે વિંડ ચાઈમ ઘર માટે સજાવટની વસ્તુ તરીકે જોવા માં આવે છે પરંતુ આજે અમે આપને જણાવીશું કે, વિંડ ચાઈમ ફક્ત ઘરમાં સજાવટની વસ્તુ તરીકે જ નહી, ભારતીય વાસ્તુ શાસ્ત્ર અને ચાઇનીઝ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ છે એટલું જ નહી, આપના ઘરમાં બહારથી આવતી નકારાત્મક ઉર્જાને પણ અટકાવવાનું કામ કરે છે.
ઉપરાંત વિંડ ચાઈમ આપના ઘરના વાતાવરણને પણ ખુશહાલ બનાવી રાખવામાં મદદ કરે છે. વિંડ ચાઈમને આપ આપના વ્યવસાય કે પછી વેપાર કરવાના સ્થાન પર પણ લગાવી શકો છો. પરંતુ વેપાર કે પછી વ્યવસાયના સ્થાન પર લગાવવા માટે આપે ખાસ રંગના જ વિંડ ચાઈમ પસંદ કરવા જોઈએ જેમ કે, પીળા રંગનું વિંડ ચાઈમ કે પછી સિલ્વર રંગનું વિંડ ચાઈમ આપ લગાવી શકો છો.
વિંડ ચાઈમ સાથે સંબંધિત કેટલીક બાબતો:
-ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ વિંડ ચાઈમને ઘરની દક્ષિણ દિશામાં લગાવવાને શુભ માનવામાં આવે છે કેમ કે, વિંડ ચાઈમની મદદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
-વિંડ ચાઈમનો કલર પીળો કે પછી સિલ્વર હોવો જરૂરી છે, પીળા રંગ કે પછી સિલ્વર રંગના વિંડ ચાઈમને ઘરમાં લગાવવાથી આપના ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહી.
-તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, આપના અભ્યાસ કરી રહેલ બાળકોના રૂમમાં સફેદ રંગનું વિંડ ચાઈમ લગાવવું જોઈએ, અભ્યાસ કરી રહેલ બાળકોના રૂમમાં સફેદ રંગનું વિંડ ચાઈમ લગાવવાથી બાળકોને અભ્યાસ માટે ફાયદાકારક સાબિત થાય છે.
-ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ વ્યવસાયિક સ્થાન પર કે પછી વ્યક્તિના વેપારના સ્થાન પર પીળા રંગનું વિંડ ચાઈમ લગાવવું જોઈએ, પીળા રંગનું વિંડ ચાઈમ લગાવવાથી વેપારમાં અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળે છે અને અચાનક વધારે ધન લાભ થવા લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ