જલ્સા કરોને જેંતીલાલ

નેહા મહેતાને આવી રીતે મળ્યો હતો અંજલી ભાભીનો રોલ, શો છોડ્યા પછી અહીંયા કરી રહી છે કામ

સોની સબ ટીવીના જાણીતા શો તારક મહેતા કા ઉલટા ચશ્માંની અંજલી ભાભી તો તમને યાદ જ હશે. નવી અંજલી ભાભીની વાત નથી કરી રહ્યા, અમે આજે જૂની અંજલી ભાભીની વાત કરી રહ્યા છે. અંજલી મહેતા એટલે કે એક્ટ્રેસ નેહા મેહતાએ 12 વર્ષ પછી શોને અલવિદા કહી દીધુ. અંજલિએ શો છોડ્યો એના કારણે ફેન્સ ખૂબ જ માયુસ થઈ ગયા હતા કારણ કે એમને તારક અને અંજલીની જોડી ખૂબ જ ગમતી હતી. પણ નવી અંજલી એટલે કે સુનેના ફોજદારે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આજે આપણે વાત કરીશું નેહા મહેતા વિશે કે એ અત્યારે ક્યાં છે અને શું કરી રહી છે?

image source

શો તારક મહેતા કા ઉલટા ચશ્માંથી પોતાની અલગ ઓળખ બનાવનારી નેહા મહેતા ગુજરાતના ભાવનગરમાં જન્મી હતી. નેહાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2001માં સિરિયલ ડોલર વહુથી કરી હતી. પણ વર્ષ 2008માં શરૂ થયેલા શો તારક મહેતા કા ઉલટા ચશ્માંથી નેહા મહેતાને ખૂબ જ પોપ્યુલરિટી મળી હતી. આજે ભલે એક્ટ્રેસે શો છોડી દીધો હોય પણ એમની ફેન ફોલોઇંગમાં જરાય ફરક નથી પડ્યો.

image siurce

નેહાના પિતાએ એમને ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર કરી હતી. એમના પિતા જાણીતા ગુજરાતી લેખક છે. નેહાએ વોકલ અને ડ્રામામાં ડિપ્લોમાની સાથે જ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ડીગ્રી પણ લીધી છે. એમને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી.

image source

સિરિયલ ડોલર વહુ પછી ભાભી, દેશ મેં નિકલા હોગા ચાંદ જેવી સિરિયલમાં પણ નેહા દેખાઈ હતી. આ શો પછી એમને શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં કામ કરવાનું શરૂ કર્યું. અંજલી મહેતાનું પાત્ર મળ્યા પાછળ પણ એક સ્ટોરી છે. વાત જાણે એમ છે કે નેહા મહેતા ફિલ્મ મેકિંગ કોર્સ કરવા કરવા માટે ન્યુયોર્ક જવા રવાના થવાની હતી. જ્યારે એમની ન્યુયોર્ક જવાની પુરી તૈયારી થઈ ચૂકી હતી ત્યારે એમને તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં આ રોલ ઓફર થયો. એ સમયે નેહાના પરિવાર જનોએ એમને સલાહ આપી કે આ શો હાથમાંથી ન જવા દે કારણ કે આ શો ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલો છે અને નેહાના પિતા ખુદ સાહિત્ય સાથે જોડાયેલા હતા. પોતાના પરિવાર સાથે વાત કર્યા પછી નેહાએ શો માટે હા પાડી દીધી.

image source

આ શોને છોડ્યા પછી નેહા મહેતાના ફેન્સના મનમાં સવાલ હતો કે એ હવે ક્યાં છે અને શુ કરી રહી છે. આ બધા સવાલોના જવાબ નેહા મેહતાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. નેહા મહેતાએ કહ્યું કે જ્યારે મને આ શો ઓફર થયો હતો તો હું વધારે કોન્ફિડેન્ટ નહોતી કે હું આ પાત્રને કરી શકીશ પણ મેં આ શોમાં 12 વર્ષ સુધી કામ કર્યું. મારા માટે આ શો છોડવો સરળ નહોતો. આ શો છોડ્યા પછી મને એ વાતનો અહેસાસ થયો કે હું બીજું પણ ઘણું બધું કરી શકું છું અને મેં ગુજરાતી ફિલ્મો તરફનો રસ્તો પકડ્યો.

image source

નેહા મહેતાએ આગળ કહ્યું કે મેં હાલમાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. એમાં હું એક મહત્વનો કરતી દેખાઈશ. આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર આધારિત છે. એની વાર્તા મોર્ડન નવ દુર્ગા સાથે જોડાયેલી છે. શોમાં પાછા ફરવા અંગે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે એ તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જવાની ઇચ્છુક તો છે પણ એ કંઈક પરિવર્તન ઈચ્છે છે. અમુક વસ્તુઓને લઈને એમની અસહમતી છે. પણ એ હવે આ વિશે વધુ વિચારવા નથી માંગતી. તમને જણાવી દઈએ કે નેહા મહેતાએ ટીવી સિરિયલ સિવાય બૉલીવુડ ફિલ્મ ઇએમઆઈમાં પણ કામ કર્યું છે. ફિલ્મમાં એમને સંજય દત્તની સાથે સ્ક્રીન શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version