આ અભિનેતાની તબિયત લથડતા ફેન્સ થયા દુખી, સારવાર અર્થે ખસેડાયા ICUમાં, મિત્રએ કહ્યું… ‘તેના માટે પ્રાર્થના કરો’

પટિયાલા બેબ્સ ફેમ અભિનેતા અનિરુધ દવે તાજેતરમાં કોરોના વાયરસનો શિકાર બન્યો હતો. 23 એપ્રિલે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને પોતે કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી હતી. હવે સામે આવ્યું છે કે અનિરુધની તબિયત લથડી ગઈ છે અને તેને આઈસીયુમાં ખસેડાયો છે. અનિરુધની મિત્ર અને ટીવી અભિનેત્રી આસ્થા ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને અનિરુધ વિશે જણાવ્યું છે અને ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવા જણાવ્યું છે.

image source

આસ્થા ચૌધરીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે- મારા મિત્ર અનિરુધ દવેને પ્રાર્થનાની જરૂર છે. તે આઈસીયુમાં છે. કૃપા કરી તેમના માટે પ્રાર્થના કરો.

image source

જણાવી દઈએ કે ટીવી એક્ટર અનિરુધ દવે તાજેતરમાં કોરોના પોઝિટિવ થયો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી હતી. હવે અનિરુધની તબિયત લથડી ગઈ છે. થોડા દિવસ પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

image source

કોરોના પોઝિટિવ બન્યા પછી અનિરુદ્ધે કહ્યું હતું કે તે કોરોના સંક્રમિત થયા પછી ભોપાલની એક હોટલમાં આસોલેટ થયો હતો. તેણે કહ્યું હતું કે આ સ્થિતિ ખૂબ જ ડરામણી છે અને તેને ગંભીરતાથી લેવી ખૂબ જ જરુરી છે. અનિરુદ્ધે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. અનિરુદ્ધે લખ્યું હતુ કે, સંક્રમણ ગમે ત્યારે, ગમે ત્યાંથી થઈ શકે છે, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, મેં મારી જાતને આસોલેટ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ તેમના ટેસ્ટ કરાવે. આ પોસ્ટ પર ટેલીવૂડના ઘણા સેલેબ્સે અનિરુધને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ANIRUDH V DAVE (@aniruddh_dave)

હાલ અનિરુદ્ધની હાલત ખરાબ થઈ છે અને તેના કારણે તેને તુરંત આઈસીયુમાં ખસેડી તેની સઘન સારવાર શરુ કરવામાં આવી છે. અનિરુદ્ધ શક્તિ અસ્તિત્વ કે એહસાસકી, પટિયાલા બેબ્સ જેવી લોકપ્રિય સીરિયલોમાં મહત્વના રોલ ભજવી ચુક્યો છે. આ સિવાય તે હવે અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ બેલબોટમમાં પણ જોવા મળશે. અનિરુદ્ધના ઘરે ગત ફેબ્રુઆરી માસમાં જ પુત્રનો જન્મ થયો હતો. તેણે ટ્વીટર પર પોતાના ઘરે આવેલા નાનકડા મહેમાનના ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.

image source

મહત્વપૂર્ણ છે કે કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી પ્રસરી રહ્યું છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં ઘણા ટીવી સ્ટાર સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે કેટલાક ટીવી સ્ટાર્સે કોરોનાના કારણે દુનિયાને અલવિદા કહી દીધું છે. કોરોના ખૂબ ઘાતક બની રહ્યો છે તેવામાં ઘણી સીરિયલોના શૂટિંગને પણ ટાળવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!