એક લગ્ન પ્રસંગે પહેલીવાર ટીનાને જોઈને દિલ દઈ બેઠા હતા અનિલ અંબાણી, કઈક આવી હતી બંનેની પ્રેમ કહાની.
દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીનો 4 જૂને 2020 એટલે કે આજે જન્મ દિવસ છે. અનિલ અંબાણી આ વર્ષે પોતાનો 60મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. અનિલ અંબાણીનું બૉલીવુડ સાથે ખાસ કનેક્શન રહ્યું છે. કારણ કે એમની પત્ની ટીના અંબાણી પોતે એક જમાનામાં બોલીવુડની એક જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. ટીના એક ગુજરાતી જૈન પરિવારમાંથી આવે છે. અનિલ અને ટીનાની લવ સ્ટોરી એક ફિલ્મથી જરાય ઓછી નથી.
ટીના અંબાણી અને અનિલ અંબાણીની મુલાકાત સાવ અજાણ્યાંની જેમ જ થઈ હતી. ધીમે ધીમે એ લોકો એકબીજાને મળવા લાગ્યા અને બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા એમને ખબર જ ન પડી. જોકે બંને ની પ્રેમ કહાનીમાં ઘણી ચડઉતર પણ થઈ હતી. પણ બંનેએ એ બધી તકલીફોને પાર કરી અને આજે બંને ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. બંનેની મુલાકાત એક લગ્ન પ્રસંગે થઈ હતી. અનિલ અંબાણી એ ટીના મુનિમને પહેલીવાર જોઈ હતી અને એ ટીનાના દિવાના થઇ ગયા હતા. પણ અનિલનો પરિવાર ટીના સાથેના એમના લગ્નની વિરોધમાં હતો. કારણ કે એ લોકોને ટીનાનું અભિનેત્રી હોવું જરાય પસંદ નહોતું.
પરિવારના ઇન્કારના કારણે બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. પછી વર્ષ 1989માં અમેરિકામાં ભૂકંપ આવ્યો એ પછી ટીના અને અનિલ અંબાણી હંમેશા માટે એકબીજાના થઈ ગયા. વેટ જાણે એમ હતી કે અમેરિકાના લોસ એન્જીલેસમાં ભૂકંપ આવ્યો હતો અને એ વખતે ટીના ત્યાં જ હતી. એવામાં અનિલ અંબાણીએ ટીના મુનિમનો નંબર શોધ્યો અને એમને ફોન કરીને એમના હાલચાલ પૂછ્યા એ પછી બંનેની વાતચીત ફરીથી શરૂ થઈ ગઈ.
અને આખરે અનિલ અંબાણીની જીદ સામે એમના પરિવારે હાર માની લીધી. અને અનિલ અંબાણીનો પરિવાર આખરે લગ્ન માટે તૈયાર થઈ ગયો અને 1991માં અનિલ અંબાણી અને ટીના મુનિમના લગ્ન થઈ ગયા. ટીનાએ 35થી વધારે બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે પણ લગ્ન પછી એમને બૉલીવુડ અને ગ્લેમરની દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું
ટીના ઘણા ઇન્ટરવ્યૂમાં એવું કહેતી રહે છે કે એમના પતિ અનિલે એમને આજ સુધી કોઈપણ વસ્તુ માટે રોકટોક નથી કરી અને એવું કઈ જ નથી એમના જીવનમાં જે એમને જોઈતું હતું અને એમને મળ્યું નથી. ટીના મુનિમ અને અનિલ અંબાણીની કહાની કોઈ પરીઓની કહાનીથી જરાય ઓછી નથી.તમને જણાવી દઈએ કે ટીના અને અનિલને બે દીકરા છે જેમના નામ છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ