જલ્સા કરોને જેંતીલાલ

આમળામાંથી આ રીતે બનાવો ચૂર્ણ, દૂર થઇ જશે ડાયાબિટીસ…

બજારમાં આવી ગયા છે લારીઓ ભરીને આંબળા, જાણીલો, ડાયાબીટીસમાં થશે અઢળક ફાયદો

આંબળા એ એક કુદરતી ઔષધી છે આયુર્વેદમાં તેના સ્વાસ્થ્યવર્ધક અઢળક ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે. તે શરીરને આંતરિક તેમજ બાહ્ય રીતે પુષ્કળ લાભો પહોંચાડે છે. તે તમારી ત્વચા સુંદર બનાવે છે તો વાળ પણ કાળા અને ઘેરા બનાવે છે.

image source

આમ તો આંબળાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે પણ ડાયાબીટીસ માટે તે એક ઉત્તમ ઔષધી છે. તો ચાલો જાણીએ કે આંબળા ડાયાબીટીસમાં કેવી રીતે ફાયદાકારક છે.

ડાયાબિટિસને કુદરતી રીતે અંકુશમાં લાવવા આંબળાનો ઉપયોગ કેવી રીતે કરવો

image source

આંબળાની એક ખાસીયત છે કે તેને તમે કોઈ પણ સ્વરૂપે લઈ શકો છો. તેને તમે તાજા જ ખાઈ શકો છો, તેને મીઠાના પાણીમાં પલાળીને ખાઈ શકો છો તેનો મુરબ્બો બનાવી શકો છો તેને સુકવીને તેનું ચુરણ બનાવી શકો છો. અને તેમ છતાં તેના ગુણોમાં કોઈ જ ફરક નહીં પડે. માટે તમે તેને કોઈ પણ રીતે લઈ શકો છો. જો કે ડાયાબીટીસ પેશન્ટે ખાંડવાળી આંબળા કેન્ડી ન ખાવી જોઈએ.

આંબળાની સિઝન હોય કે ન હોય તે તમને પાઉડર સ્વરૂપે કોઈપણ કરિયાણાની દુકાન અથવા આયુર્વેદની દુકાને મળી રહે છે. બાકી તમે શિયાળામાં ફ્રેશ આંબળાનું સેવન પણ કરી શકો છો. આંબળાનું સંપુર્ણ સત્વ જો તમારે મેળવવું હોય તો તમારે આંબળાનો તાજો જ્યુસ રોજ સવારે પીવો જોઈએ. આ સિવાય તમે તમારા રોજિંદા ખોરાક પર આંબળાનો પાઉડર પણ છાંટી શકો છો. તેનાથી તમને આંબળાની ફ્લેવર પણ મળશે અને તેના ગુણો પણ મળશે.

image source

રોજ આંબળાના ચૂરણનું સેવન શરીરમાં રહેલા ગ્લુકોઝના સ્તરને નીચુ લાવે છે તેનાથી માત્ર ડાયાબીટીસ રોકી જ નથી શકાતો પણ તેના નિયમિત સેવનથી ડાયાબીટીસને કંટ્રોલમાં પણ લાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version