જલ્સા કરોને જેંતીલાલ

અમિતાભ બચ્ચનના આ ટ્વિટથી ફ્રેન્સ પડી ગયા ચિંતામાં, જાણો કેમ

મધ રાત્રે અમિતાભ બચ્ચને કર્યું કંઈક આવું ટ્વીટ – ફેન્સમાં ફરી વળ્યું ચિંતાનું મોજું

બોલીવૂડ બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા તેમજ પોતાના બ્લોગ દ્વારા હંમેશા ફેન્સને પોતાના વિષે કોઈને કોઈ ખબર આપતા રહે છે અને ફેન્સ સાથેનો સંપર્ક તાજો રાખે છે. અવારનવાર તેઓ ઇન્સ્ટાગ્રામ કે પછી ફેસબુક પર પોતાની તેમજ પોતાના કુટુંબના સભ્યોની તસ્વીરો શેર કરે છે. પોતાના પિતા કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતાઓ પણ તેઓ અવારનવાર શેર કરતા હોય છે.

image source

છેલ્લા ઘણા સમયથી અમિતાભ બચ્ચનને પોતાની તબિયતના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને ત્યાંથી પણ તેઓ પોતાના ફેન્સને પોતાના સમાચાર આપવાનું ચુકતા નથી. થોડા સમય પહેલાં અમિતાભે રાત્રે ત્રણ વાગે એવું ટ્વીટ કર્યું કે તેમના ચાહકો ચિંતામાં પડી ગયા.

અમિતાભે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ ઇસ્ટાગ્રામ અને ટ્વીટર પર પોતાની એક તસ્વીર શેર કરી જેમાં તેમણે સ્ટાઇલીશ ચશ્મા પહેર્યા છે, તેમણે રાત્રે ત્રણ વાગે આ ફોટો શેર કરીને લખ્યું છે કે આ ચશ્માની ફેશન કોણે બનાવી છે. જેણે પણ બનાવી છે ખૂબ ફેશન બનાવી છે. આંખની આસપાસ ઉંમરને કારણે જે અસર થઈ છે તે બધી જ આની પાછળ છુપાઈ જાય છે.

અમિતાભના આ ટ્વીટનો ઘણા ફેન્સે રમૂજી પ્રતિસાદ આપ્યો હતો તો વળી કેટલાકે તેમની ઉંમરની ચિંતા વ્યક્ત કરી હતી. એક ફેને લખ્યું હતું બીગ બી ઉંમર તો તમારા માટે માત્ર એક નંબર છે. તો વળી બીજા ફેને લખ્યું હતું શું તમે સુતા નથી ? તો વળી ત્રીજા ફેને તેમની તબિયતની ચિંતા કરતાં અમિતાભને સલાહ આપી કે તેમણે તેમની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ.

આ પહેલાં પણ અમિતાભની આંખો સાથે જોડાયેલા કેટલાક સમાચારે તેમના ફેન્સને ચિંતિત કરી મુક્યા હતા. તે વખતે તેમણે પોતાની આંખમાં કોઈ કાળો ડાઘ હોવાની વાત સોશિયલ મિડિયા પર કરી હતી. તેમણે જણાવ્યું હતું ડોક્ટરે કહ્યું છે કે ઉંમરની સાથે સાથે તમારા આંખનો સફેદ ભાગ ઘસાવા લાગે છે. તેમણે આ વાત શેર કરતી વખતે પોતાના માતાને પણ યાદ કર્યા હતા. કે બાળપણમાં આંખમાં કંઈક વાગ્યું હોય તો મા પાલવનો છેડો લઈ તેને ફુંક મારીને આંખો પર લગાવી દેતી હતી અને તેનાથી રાહત થઈ જતી હતી, પણ હવે આરામ ક્યાંથી ? તે વખતે પણ ફેન્સે તેમની તેમના સ્વાસ્થ્યને લઈને ચીંતા વ્યક્ત કરી હતી.

image source

અમિતાભના સ્વાસ્થ્યમાં અવારનવાર અડચણો આવતી રહે છે અને તેમને હોસ્પિટલમા દાખલ કરવા પડે છે તેમ છતાં તેમણે પોતાના કામને જરા પણ ઓછું નથી થવા દીધું. તેઓ અવારનવાર એડવર્ટાઇઝમેન્ટમાં પણ જોવા મળે છે અને ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે. હાલ તેઓ રનબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહ્યા છે તો આયુષ્માન ખુરાના સાથે ગુલાબો સિતાબોમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તેઓ સાઉથની પણ એક ફિલ્મ કરી રહ્યા છે. તેમના ફેન્સ તો તેવું જ ઇચ્છે છે કે તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે અને ફિલ્મોમાં તેમને જોવાનો લાહવો પણ મળતો રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version