અમિતાભ બચ્ચનની ફિલ્મ પસંદ ના આવતા પત્ની જયા બચ્ચનનું હોય છે કંઇક આવું રિએક્શન, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર મોટા પડદાના જ નહીં, પરંતુ નાના પડદા પણ મહાનાયક છે. દુનિયા એમ જ તેના અભિનયના વખાણ નથી કરતી પરંતુ તેમની પાછળ તેમની સખત મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિ શામેલ છે. અમિતાભ જે ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મ હિટ જવાનું નક્કી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે તેની ફિલ્મો તેમના ચાહકોને ગમતી હોય છે, તો બીજી તરફ, અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનને તેની બધી ફિલ્મો પસંદ નથી આવતી. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના જીવનનું આ મોટું રહસ્ય દર્શકો સામે ખોલ્યું. તો ચાલો જાણીએ કે જ્યારે અમિતાભની ફિલ્મો જયા બચ્ચનને પસંદ નથી આવતી ત્યારે તેમની કેવી પ્રતિક્રિયા હોય છે.

પત્ની જયા બચ્ચનનું રિએક્શન કેવુ હોય છે

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને સોની એન્ટરટેઈનમેન્ટ ચેનલ પર ફરી એક વાર શરુ થયેલા ‘કૌન બનેગા કરોડપતિ’ શો દરમિયાન જણાવ્યું કે તેમની ફિલ્મ પસંદ ન આવે ત્યારે તેમની પત્ની જયા બચ્ચનનું રિએક્શન કેવુ હોય છે. તમને જણાવી દઈએ કે લગભગ એક દાયકાથી અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિ દર્શકોમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. જણાવી દઈએ કે વર્ષ 2000 માં સ્ટાર પ્લસ પર શરૂ થયેલા આ શો એ ઘણી વાહવાહી મેળવી છે અને ત્યારથી લઈને આજ સુધી આ શો સતત લોકોની પહેલી પસંદ રહ્યો છે.

ટીઆરપીમાં કોઈ ઘટાડો થયો નથી.

image source

ઉલ્લેખનીય છે કે કૌન બનેગા કા કરોડપતિની વચ્ચેની બે સીઝન અભિનેતા શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી પરંતુ તેમને અમિતાભ જેટલી સફળતા મળી ન હતી અને એક સિઝન કર્યા બાદ શાહરૂખે આ ગેમ શોને અલવિદા કરી દીધો. તમને જણાવી દઈએ કે ચેનલની ઘણી વિનંતી બાદ અમિતાભે ફરી એકવાર આ શોની કમાન પોતાના હાથમાં લીધી હતી અને ત્યારથી આજ સુધી આ શો સતત ચાલી રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ શો ભલે સ્ટાર પ્લસથી સોની પર આવી ગયો પરંતુ ટીઆરપીમાં કોઈ ઘટાડો થયો નથી.

જયા બચ્ચનને તેની બધી ફિલ્મો પસંદ નથી આવતી

image source

અમને જણાવી દઇએ કે આ શોનું પ્રસારણ ફરી એકવાર સોની એન્ટરટેનમેન્ટ ચેનલ પર શરૂ થયું છે. આ શોના ટેલિકાસ્ટ દરમિયાન અમિતાભ બચ્ચને ભૂતકાળમાં તેમના દિલની એક વાત શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેમની પત્ની જયા બચ્ચનને તેની બધી ફિલ્મો પસંદ નથી આવતી. તમને ઝણાવી દઈએ કે 56 વર્ષીય અંજુલા ભટનાગર સાથેની વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું હતું કે જયારે જયાજીને તેની કોઈ ફિલ્મ પસંદ આવે છે, ત્યારે તે કંઇ બોલતી નથી પરંતુ સંપૂર્ણ રીતે મૌન થઈ જાય છે પરંતુ બીજી બાજુ જો તેને અમિતાભની ફિલ્મ પસંદ નથી ત્યારે તે ઘણું બધુ કહે છે.

જ્યારે જયા બચ્ચને કહ્યું, આ બધું શું છે

image source

અમિતાભ બચ્ચને એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેમની ફિલ્મ ‘લાવારીસ’ રિલીઝ થઈ હતી ત્યારે તેમના એક ગીત ‘મેરે અંગનેમે તુમ્હરા ક્યા કામ હૈ’ દરમિયાન સાડી પહેરવી પડી હતી અને તે દ્રશ્ય જોઇને જયા બચ્ચને અમિતાભને કહ્યું હતું તે તમને આ સારૂ નથી લાગતું, આ બધું શું છે. ત્યાર પછી અમિતાભ તેમને મનાવવા માટે ઘણીવાર આ ગીત વગાડતા હતા અને જીસકી બીવી છોટી લાઈન આવતા જ તે તેની પત્નીને ખોળામાં ઉચકી લેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ