થોડા દિવસ પહેલા બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાન પોતાના ડિવોર્સને લઈને ચર્ચામાં છવાયેલા હતા. આમિર ખાને લગભગ 15 વર્ષ પછી પત્ની કિરણ રાવથી અલગ થવાની જાહેરાત કરી હતી. . તો આ ખબરો પછી હાલમાં જ એમની પહેલી પત્ની રીના દત્તાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આ દરમિયાન એ પોતાની દીકરી આઇરા ખાનની સાથે કારમાં બેઠેલી દેખાઈ રહી છે. ફોટા જોઈને કહી શકાય છે કે રીના દત્તા પોતાની દીકરી આઇરા ખાન સાથે કોઈ મુસાફરીનો આનંદ લઈ રહી છે. આ ફોટામાં બન્ને માઁ દીકરી હસતા હસતા ખૂબ જ સુંદર દેખાઇ રહ્યા છે.
આ ફોટાને આઇરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તો આ ફોટાની સાથે આઇરા ખાને પોતાની માતા માટે ખાસ પોસ્ટ પણ લખી છે. આ પોસ્ટમાં આઇરા ખાન લખે છે કે હું મારી માતા સાથે પણ વાત કરું છું કે મને કેવું લાગે છે. અને સામાન્ય રીતે મારી વસ્તુઓ ટાઈપ કરીને જણાવવી પડે છે કારણ કે આ વાતોનો વ્યક્તિગત રીતે કરતી વખતે હું બહુ રડું છું.
આઇરા ખાને એ સિવાય પોતાની એક સેલ્ફી પણ શેર કરી છે અને કનફર્ટ જોનની બહાર નીકળવા વિશે વાત કરી છે. એમને લખ્યું છે કે પોતાના કનફર્ટ ઝોનની બહાર નીકળવું હંમેશા સારું નથી લાગતું અને ક્યારેક ક્યારેક એવું કંઈ મહેસુસ પણ નથી થતું. તમને એવું લાગે છે આ એન્ટીકલાઈમેટિક હતું. પણ આ તમારી જિંદગીને નથી બદલતું. મોટાભાગના સમયમાં અહીંયા એક નાનું પગલું અને નાની વાત હોય છે, હે ને?
સોશિયલ મીડિયા પર આઇરા ખાનની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ એમની પોસ્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાની માનસિક સ્વાસ્થ્યને લઈને આગાત્સુ ફાઉન્ડેશનની પણ શરૂઆત કરી છે. એમાં એ પિંકી પ્રોમિસ ટુ મી દ્વારા પોતાની જિંદગીનો ખાસ અનુભવ પણ શેર કરતી રહે છે.
તમને જણાવી દઈએ કે કિરણ રાવ સાથે લગ્ન કરતા પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને આમિર ખાને 15 વર્ષના લગ્નજીવન પછી રીના દત્તા સાથે ડિવોર્સ લીધા હતા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong