જલ્સા કરોને જેંતીલાલ

આ મહિનામાં જન્મેલા બાળકો હોય છે બહુ બુદ્ધિશાળી, સાથે હોય છે આટલા બધા ગુણો પણ….

ભારતમાં જ્યોતિષ શાસ્ત્રનું અનોખુ મહત્વ છે. લોકો સદીઓથી જ્યોતિષ શાસ્ત્રામાં શ્રદ્ધા ધરાવે છે. ગ્રહ, નક્ષત્ર, જન્મનો સમય આ બધાને આધારે જ્યોતિષાચાર્યો લોકોને જીવનને લઈને ભવિષ્યવાણી કરતા હોય છે. તો આજે આપણે આ લેખમાં જાણીશું કે ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા બાળકો કેવા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા જાતકોમાં અનોખી આકર્ષણ શક્તિ હોય છે.

image source

તેમનામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક તેમની આંતરીક શક્તિ અને બીજી ગ્રહણ કરવાની ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહેવામાં આવે છે. નોંધનિય છે કે, તેમનામાં એક જુદા પ્રકારની વિચિત્રતા પણ જોવા મળે છે. જેમ કે જ્યારે તે લોકો ખુશ થાય છે ત્યારે એટલા ખુશ થાય છે કે તેમની ખુશી કંટ્રોલમાં રહેતી નથી અને જ્યારે તેઓ દુ:ખી થાય છે ત્યારે તેમની હાલત એવી થાય છે કે તેમનીની આજુબાજુ શુ ચાલી રહ્યુ છે તેની પણ તેમને ખબર રહેતી નથી.

તેમનો સ્વાભવ અત્યંત નાના બાળક જેવો હોય છે

image source

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકોને સમજવા ખૂબ જ અઘરા છે તેઓ ક્યારે કંઈ વાતમાં ખોટુ લગાડી લે તે કહી ન શકાય. જો કે બીજી તરફ તેમના મિત્રો વધુ હોય છે. દરેક ઉમર અને દરેક ફિલ્ડના લોકો તેમની સાથે ભળી જાય છે, જો કે વાતનું બીજી પાસુ છે કે, તેમની સાથે મિત્રતા કેટલો સમય ચાલશે તે કહી ન શકાય. તેમનો સ્વાભવ અત્યંત નાના બાળક જેવો હોય છે તેઓ ક્યારે કોનાથી રિસાઈ જાય તે કહી ન શકાય.

લોકો તેમની સાથે રમત રમી જાય છે

image source

તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકોને કારકિર્દીમાં મુશ્કેલી આવે છે. જેને લીધે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તે બધા લોકો પર તુરંત વિશ્વાસ કરી લે છે જેના કારણે લોકો તેમની સાથે રમત રમી જાય છે. તો તેમના જીવનનું બીજુ પાસુ એ છે કે આ લોકો ખર્ચ કરવાની બાબતમાં ક્યારેય અચકાતા નથી અને છુટ્ટાહાથથી પૈસા વાપરે છે જેથી તેમની લાઈફમાં બચત થઈ શકતી નથી. તો બીજી તરફ અમુક લોકો જો નાની એવી બચત કરશે તો પણ આખા ગામમાં ઢંઢેરો પીટશે.

લોકો તેમના વ્યક્તિત્વથી અંજાઈ જાય છે

image source

સૌથી મહત્વની વાત છે કે, ફેબ્રુઆરીમાં જન્મેલા બાળકો મોટા થઈને શિક્ષક, કમ્પ્યુટર વિશેષજ્ઞ, ડોક્ટર, લેખક કે નેતા બનતા હોય છે. તો બીજી તરફ આ લોકો બીજા ક્ષેત્રમાં સક્સેસ થવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. તેમના માટે સૌથી મુશ્કેલીના વાત એ છે કે તેમને ભાગ્યનો સાથ ઓછો મળે છે.

image source

એક વાત એ પણ છે તે તેમને તેમની મહનતના પ્રમાણમાં ધન દોલત અને પદ પ્રતિષ્ઠા મળતી નથી. તેમનામાં સૌથી મોટી ખાસિયત એ હોય છે કે તેઓ સામે વાળી વ્યક્તિને તુરંત જ પોતાના વશમાં કરી લે છે. લોકો તેમના વ્યક્તિત્વથી અંજાઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version