જલ્સા કરોને જેંતીલાલ

જો તમારા સ્તનમાં દેખાય આ પ્રકારના ફેરફાર તો તુરંત જ ડોક્ટરની સલાહ લો, હોઈ શકે છે સ્તન કેન્સર

ભારતમાં દર આઠમાંથી એક મહિલા સ્તન કેન્સરની પ્રભાવિત છે. નિષ્ણાતો કહે છે કે સ્તન કેન્સર એ રોગના તમામ પ્રકારોમાં સૌથી સામાન્ય છે અને ભારતમાં તેનાથી પીડિત મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નીતિ બાગ ખાતે રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા ડો સજ્જન રાજપુરોહિત કહે છે કે શરીરના કોઈપણ ભાગમાં કોશિકાઓની અસામાન્ય અને અનિયંત્રિત વૃદ્ધિને કેન્સર કહેવામાં આવે છે. સતત વૃદ્ધિને લીધે, આ પેશીઓના ટુકડા લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે અને નવી જગ્યાએ વિસ્તરવાનું શરૂ કરે છે. આને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે.

image source

સ્તન કેન્સર ચેતવણીના લક્ષણો:

image source

શું સાવચેતી રાખવી

ઉપર જણાવેલ એક અથવા વધુ લક્ષણોને જોવા મળે તો તુરંત જ તેની તપાસ કરાવી લેવી જોઈએ. પ્રારંભિક તપાસમાં જ રોગની હકિકત સામે આવી જાય તો તેની સારવારમાં વધારે સમય લાગતો નથી. અને રિઝલ્ટ પણ ઝડપી મળે છે.

કારણ અને જોખમ

સ્તન કેન્સરનું વાસ્તવિક કારણ હજી જાણી શકાયું નથી. જો કે કેટલાક જોખમી પરિબળો સ્પષ્ટ છે જેમાં સ્તન કેન્સર થવાની સંભાવના છે અને આ જોખમો ધરાવતી મહિલાઓએ સતત ધ્યાન આપવું જોઈએ.

આ પરિબળો નીચે મુજબ છે.

image source

પારિવારિક ઇતિહાસ:

કૌટુંબિક ઇતિહાસનું જોખમ પરિબળ સૌથી મહત્વપૂર્ણ છે. સ્તન કેન્સર દર પેઠી દર પેઠી પ્રગતિ કરે છે. જો કોઈ સ્ત્રીના લોહીના સંબંધ ધરાવાતા વ્યક્તિમાં કેન્સર હોય તો તે સ્ત્રીને સ્તન કેન્સર થવાની શક્યતા બીજા કરતા ડબલ થઈ જાય છે.

કુટુંબમાં કોઈ અન્ય પ્રકારનું કેન્સર હોય :

માત્ર સ્તન કેન્સર જ નહીં, કુટુંબમાં કોઈપણને કેન્સરનો બીજો કોઇ પ્રકાર હોય, તો પણ સાવધ રહેવું જોઈએ.

કઈ ઉંમર વધુ ભય છે.

image source

50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે.

હોર્મોન્સ

સ્ત્રી

હોર્મોન એસ્ટ્રોજનનું વધુ પડતું સ્ત્રાવ સ્તન કેન્સર થવાનું જોખમ વધારે છે. ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ અને મેનેપોજ બાદ હોર્મોન રિપ્લેસમેન્ટ કરાવતી મહિલાઓને સ્તન કેન્સરનું જોખમ વધારે છે.

જાડાપણું અને આલ્કોહોલનું સેવન મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ પણ વધારે છે.

સ્તન કેન્સર નિવારણના ઉપાયો

સ્તન કેન્સરના કારણ અને જોખમ પરિબળ વિશે ખૂબ જ માહિતી અને જાગૃતિ પછી, ચોક્કસપણે ઘણી બધી રીતો છે કે જેનાથી આ રોગને ટાળવો શક્ય છે.

ઓછો આલ્કોહોલ લેવાની સાથે કસરત અને આરોગ્યપ્રદ આહાર કેન્સર ફેલાવાનું જોખમ ચોક્કસપણે ઘટાડી શકે છે.

સ્તન કેન્સર માટે ઉચ્ચ જોખમ પરિબળવાળી સ્ત્રીઓમાં ટેમોક્સિફિનનો ઉપયોગ થાય છે.

મેનોપોઝ પછી ઓસ્ટિઓપોરોસિસની સારવાર માટે વપરાતી દવા અવિસ્ટા (રેલોક્સીફેન) નો ઉપયોગ સ્તન કેન્સર સામે રક્ષણ માટે પણ થાય છે.

ઉંચા જોખમવાળી સ્ત્રીઓમાં કેન્સરના ફેલાવાને રોકવા માટે ઓપરેશન દ્વારા સ્તન દૂર કરવામાં આવે છે.

સારવાર

ડો.સજ્જન રાજપુરોહિતે કહ્યું કે દરેક કેન્સરની જેમ, સ્તન કેન્સરની સારવાર પણ તેના પર આધાર રાખે છે કે આ રોગની જાણકારી ક્યા તબક્કે થઈ છે. સારવારમાં કીમોથેરાપી, રેડિયેશન અને શસ્ત્રક્રિયા હોય છે. શરૂઆતમાં જણાવ્યા મુજબ, જો તમે ઉચ્ચ જોખમના પરિબળમાં છો, તો પછી લક્ષણોની તપાસ કરતા રહેશો. આ રોગની પ્રારંભિક તપાસ સૌથી વધુ પુન:રિકવરી પ્રાપ્તિ તરફ દોરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version