એલોવેરાનો ઉપયોગ દરેક તેમના ચેહરાને સુંદર અને બેદાગ બનાવવા માટે કરે છે, એલોવેરા ત્વચા માટે તો ફાયદાકારક છે જ સાથે એ આપણા વાળને મજબૂત બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે. વાળ ખરવા અને તૂટી જવા એ આજકાલ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા રોકવા માટે, લોકો વિવિધ પ્રકારના મોંઘા ઉત્પાદનો ખરીદે છે. પરંતુ તેમની અસર ફક્ત ટૂંકા સમય માટે જ જોવા મળે છે, ત્યારબાદ સ્થિતિ વધુ વિકટ થવા લાગે છે.
જો તમે પણ આ રીતે બધી ખર્ચાળ પ્રોડક્ટ્સ અજમાવી છે, તો પછી એલોવેરાનું આ તેલ અજમાવો. એલોવેરાને આયુર્વેદમાં ઔષધીય છોડ માનવામાં આવે છે. તે ત્વચા અને વાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે. એલોવેરા તેલ ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. તેલ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો.
1. જો તમારા વાળ વધતા નથી, તો એલોવેરા તેલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તેલને વાળના મૂળમાં લગાવવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે, સાથે વાળની વૃદ્ધિ પણ સારી રહે છે.
2. જો વાળ વધારે પડતા જાય તો પણ આ તેલ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર વિટામિન એ, સી અને ઇ વાળ ખરતા અટકાવે છે અને કોષોને મજબૂત બનાવે છે.
3. ઘણા અભ્યાસોમાં એ વાત બહાર આવી છે કે એલોવેરા ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યામાં રાહત આપે છે. આવી સ્થિતિમાં જો તેના તેલનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
જાણો એલોવેરા તેલ બનાવવાની રીત –
એલોવેરા તેલ બનાવવું ખૂબ જ સરળ છે, કોઈપણ તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકે છે. સારી બાબત એ છે કે તે ખૂબ ખર્ચાળ પણ નથી. આ તેલ બનાવવા માટે, એલોવેરાના તાજા પાન લો અને અડધો કપ નાળિયેર તેલ લો. એલોવેરાના તાજા પાંદડા પહેલા સાફ કરો. આ પછી, તીક્ષ્ણ છરીથી કાળજીપૂર્વક પાંદડાઓના બાહ્ય પડને કાપો. હવે તેમાંથી એલોવેરા જેલ કાઢો અને તેને બાઉલમાં નાંખો. ત્યારબાદ તેમાં નાળિયેર તેલ ઉમેરીને મિક્સ કરો. તેને બરાબર મિક્સ કર્યા પછી, તેને એક શીશીમાં ભરો અને સામાન્ય તેલની જેમ વાળ પર આ તેલનો ઉપયોગ કરો.
તમે એલોવેરા જેલમાં ઓલિવ તેલ, જોજોબા તેલ, એરંડા અથવા નાળિયેર તેલ ઉમેરી શકો છે. પરંતુ જો તમે તમે તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરો તો તે વધુ સારું છે. કારણ કે નાળિયેર તેલ દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતું સરળ તેલ છે. એલોવેરા અને નાળિયેર તેલ બંને વિટામિન અને ખનિજોથી ભરપૂર હોવાથી, તેનું મિશ્રણ તમારી ત્વચા અને વાળના કોષો પર વધુ ફાયદાકારક છે. આ તેલ લગાવવાથી ત્વચા પણ ગ્લોઈંગ બને છે અને સાથે સાથે ફાઇન લાઈન પણ દૂર થાય છે. વાળ અને માથાની ચામડી પર તેનો ઉપયોગ કરવાથી તે મજબુત થાય છે અને ડેન્ડ્રફથી પણ રાહત મળે છે.
ત્વચા માટે ફાયદાકારક
જો તમે દરરોજ તેલ નથી લગાવી શકતા, તો ઓછામાં ઓછું તેને અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ સૂતા સમયે લગાવો. થોડા દિવસોમાં ફાયદો જોવા મળશે. વાળ સિવાય આ તેલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ તમારા ચહેરા અથવા શરીર પર મોસ્ચ્યુરાઇઝર તરીકે કરી શકો છો. આ ત્વચાને તેજસ્વી બનાવશે અને ત્વચા પર રહેલા કોઈપણ ડાઘ દૂર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત