અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનની આલિયા-રણબીરની તસ્વીરો તેમજ વિડિયો થઈ રહી છે વાયરલ
રાજકપૂરની દીકરી રીમા જૈનના દીકરા અને અભિનેતા અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના રોકાથી લઈને તેના વેડિંગ રિસેપ્શનની તસ્વીરોથી આખુંએ સોશિયલ મિડિયા ઉભરાઈ રહ્યું છે. આ લગ્નમાં બોલીવૂડના જાણીતા સિતારાઓ તેમજ મુંબઈની જાણીતી હસ્તીઓ જોવા મળી હતી.
પણ લગ્નની વિધીમાં અરમાન જૈનના નજીકના કઝીન બ્રધરનું કુટુંબ જ જોવા નહોતું મળ્યું અને તે હતું રણબીર કપૂરનું ફેમિલી. વાસ્તવમાં રણબીરના પિતા ઋષી કપૂરની તબિયત બગડી હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આખું કુટુંબ તેમની સેવામાં લાગેલું હતું.
છેવટે લગ્નના છેલ્લા પ્રસંગ એટલે કે અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનમાં રણબીરે પોતાના માતા નીતૂ કપૂર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે હાજરી આપી હતી. આલિયા અને રણબીર જ્યારે જ્યારે પણ એકબીજા સાથે જાહેરમાં જોવા મળે છે ત્યારે ત્યારે સોશિયલ મિડિયા પર તેમની તસ્વિરો વાયરલ થવા લાગે છે. આ વખતે પણ તેવું જ થયું હતું. આ બન્નેએ ટ્રેડિશનલ અવતારમાં અરમાનના રીસેપ્શનમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે નીતૂ કપૂર પોતાની નણંદ રીમા જૈન એટલે કે દુલ્હેરાજા અરમાન જૈનની માતા સાથે વાતો કરતી જોવા મળી હતી તો રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે પાપારાઝીને પોઝ આપતો જોવા મળ્યો હતો. તો ચાલો તમને પણ બતાવીએ આલિયા અને રણબીરની વણજોઈ તસ્વીરો.
આ તસ્વીરમાં તમે રણબીર કપૂર આલિયા ભટ્ટ અને રણબીરની માતા અને પૂર્વ બોલીવૂડ અભિનેત્રી નીતૂ કપૂરને જોઈ શકો છો. રણબીરે બ્લૂ શેરવાની અને ટ્રાઉઝર પહેર્યા છે તો નીતૂ કપૂર બ્લૂ એન્ડ ગ્રીન પંજાબી સૂટ કે પછી શરારામાં જોવા મળ્યા છે તો આલિયા ભટ્ટ પિંક એન્ડ ગ્રે લહેંગામાં રેસેપ્શનમાં જોવા મળી હતી.
આ ઉપરાંત બીજી એક સેલ્ફી પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમા રણબીર અને આલિયા ખુશી ખુશી એકબીજા સાથે સેલ્ફી લઈ રહ્યા છે. તો ત્રીજી એક વિડિયોમાં આલિયા અને રણબીર સાથે રીમા જૈન જોવા મળી રહ્યા છે. જેમાં તેણી આલિયા ભટ્ટ સાથે વાત કરી રહી છે. કદાચ તેને લગ્નમાં નહીં આવવા બદલ ઠપકો આપી રહી હોય.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે રણબીર અને આલિયાએ ઋષી કપૂરને હોસ્પિટલમા દાખલ કરતાં દીલ્લી દોડી જવું પડ્યું હતું. અને તે વખતની રણબીર, નીતૂ કપૂર અને આલિયા ભટ્ટની હોસ્પિટલની મુલાકાતની એક વિડિયો પણ વાયરલ થઈ હતી. ત્યાર બાદ તેમને મુંબઈના એરપોર્ટ પર પ્રસન્ન મુદ્રામાં જોવામાં આવ્યા હતા.
થોડા સમય પહેલા આલિયાને પોતાના રણબીર સાથેના સંબંધ વિષેય પુછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું હતું, ‘હું આને સંબંધ ન કહી શકું પણ હા મિત્રતા કહી શકું. હું આ સંપૂર્ણ પ્રામાણિકતાથી કહી રહી છું. આ એક સુંદર મિત્રતા છે. હું હાલ આકાસમાં ઉડી રહી છું.
અહીં સૌથી સારી વાત એ છે કે અમે બે અલગ અલગ વ્યક્તિઓ છે જેઓ પોતાના વ્યાવસાયિક જીવનને અલગ રીતે સંપૂર્ણપણે જીવી રહ્યા છે. તે પણ સતત શૂટિંગ કરી રહ્યો છે અને હું પણ. એવું નથી કે તમે અમને બન્ને હંમેશા સાથે જ જુઓ. એક અનુકુળ સંબંધની આ એક સાચી નીશાની છે. ક્યાંક નજર ના લાગી જાય !’ આમ આલિયાએ પોતાના રણબીર સાથેના સંબંધનો સ્વિકાર તો કરી જ લીધો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ