આલિયા-રણબીરના લગ્ન આ શહેરમાં થશે 8 મહિના પછી, જાણો કેમ નહિં કરે ડેસ્ટિનેશન મેરેજ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

image source

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રીલેશનશીપની ચર્ચા આખી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગઈ છે. કેટલીક ખબર મુજબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલ્દી જ મેરેજ કરવાના છે. પરંતુ તેમના મેરેજને લઈને એક નવી અપડેટ ખબર સામે આવી છે કે, દેશમાં કોરોના વાયરસના લોકડાઉનના કારણે બંનેના મેરેજ ટાળી દેવામાં આવ્યા છે અને હવે આ વર્ષના ડીસેમ્બર મહિનામાં મુંબઈમાં જ થવાના છે તેવું નક્કી થયું છે.

મીડ-ડેની એક રીપોર્ટ મુજબ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પરિવારે એકસાથે મળીને આ નક્કી કરી રહ્યા છે કે, રણબીર અને આલીયાના મેરેજ આ વર્ષે ડીસેમ્બર મહિનાના છેલ્લા દસ દિવસોમાં રાખવામાં આવે. કેટલીક તો એવી પણ ખબર આવી રહી છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના મેરેજ પહેલા એક ડેસ્ટીનેશન વેડિંગ થવાના હતા.

image source

પરંતુ હવે બન્ને પ્રવર તેઓના મેરેજ મુંબઈમાં જ કરવાના પ્લાનિંગ કરી રહી છે. રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરનું સ્વાસ્થ્ય પણ હવે પહેલા કરતા સારું છે. સેલિબ્રેશન માટે હવે બધા તૈયાર પણ છે.

જાણકારી મુજબ ૨૧ ડીસેમ્બરના રોજથી લગ્નના રીત-રીવાજો શરુ કરવામાં આવશે, આ રીત-રીવાજો આગળના ચાર દિવસ સુધી ચાલશે. પરંતુ આ તારીખ પણ હજી સુધી નક્કી નથી કરવામાં આવી એટલા માટે તારીખ બદલાઈ પણ શકે છે.

image source

લોકડાઉનની વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકસાથે રહી રહ્યા છે. જેનો એક વિડીયો પણ વાઈરલ થયો હતો, આ વિડીયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે રણબીર કપૂરનો ડોગ પણ જોવા મળ્યો હતો. આ વિડીયો જોઇને રણબીર અને આલીયાના ફેંસ ખુબ જ ખુશ થયા હતા અને તેમણે આલિયા અને રણબીરને ક્યુટ લવ બર્ડ્સ જણાવી રહ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો હતો.

રીપોર્ટસ મુજબ, આલિયા અને રણબીર મેરેજ પછી કપૂર ખાનદાનના ૪૦ વર્ષ જુના ઘરમાં પહેલી પૂજા થશે. ઋષિ કપૂર અને નીતુ કપૂરએ કૃષ્ણરાજ પ્રોપર્ટીના એક ભાગમાં તાત્કાલિક બાંધકામ કરાવાનું શરુ કરી દીધું છે.

image source

વર્ષ ૧૯૮૦માં ઋષિ કપૂર અને નીતુ કપૂરએ પાલીહિલમાં કૃષ્ણરાજ બંગલો ખરીદ્યો હતો, આ બંગલામાં તેઓ રણબીર અને રીધ્ધિમાની સાથે છેલ્લા ૩૫ વર્ષોથી રહી રહ્યા છે. એટલા માટે તેઓ ઈચ્છે છે કે, રણબીર અને આલીયાના મેરેજ પછીની પહેલી પૂજા કૃષ્ણરાજ બંગલોમાં સંપન્ન થાય. કપૂર ફેમિલીએ બંગલાની જગ્યાએ ૧૫ માળની ઉંચી બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લીધો છે.

image source

આમ તો, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને મોટાભાગે એકસાથે જ જોવા મળે છે. પણ ગયા વર્ષે ડીસેમ્બર મહિનામાં થયેલ કરીના કપૂર ખાનની ક્રિસમસ પાર્ટીના કેટલાક ફોટોઝ સામે આવ્યા હતા, જેમાં રણબીર, આલિયાને બાહોમાં લેતા જોવા મળી રહ્યા છે. આ પહેલીવાર જયારે રણબીર અને આલિયા આટલા નજીક જોવા મળ્યા.

આપને જણાવી દઈએ કે, આલિયા-રણબીર મે,૨૦૧૮માં થયેલ સોનમ કપૂરના મેરેજમાં એકસાથે જ પહોચ્યા હતા. ત્યાંથી જ બંનેના અફેરની ખબરો પર મહોર લગાવી દેવામાં આવી હતી.

image source

આપને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષના અંતમાં રીલીઝ થનાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પહેલીવાર એકસાથે જોવા મળવાના છે. આ ફિલ્મ ‘બ્રાહ્માસ્ત્ર’ ૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ રીલીઝ થઈ શકે છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનું ડાયરેકશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ