અક્ષય કુમારને ગે સમજતી હતી ડિમ્પલ કાપડિયા, ટ્વીનકલ ખન્ના સાથે લગ્ન માટે મૂકી હતી આ શરત.
કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે ઠપ થઈ ગઈ છે. આના કારણે લોકો ઘરે રહેવાની સાથે સાથે પોતાના મનપસંદ કલાકાર વિશે જાણવાની પણ કોશિશ કરી રહ્યા છે. હાલના સમયમાં અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાના લગ્ન વિશેના સમાચાર ભારે ચર્ચા માં છે.
તમને જણાવી દઈએ કે બૉલીવુડનું કપલ અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાની ગણના બોલીવુડના ટોપ કપલમાં કરવામાં આવે છે. બંને વચ્ચેના મેળને એમના ચાહકો ખૂબ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા જ એમના લગ્નને 19 વર્ષ પુરા થઈ ગયા. પણ બન્નેની મુલાકાત કેવી રીતે થઈ એ વાતને લઈને આજે પણ અમુક કિસ્સાઓ ખૂબ જ ચર્ચામાં છે.
શરૂઆતના દિવસોમાં અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાવવચ્ચે વધતા સંબંધોને લઈને ઘણી વાતો સામે આવી હતી.એવું કહેવામાં આવે છે કે ટ્વીનકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયા પોતાની દીકરીના લગ્ન અક્ષય કુમાર સાથે નહોતી કરવા માંગતી. અને એની પાછળનું કારણ એ હતું કે એ અક્ષય કુમારને ગે સમજતી હતી.
આ ખુલાસો કોફી વિથ કરણના શો માં થયો હતો અને ટ્વીનકલ ખન્ના એ આ વાત સાથે પોતાની સહમતિ પણ દર્શાવી હતી કે તેની માતા ડિમ્પલ કાપડિયા શરૂઆતના દિવસોમાં અક્ષય કુમારને ગે સમજતી હતી. અને એમને આવો વિચાર એમના એક જર્નલિસ્ટ મિત્રના કહેવા પર આવ્યો હતો. પણ પછીથી આ ભ્રમ તૂટી ગયો હતો.
અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાના લગ્ન વિશે પણ ઘણા કિસ્સા જાણીતા છે.એવું કહેવામાં આવે છે કે બંને ની બે વાર સગાઈ કરવામાં આવી હતી. પહેલીવાર જ્યારે અક્ષય કુમારે ટ્વીનકલ સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે ટ્વીનકલે એ પ્રસ્તાવને ટાળી દીધો હતો.
કારણકે એ સમયે ટ્વીનકલની ફિલ્મ મેલા રિલીઝ થવાની હતી. એમને વિશ્વાસ હતો કે એ ફિલ્મ હિટ જશે. ટ્વીનકલે અક્ષયને વચન આપ્યું હતું કે જો આ ફિલ્મ ફ્લોપ જશે તો એ અક્ષય સાથે લગ્ન કરી લેશે. અને ફિલ્મ સાચે જ ફ્લોપ થઈ પણ કોઈક કારણસર એ બન્ને ના લગ્ન ન થઈ શક્યા.
બીજીવાર ટ્વીનકલની માતા ડિમ્પલ કાપડીયાએ લગ્ન રોકી દીધા હતા.કેમ કે એ ઇચ્છતી હતી કે પહેલા એ બન્ને એકબીજા સાથે થોડો સમય પસાર કરે અને પછી એકબીજા સાથે લગ્નનો નિર્ણય કરે.એમના કહેવા મુજબ અક્ષય અને ટ્વીનકલે એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું અને પછી લગ્ન અંગેનો નિર્ણય લીધો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ