માત્ર આટલા કારણથી થઈ ગયો ભયંકર હત્યાકાંડ, 100 દિવસમાં 8 લાખ લોકોની થઈ હત્યા, અહીં જાણો પુરી કહાની

માત્ર આટલા કારણથી થઈ ગયો ભયંકર હત્યાકાંડ, 100 દિવસમાં 8 લાખ લોકોની થઈ હત્યા, અહીં જાણો પુરી કહાની

વિશ્વના ઇતિહાસમાં આવા અનેક હત્યાકાંડ થયા છે જેને ભાગ્યે જ ભૂલી શકાય છે. આવો જ એક હત્યાકાંડ આશરે 25 વર્ષ પહેલા થયો હતો, જેમાં એવું કહેવામાં આવે છે કે લગભગ 100 દિવસ ચાલેલા ભયાનક હત્યાકાંડમાં એક કે બે નહીં પરંતુ આઠ લાખ લોકો માર્યા ગયા હતા. તેને ઇતિહાસનું સૌથી ભયાનક હત્યાકાંડ કહેવું ખોટું નહીં ગણાય. આ હત્યાકાંડની શરૂઆત પાછળની એક કહાની ચોંકાવનારી છે. તો ચાલો જાણીએ આ હત્યાકાંડ ક્યાં અને કેમ થયો, જેમાં લાખો લોકો માર્યા ગયા.

image source

કોણે હત્યા કરી એ હજુ પણ સાબિત નથી થયું

આફ્રિકન દેશ રવાન્ડામાં આ ભયાનક હત્યાકાંડ થયો હતો, જેની શરૂઆત 1994માં રવાન્ડાના રાષ્ટ્રપતિ જુવેનલ હબિયારિમાના અને બરુન્ડીના પ્રમુખ સિપ્રેનની હત્યાથી થઈ હતી. તેના વિમાનને જ ઉડાડી દેવામાં આવ્યું હતું. એના વિંમાનને કોણે ઉડાડી દીધું હતું એ રહસ્ય હજી સાબિત થયું નથી, પરંતુ કેટલાક લોકો રવાન્ડાના હુતુ ઉગ્રવાદીઓને તેના માટે જવાબદાર માને છે, જ્યારે કેટલાક માને છે કે રવાન્ડન પેટ્રિયાક ફ્રન્ટ (આરપીએફ) એ આ ખેલ કર્યો હતો. બંને રાષ્ટ્રપતિઓ હૂતુ સમુદાયના હોવાથી, હુતૂ ઉગ્રવાદીઓએ હત્યા માટે રવાન્ડા પેટ્રિઅક ફ્રન્ટને દોષી ઠેરવ્યો હતો. જો કે, આરપીએફનો આરોપ છે કે હુતૂ ઉગ્રવાદીઓએ જ આ વિમાન ઉડાડ્યું હતું કારણ કે તેમને હત્યાકાંડનું એક બહાનું મળી જાય.

image source

મર્ડર પાછળનું કારણ સાંભળીને થરથરવા લાગશો

ખરેખર જોવા જઈએ તો આ હત્યાકાંડ તુત્સી અને હુતૂ સમુદાયના લોકો વચ્ચેનો વંશીય સંઘર્ષ હતો. એવું કહેવામાં આવે છે કે 7 એપ્રિલ 1994થી લઈને 100 દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષમાં હુતૂ સમુદાયના લોકોએ તૂત્સી સમુદાયમાંથી આવતા તેમના પડોશીઓ, સંબંધીઓ અને તેમની પત્નીઓને પણ મારવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવે છે કે તુત્સી સમુદાય સાથે જોડાયેલી તેમની પત્નીઓની હત્યા કરનાર હુતૂ સમુદાયના લોકોએ તેમને ફક્ત એટલા માટે મારી નાખ્યા હતા કે જો તેઓએ આ રીતે મર્ડર ન કર્યું હોત તો ખુદ એ લોકોની જ હત્યા કરવામાં આવી હોત. એટલું જ નહીં, તૂત્સી સમુદાયના લોકોની હત્યા તો કરવામાં આવી જ હતી, પરંતુ આ સમુદાયની મહિલાઓને સેક્સ સ્લેવ(જાતીય ગુલામ) તરીકે પણ રાખવામાં આવી હતી.

image source

બન્ને સમાજના લાખો લોકોની થઈ હત્યા

જો કે, આ કિસ્સો એવો નથી કે આ હત્યાકાંડમાં ફક્ત તૂત્સી સમાજના લોકો જ માર્યા ગયા. તેમાં હુતૂ સમુદાયના હજારો લોકો પણ મરી ગયા. કેટલાક માનવાધિકાર સંગઠનો અનુસાર રવાન્ડાએ સત્તા સંભાળ્યા બાદ રવાન્ડન પેટ્રિક ફ્રન્ટ (આરપીએફ) ના લડવૈયાઓએ હુતૂ સમુદાયના હજારો લોકોને મારી નાખ્યાં હતા. જો કે, આ હત્યાકાંડને ટાળવા માટે, રવાંડાના લાખો લોકો ભાગી ગયા હતા અને અન્ય દેશોમાં આશરો લીધો હતો.

image source

અનેક કોર્ટની રચના કરીને હત્યાકાંડના દોષીઓને આપી સજા

હત્યા માટે જવાબદાર લોકોને સજા કરવા રવાન્ડન નરસંહારના આશરે સાત વર્ષ પછી 2002માં આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટની રચના કરવામાં આવી હતી. જોકે, હત્યારાઓને ત્યાં સજા થઈ નહોતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તાંઝાનિયામાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલની રચના કરી, જ્યાં ઘણા લોકોને નરસંહાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા આપવામાં આવી. આ ઉપરાંત રવાંડામાં સામાજિક અદાલતોની પણ રચના કરવામાં આવી હતી, જેથી હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થઈ શકે. એવું કહેવામાં આવે છે કે સુનાવણી પહેલા જ જેલોમાં લગભગ 10 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

image source

આજે ત્યાં આદિવાસીવાદ વિશે બોલવા પર મનાઈ

માનવામાં આવે છે કે આ વંશીય સંઘર્ષમાં નરસંહારને કારણે આજે રવાંડામાં આદિવાસીવાદ વિશે બોલવું ગેરકાનૂની છે. સરકારના જણાવ્યા મુજબ, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકોમાં નફરત ન ફેલાય અને રવાંડાને બીજા હત્યાકાંડનો સામનો ન કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ