હિંદુ પંચાગ અનુસાર આ વખતે કેસરી નંદન ભગવાન હનુમાનજીનો જન્મોતસ્વ ૧૯ એપ્રિલ ૨૦૧૯, શુક્રવારનાં રોજ ઉજવવામાં આવશે. ખાસ વાત આ છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ બે ખાસ નક્ષત્રોમાં થઈ રહ્યો છે. વર્ષો બાદ બની રહેલા આ રીતનાં જ્યોતિષ નક્ષત્રને ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યા છે.
હનુમાન જયંતિનું શુભ મુહૂર્ત
કેવી રીતે કરવી ભગવાન હનુમાનજીની પૂજા?
-હનુમાનજીની પૂજા અભિજિત મુહૂર્તમાં કરવી.
-ઉત્તર-પૂર્વ દિશામાં ચૌકી પર લાલ કપડું રાખવું.
-હનુમાનજીની સાથે શ્રીરામજીનાં ચિત્રની સ્થાપના કરવી.
-હનુમાનજીને લાલ અને રામજીને પીળા ફૂલ અર્પિત કરવા.
-લાડુઑ સાથે સાથે તુલસી દલ પણ અર્પિત કરવા.
-પહેલા શ્રીરામનાં મંત્ર “રામ રામાય નમ:” નાં જાપ કરવા.
-બાદમાં હનુમાનજીનાં મંત્ર “ૐ હં હનુમતે નમ:” નાં જાપ કરવા.
આર્થિક લાભ અને કરજ મુક્તિનાં ઉપાય
-હનુમાનજીને ગોળનો ભોગ લગાવો.
-ત્યારબાદ હનુમાન ચાલીસાનાં ૧૧ વાર પાઠ કરવા.
-શક્ય હોય તો આ દિવસે મીઠી વસ્તુઅોનું દાન પણ કરવું.
મનોપસંદ ફળ પ્રાપ્તદ કરવા માટે આ રીતે ઉઠાવવો શુભ નક્ષત્રોનો લાભ
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ