જલ્સા કરોને જેંતીલાલ

અજય દેવગને કર્યો ખુલાસો , આ કારણથી તબ્બૂ એ આજ સુધી નથી કર્યા લગ્ન…

અજય દેવગને કર્યો ખુલાસો , આ કારણથી તબ્બૂ એ આજ સુધી નથી કર્યા લગ્ન


બોલીવુડ અભિનેતા અજય દેવગન અને તબ્બૂની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ આવતીકાલ એટલે કે ૧૭ મે ના રોજ રિલિઝ થવાની છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે જેમાં અજય દેવગનને પોતાની દિકરીની ઉંમરની યુવતીથી પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં તબ્બૂ અને અજય સિવાય રકુલપ્રીત પણ મુખ્ય ભૂમિકામાં છે. બન્ને જ સ્ટાર ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. તબ્બૂ અને અજય દેવગનની જોડીના વિષયમાં વાત કરીએ તો આ વાત બધા જાણે છે કે તબ્બૂ અને અજય બેસ્ટ ફ્રેન્ડ્સ છે. એક સત્ય એ પણ છે કે તબ્બૂ એ હજુ સુધી લગ્ન નથી કર્યા.

તબ્બૂને અવારનવાર આ સવાલ કરવામાં આવે છે કે તેમણે લગ્ન કેમ નથી કર્યા. તેના જવાબમાં તે કહે છે કે તેમને કોઈ બરાબર પાર્ટનર ન મળ્યો, પરંતુ હવે અજય દેવગને તબ્બૂના લગ્નથી જોડાયેલો એક મોટો ખુલ્લાસો કર્યો છે અને જણાવ્યું છે કે શામાટે તે લગ્ન નથી કરવા માગતી. ખરેખર, પ્રમોશનમાં અજયે જણાવ્યું કે તબ્બૂને મારા જેવો છોકરો ન મળ્યો એટલે તેમણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને તે કુંવારી છે. જોકે, આ વાત અજયે મજાકમાં કહી હતી.

હાલના દિવસોમાં બોલીવુડ અભિનેત્રી તબ્બૂ અને અભિનેતા અજય દેવગન, રકુલપ્રીત સિંહ સાથે પોતાની આવનાર ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ના પ્રમોશનમાં લાગેલા છે. આ ફિલ્મ આ શુક્રવાર એટલે કે ૧૭ કે ના રોજ દેશભરમાં રિલિઝ થવા જઈ રહી છે.

તબ્બૂ-અજય દેવગન

ફિલ્મની કહાની એક કોમેડી ડ્રામા છે જેમા અજય દેવગનના પાત્રને પોતાની દિકરીની ઉંમરની યુવતીથી પ્રેમ થઈ જાય છે. વિતેલા દિવસોમાં તબ્બૂ અને અજય દેવગન એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની ફિલ્મનુ પ્રમોશન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે તબ્બૂના લગ્ન બાબતમાં એક મોટો ખુલ્લાસો કર્યો.

તબ્બૂ-અજય દેવગન

બોલીવુડમાં તબ્બૂ અને અજય દેવગન ખૂબ ખાસ મિત્રો માનવામાં આવે છે અને આ શો દરમિયાન અજય દેવગને તબ્બૂના અંગત જીવનને લઈને મોટો ખુલ્લાસો કરતા આ જણાવ્યું કે તબ્બૂ એ અત્યાર સુધી લગ્ન શામાટે નથી કર્યા.

અજય દેવગને કહ્યું, ‘ તબ્બૂને મારા જેવો છોકરો જોઈતો હતો, પરંતુ આજ સુધી તેને મારા જેવો કોઈ મળ્યો જ નહિ, એટલે તે હજુ સુધી કુંવારી છે.’ તમને જણાવી દઈએ અજય દેવગને આ ખુલ્લાસો મજાક તરીકે કર્યો હતો અને તેમનો આ ખુલ્લાસો સાંભળીને તબ્બૂ પણ હસ્યા વગર રહી ન શકી.

ફિલ્મની કહાની બાબતમાં વાત કરતા અજય દેવગને જણાવ્યું કે આ ફિલ્મમાં પુરુષના એ આકર્ષણ વિશે જણાવવામાં આવ્યું છે જે તેને મહિલાઓને જોઈને થાય છે. આ એક સાધારણ વાત છે અને એ જ કહાની ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે.

તબ્બૂ એ અજય સાથે પોતાની મિત્રતા બાબતમાં કહ્યું, ‘આ મારા જીવનનો ઉંડો સંબંધ છે. આ મારા જીવનનો ભાગ છે કારણ કે મારું મોટાભાગનું જીવન મારા કામથી જ જોડાઈ રહ્યું છે. આ તે લોકો છે જેમના સાથે મારી મુલાકાત કામ દરમિયાન થઈ. આ તે લોકો છે જે મને ખબર છે કે કોઈપણ રીતે મને તૂટવા નહિ દે. તે મારા પરિવારની જેમ છે.

તબ્બૂ જલ્દી જ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ માં નજર આવશે. તેમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. રકુલપ્રીત પણ એમા મહત્વની ભૂમિકા ભજવતી નજર આવશે. ત્યાં જ ફિલ્મ ‘ભારત’ જેમાં સલમાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે, તેમાં તબ્બૂ મહેમાન ભૂમિકા ભજવતી દેખાશે. ‘દે દે પ્યાર દે’ ૧૭ મે અને ફિલ્મ ‘ભારત’ ૫ જુનના રોજ રિલિઝ થશે.

આ સિવાય અજયે પોતાના અને કાજોલને લઈને એક ખુલ્લાસો કર્યો છે. અજયે જણાવ્યું કે જ્યારે તે કોઈ બીજી છોકરીને જુએ છે તો કાજોલ કેવી રીતે રિએક્ટ કરે છે. અજયને પૂછવામાં આવ્યું કે જ્યારે તેની પત્ની કાજોલ તેમને બીજી કોઈ મહિલા તરફ જોતા પકડી લે છે તો કેવી રીતે રિએક્ટ કરે છે. અજયે જણાવ્યું કે જો કાજોલ તેને આવું કરતા પકડે છે તો તે તેને (અજયને) કોઈ કમેંટ પાસ કરે છે જે કોઈ જોક્સ હોઈ છે. સાથે જ અજયે જણાવ્યું કે ફિલ્મના ટ્રેલરને લઈને કાજોલને કોઈ વાંધો નથી. તે સારી રીતે જાણે છે કે ઈંડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version