અજય દેવગનની દીકરી ફરિવાર ઇન્ટરનેટ પર થઈ ટ્રોલ્ડ, મંદીરમાં કંઈક એવા વસ્ત્રો પહેર્યા કે થઈ ગયા લોકો નારાજ
સ્ટાર્સની જેમ સ્ટાર કીડ્સ પણ હંમેશા લાઇમલાઇટમાં રહેતા હોય છે, પછી તેમને પસંદ હોય કે ન હોય જ્યારે જ્યારે તેઓ જાહેરમાં જોવા મળે કે તરત જ તેમની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે અને પછી લોકો પોતાને મન ફાવે તેવી પોઝિટીવ-નેગેટીવ કમેન્ટ્સ આપ્યા કરે છે.
અજય દેવગનની છોકરી સાથે છેલ્લા ઘણા વખતથી આવું જ થતું આવ્યું છે. આ વખતે પાંચમીવાર એવું બન્યું કે અજય દેવગનની દીકરીને ઇન્ટરનેટ પર ટ્રોલ કરવામાં આવી હતી.
અજય દેવગન અને કાજોલની મોટી દીકરી ન્યાસા જ્યારે જ્યારે જાહેરમાં જોવા મળે ત્યારે નેટીઝન્સ તેના પર નેગેટિવ કમેન્ટ્સ કરતાં ચુકતા નથી. ક્યારેક તેના શ્યામ રંગના કારણે તો ક્યારેક તેના વસ્ત્રોના કારણે તેણીને અવારનવાર ટ્રોલ કરતા રહે છે.
આ બાબતે અજય દેવગનને પણ ઘણીવાર ગુસ્સો આવ્યો છે. કોઈ પણ પિતાને આવે. તાજેતરમાં ન્યાસા પિતા અજય દેવગન સાથે મંદીરમાંથી દર્શન કરીને બહાર આવતી જોવા મળી હતી. અને તે ક્ષણે પાપારાઝીએ તેણીની ઘણી તસ્વીરો ક્લીક કરી લીધી અને તે તરત જ ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગી હતી.
વાસ્તવમાં મંદીરમાં દર્શન કરતી વખતે ન્યાસાએ જે વસ્ત્રો પહેર્યા હતા તે કેટલાક લોકોને નહોતા પસંદ આવ્યા અને તેના કારણે તેમણે ન્યાસા પર કેટલીક નેગેટીવ કમેન્ટ્સ કરી હતી. આ પહેલાં પણ તેણીને અવારનવાર ઇન્ટરનેટ પર ટ્રોલ કરવામાં આવી છે.
દીવાળી પર જ્યારે અમિતાભે પોતાના ઘરે ભવ્ય દીવાલી પાર્ટીનું આયોજન કર્યું હતું તે વખતે ત્યાં બોલીવૂડની દીગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી અને કાજોલ અને અજયે પણ પોતાના બન્ને સંતાનો સાથે ત્યાં હાજરી આપી હતી.
તે વખતે ન્યાસાએ સુંદર મજાના સીલ્કના સફેદ ચણિયા ચોળી પહેર્યા હતા. અને આઇલાઇનર સાથે ગ્લોસી લિપસ્ટિક લગાવી હતી અને તેના ગાલને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા, પણ કેટલાક નેટીઝન્સને તેણીનો આ મેકઅપ પસંદ નહોતો આવ્યો.
વાસ્વવમાં ન્યાસાનો તે લૂક ખુબ જ આકર્ષક હતો અને તેણી તેમાં સુંદર લાગી રહી હતી. પણ કેટલાકે તેણીના આ લૂકની ઠેકડી ઉડાડી હતી. તો વળી તે પહેલાં અજય દેવગનના પિતા વિરુ દેવગનના અવસાનના બીજા દિવસે ન્યાસાને સલૂન બહાર જોવામાં વી હતી.
તે વખતે તેણીએ બ્રાઉન કાર્ગો પેન્ટ અને વ્હાઇટ ઓફ શોલ્ડર ટી-શર્ટ પહેર્યું હતું અ સ્નિકર પહેર્યા હતા. તેણી આ લૂકમાં કુબ જ કેઝ્યુલ લાગી રહી હતી અને તે હસી રહી હતી.
આ તસ્વીરો વાયરલ થતાં જ નેટીઝન્સે તેના પર પણ નેગેટિવ કમેન્ટ્સ કરવા માંડી હતી.
કેટલાક લોકોનું એવું માનવું હતું કે હજુ તો દાદાનું અવસાન થયાને એક દિવસ પણ નહોતો થયો અને તેણી હસી રહી હતી. તો વળી કેટલાકનુ કહેવું હતું કે બોલીવૂડ સ્ટાર્સમાં સામાન્ય માણસો જેવી કોઈ જ લાગણી જ નથી બચી.
કોઈને તેણીના સ્મિત પર વાંધો હતો તો કોઈને તેણીના સલૂનમાં જવા પર વાંધો હતો. કેટલાકે તો એટલી હદ સુધી જણાવ્યું કે થોડા દિવસ બાદ પણ સલૂનમાં જઈ શકાતું હતું !
તો થોડા મહિના પહેલાં અજય દેવગણ અને કાજોલ પોતાના બાળકો સાથે યુરોપના પ્રવાસે ગયા હતા અને તે દરમિયાનની ન્યાસાની તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેણીએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. અને અહીં પણ તેણીને ટ્રોલ કરવામાં આવી.
તેણીએ આજકાલની ફેશન પ્રમાણે આસમાની રંગનું હૂડી જેકેટ જ પહેર્યું હતું. જે ઘણું ટુંકુ હતું તેના કારણે કેટલાક યુઝર્સે પેતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોઈકે તો એવી પણ કમેન્ટ કરી હતી કે તેણી શું પેન્ટ પહેરવાનું ભુલી ગઈ છે કે શું ?
તે પહેલાં મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં ન્યાસાને પેતાના મિત્રો સાથે જોવામાં આવી હતી. જેની એક વિડિયો બોલીવૂડના જાણીતા ફોટોગ્રાફલ વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.
આ વિડિયોમાં તેણી થોડી ઉદાસ જણાઈ રહી હતી અને બસ નેટીઝને આના પર પણ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક જણે તો એટલી હદ સુધી લખી નાખ્યું કે ન્યાસા અજય દેવગનનું ફીમેલ વર્ઝન છે તો વળી બીજાએ લખ્યું કે શું તેણી રડી રહી છે ? શું તેણીને કોઈએ માર્યું છે ?
એક માણસ તરીકે આપણી એક આગવી ફરજ એ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ કોઈને નુકસાન ન થાય તે રીતે વર્તતું હોય ત્યાં સુધી તેને તેની રીતે જ જીવવા દેવા જોઈએ અને પોતાના જજમેન્ટ્સ ન આપવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ