અમદાવાદમાં આગની ઘટનાઓ જાણે રોજ બનતી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે હાલમાં જ કેટલીક ઘટના માત્ર અમદાવાદમાં જ બની છે કે જેમાં આગ ભયંકરી રીતે લાગી હોય અને લોકોનું ભારે નુકસાન થયું હોય. ત્યારે હવે બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે અને આ વખતે સ્કુલમાં આગ લાગી છે. મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી હતી.
જો વાત કરીએ જ્યારે આગ લાગી ત્યારની પરિસ્થિતિ તો ઘટના સમયે સ્કૂલમાં 3 કલર કામના કારીગરો તથા 4 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને કોઈનો જીવ ગયો નથી. આ સાથે જ વાત કરવામાં આવો તો આ આગ વિશે માહિતી આપતા ફાયર ઓફિસર મનીષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી છે અને ચાર બાળકો ફસાયા હોવાના મેસેજ મળતાં નરોડા, ઓઢવ ફાયરબ્રિગેડ સહિત ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કાબુમાં લીધી હતી. એક કલાકમાં આગ કાબુમાં આવી ગઈ છે. તેમણે આગળ માહિતી આપી કે કલરકામ અને ફર્નિચરનું કામ કરતા ત્રણ મજૂર ફસાયા હતા જેને દાદર પરથી રેસ્ક્યુ કરી લેવાયા હતા.
આ આખી ઘટનામાં એક વાત સારી એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલ સંચાલકના જણાવ્યા મુજબ સ્કૂલ બંધ જ હતી અને હજુ આગ લાગવાનું પ્રાથમિક કારણ ફર્નિચરનું કામ ચાલે છે તેમ લાકડા લગાવવામાં આવતા સોલ્વન્ટમાં આગના કારણે લાગી હોય એવું કહેવામાં આવી રહ્યું છે. જો કે સાચી માહિતી તો તપાસ બા જ બહાર આવશે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
જો કે આ પહેલી વાર નથી કે આગ લાગી હોય, અમદાવાદમાં તાજેતરમાં જ આગની ઘટનાના બે બનાવો બન્યા હતા. જેમાંથી એક એસજી હાઇવે પર રાજપથ કલબની સામે આવેલા બાલેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં સવારે આગ લાગી હતી. જેમાં ઓફિસમાં કામ કરતા 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજી ઘટનામાં જમાલપુરમાં આવેલી સુબ્હાખાનની ચાલીમાં આગનો બનાવ બનતા જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવી હતી. આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ બની નહોતી.
જો કે અમદાવાદમાં એક મોટી આગ હજુ લોકોને ભૂલાઈ નથી. વટવા જીઆઈડીસીમાં ફેઝ-4 ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 20 દિવસ પહેલા કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. આ આગ ભૂલાઈ નથી ત્યાં બીજી આગ લાગી છે અને હવે લોકો એમ પણ કહી રહ્યાં છે કે સારુ થયું કે સ્કુલ બંધ હતી નહીંતર બાળકોને પણ નુકસાન જવાની સંભાવના હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!