જલ્સા કરોને જેંતીલાલ

અમદાવાદના 11 કન્ટેનમેન્ટ વોર્ડની યાદી વાંચી લો એક વાર અને કરી દો અનેક કન્ફ્યુઝન દૂર, જેમાં પશ્ચિમના એકમાત્ર વિસ્તારનો થાય છે સમાવેશ

કોરોના / પશ્ચિમના એક વિસ્તાર સહીત અમદાવાદના 11 કન્ટેનમેન્ટ વૉર્ડની યાદી જાહેર

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ જો હોય તો એ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના સંક્રમણમાં અત્યાર સુધી 8683 લોકો પોઝીટીવ આવી ચુક્યા છે જેમાંથી 555 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ સ્થિતિને જોતા પશ્ચિમ ઝોનના ગુલબાઈ ટેકરા વિસ્તાર સહીત અમદાવાદમાં કુલ 11 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

image source

 

 

કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ વધુને વધુ જકડાતું જઈ રહ્યું છે. ત્યારે સલામતીના ભાગરૂપે અમદાવાદ શહેરના ૧૧ વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. AMC દ્વારા આજે તે 11 કન્ટેનમેન્ટ વોર્ડની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. અમદાવાદ શહેરના મધ્ય ઝોનના ૫, દક્ષીણ ઝોનના ૩, ઉત્તર ઝોન અને પશ્ચિમના એક એક વિસ્તારનો એના સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કુલ 2,61,511 રહેઠાણનો સમાવેશ થાય છે જયારે 12,98,212 લોકો આ ઝોનમાં રહી રહ્યા છે.

image source

યાદીમાં સામેલ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોના નામ :

ગુજરાતની સ્થિતિ અત્યારે શું છે?

image source

ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 11 હજાર 746 સુધી પહોંચ્યો છે. ત્યારે માત્ર અમદાવાદ શહેરમાં આ આંકડો 8 હજારની સંખ્યા વટાવી ચક્યો છે. ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાના 6248 એક્ટિવ કેસ ચાલી રહ્યા છે. અત્યાર સુધી 4804 લોકોએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલમાંથી રજા લીધી છે, જ્યારે 694 લોકોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે. ગુજરાતમાં અમદાવાદ અન્ય જિલ્લાઓની તુલનામાં ઘણા સમયથી હોટસ્પોટ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 8686 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને પાછા ઘરે ગયા છે.

૩૧ મેં સુધી સરકાર દ્વારા ચોથા તબક્કાનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે શું ખુલ્લું રહેશે અને શું હજુ પણ બંધ રહેશે તેની મૂંઝવણ હજુ પણ ઘણા લોકોને પડતી હોય છે. એ સમસ્યા દુર કરવા અમે સરળ શબ્દોમાં આપને સમજાવી દઈએ.

image source

કન્ટેનમેન્ટ જાહેર કરાયેલા ઝોનમાં આ લાગુ નહિ પડે. ત્યાં જીવન જરૂરિયાત સિવાયની તમામ વસ્તુઓ બંધ રહશે. આ છૂટછાટ નોન- કન્ટેનમેન્ટ ઝોન માટે છે. જેની નોધ લેવી.

શું ખુલ્લું રહેશે?

image source

શું બંધ રહેશે ?

જો કે આ સાથે અન્ય કેટલાક નિયમો પણ છે.

આમ લોકડાઉન ૪ અનેક શરતો સાથે અપાયેલ મુક્તિ છે. જેના પાલન દ્વારા જ કોરોના સંક્રમણ સામે ટકી શકાશે. શરતોનું યોગ્ય પાલન જ એકમાત્ર વિકલ્પ છે, કોરોના સામે જંગ જીતવાની.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version