અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી સુરક્ષિત ઉડાન એવં આગમનમાં વિઘ્ન પેદા કરવાવાળા પક્ષીઓ અને વાંદરાઓને ભગવવા માટે અલગ અલગ પ્રકારના પ્રયોગો કરતાં રહે છે. અત્યાર સુધી એના માટે ફટાકડા ફોડીને તેમને ભગવવામાં અને ઉડાવવામાં આવતા હતા. પરંતુ હવે પ્રાધિકરણે એક નવો નિર્ણય લીધો છે. હવે વાંદરાઓને ભગડવા માટે રીછના કોસ્ટયુમનો ઉપયોગ કરવામાં આવશે.
એના માટે એરપોર્ટના ૨૫ કર્મચારીઓને રીછના કોસ્ટ્યુમમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ કર્મચારી એરપોર્ટ ટર્નલની આસપાસ પણ જોવા મળશે. એરપોર્ટ પ્રાધિકરણે યાત્રીઓને અવગત કરાવતા કહે છે કે યાત્રીઓએ રીંછના કોસ્ટયુમમાં હાજર કર્મચારિયોથી ડરવાની જરૂર નથી. તે વાંદરાઓથી તેમની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદ એરપોર્ટના નિર્દેશક મનોજ મંગલ જણાવે છે કે એરપોર્ટની ચારેબાજુ લીલોતરી અહિયાં પક્ષીઓ અને વંદરાઓનો આતંક છે. પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં વાંદરાઓના ઝૂંડના આતંકના કારણે ૧૦ થી વધુ ફ્લાઇટ્સને ઉડાનમાં મોડું થયું હતું.
તેમણે જણાવ્યું કે યાત્રીઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં આયે દિવસ વાંદરાઓની ઘૂસવાની ઘટનાઓ થતી રહે છે. એર ટ્રાફિક કંટ્રોલ તરફથી અમને આની જાણકારી મળતી રહે છે.
તેમણે જણાવ્યું કે વન અને પ્રાણી વિભાગના અધિકારીઓની સાથે વિચાર-વિમર્શ કર્યા પછી ખબર પડે છે કે વાંદરા રીંછથી ડરે છે. એટલા માટે વાંદરાઓને ભગવવા માટે રીંછના કોસ્ટયુમની વ્યવસ્થા કરી છે. એરપોર્ટ પર રીંછના કોસ્ટયુમ પહેરીને વાંદરાઓને ભગડવા માટે ૨૫ કર્મચારીઓની નિયુક્ત કરવામાં આવી છે.
આ કર્મચારી ફક્ત ઓપરેશનલ એરિયામાં જ નહિ પરંતુ એરપોર્ટ રનલની બહાર પણ કોસ્ટયુમમાં તૈનાત રહેશે. એરપોર્ટ પર આવતા યાત્રીઓએ ડરવાની જરૂર નથી. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે વાંદરાઓને ભગડવાના આ ઉપાયને બિલ્કુલ ખોટો છે. આ ચાઇનીઝ ઉપાય વધારે સમય સુધી રહેશે નહિ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ