જ્યાં ઇતિહાસમાં એક સાથે 142 આહીરાણીઓ સતી થઈ હતી, ત્યાં પૂ. બાપુ આજથી રામકથાની કરશે શરૂઆત

વિશ્વના કોઈપણ ખૂણે વસતો ગુજરાતી મોરારિબાપુના નામથી પરીચિત જ હોય. વિશ્વભરમાં રામાયણને આગવી ઓળખ આપવામાં મોરારિબાપુનું યોગદાન મોટું છે. મોરારિબાપુ અત્યાર સુધીમાં 854 રામકથા કરી ચુક્યા છે અને આજે એટલે કે 14 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી તેમની 855મી રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

image soucre

મોરારિબાપુની 855મી રામકથા કચ્છના રાપર તાલુકાના ગામ વાગડ ખાતે શરુ થવાની છે. જો કે કચ્છની ઐતિહાસિક ભૂમિ પર મોરારી બાપુની આ પાંચમી રામકથા હશે. આ પહેલા તેઓ કચ્છના ભચાઉ, જંગી, રાપર અને મોડપર ખાતે રામકથા કરી ચુક્યા છે. પરંતુ આ તમામ વચ્ચે આ વખતની કથા ખાસ છે. કારણ કે તેનો સંબંધ ઈતિહાસ સાથે પણ છે.

image source

આ વખતની રામ કથા ઐતિહાસિક વ્રજવાણી ગામમાં જે વાગડ વિસ્તારમાં આવેલું છે અને અહીં જ ઈતિહાસમાં એક સાથે 142 આહીરાણીઓ સતી થઈ હતી. આ ભૂમિ પર આજથી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. વ્રજવાણી ગામમાં આ આહીરાણીઓના પાળીયા આજે પણ આવેલા છે. આ ભવ્ય ઈતિહાસ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સંવત 1511ની વૈશાખ સુદ ચોથના દિવસે આ ગામમાં આહિરાણીઓ સતી થઈ હતી.

image source

આ દંતકથા અનુસાર અહીં અમરાભાઈ આહિર અને રવાભાઈ આહિરના બે કબીલા હતા અને બંને કબીલા વચ્ચે કુસંપ હતો. તેવામાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી અન્ય કબીલાનો હોવાથી તેને તલવારના ઘા ઝીંકી મારી નાંખ્યો હતો. ત્યારબાદ અહીં આહિરાણીઓ સતી થઈ હતી. તેવો ઉલ્લેખ બારોટ દ્વારા કરવામાં આવે છે.

image source

આવા ઐતિહાસિક સ્થળે યોજાનાર રામકથામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રોતાઓ વચ્ચે અંતર જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત મર્યાદિત સંખ્યામાં જ શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કથા સાંભળવા આવનાર શ્રોતાએ માસ્ક પહેરવું ફરજિયાત હશે અને કથાસ્થળે આવતી વખતે તેમને સેનિટાઈઝ પણ કરવામાં આવશે. આજથી શરુ થતી રામકથા 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે શરુ થનાર રામ કથા માટે મોરારિબાપુ કથા સ્થળે સવારના સમયે પહોંચી ગયા હતા. જો કે ખાસ વાત એ છે કે અહીં મોરારિબાપુ ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. અહીં તેમનું આયોજકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે મોરારિબાપુના મુખે રામકથા સાંભળવા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. તેમણે માત્ર 20 વર્ષની ઉંમરથી જ રામકથા કરવાની શરુઆત કરી દીધી હતી. તેમણે સૌથી પહેલીવાર 14 વર્ષની ઉંમરે ચૈત્ર માસમાં એક મહિના સુધી રામાયણનો પાઠ કરાવ્યો હતો. તે તેમણે કરેલી પહેલી કથા હતી. ત્યારબાદથી રામકથા કરવાનું અવિરત ચાલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ