ગરુડ પુરાણ હિન્દૂ ધર્મમાં મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોમાંથી એક છે. આ પુરાણમાં એ રહસ્યમયી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણા ભૌતિક જગતથી પર એક અલગ જગ્યાએ ઘટિત થાય છે. આ પુરણને 18 મહાપુરણમાંથી એક માનવામાં આવે છે. મૃત્યુ પછી આત્મા સાથે શુ થાય છે? આત્મા કઈ રીતે નવું ગર્ભ ધારણ કરે છે? આ બધી વાતોનો ઉલ્લેખ આપણને આ પુરાણમાં જોવા મળે છે. પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આત્મા નશ્વર છે. એ ક્યારેય પણ નષ્ટ નથી થતી. વ્યક્તિના અવસાન પછી આત્મા સૂક્ષમ શરીર ધારણ કઈ લે છે. એ પછી એ પોતાના કરેલા પાપ અને પુણ્યના કર્મોને અન્ય લોકમાં જઈને ભોગવે છે. આ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા પોતાના શરીરને સળગતા જુએ છે. એનો મોહ પોતાના શરીર પ્રત્યે ખતમ નથી થતો. એવામાં ગરુડ પુરાણ અનુસાર અગ્નિદાહ સંસ્કાર કરીને ઘરે પરત ફરતી વખતે વ્યક્તિએ પાછળ વળીને ન જોવું જોઈએ. ચાલો જાણી લઈએ એ પાછળનું કારણ.
ગરુડ પુરાણ અનુસાર શરીરના અગ્નિદાહ સંસ્કાર પછી પણ આત્માનો લગાવ પોતાના સગા સંબંધીઓ પ્રત્યે હોય છે. આત્મા કોઈપણ રીતે ફરી એમની પાસે જવા માંગે છે. એ કારણે અગ્નિદાહ સંસ્કાર પછી પાછળ વળીને જોવાથી આત્માને મહેસુસ થાય છે એની સાથે હજી પણ તમારો લગાવ છે. એ કારણે એ મોહમાં બંધાઈ જાય છે અને એમાંથી નીકળવું એના માટે સરળ નથી હોતું.
આ જ એક કારણ છે જેના કારણે શબના અગ્નિદાહ સંસ્કાર પછી કોઈપણ વ્યક્તિએ પાછળ વળીને ન જોવું જોઈએ. એનાથી આત્માને એ સંદેશ આપવા આવે છે કે હવે એને મોહ બંધનમાંથી મુક્ત થઈને આગળના રસ્તા પર સફર કરવો જોઈએ.
ગરુડ પુરાણ અનુસાર શરીરને સળગ્યા પછી આત્મા પોતાના સગા સંબંધીઓની પાછળ પાછળ જવા લાગે છે. એને બીજા શરીરની આકાંક્ષા હોય છે. જો તમે એ દરમિયાન પાછળ વળીને જોવો છો તો આત્માને લાગે છે કે તમારામાં એના માટે મોહ છે અને એ એવા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી લે છે.।
શરીરમાં પ્રવેશ કર્યા પછી આત્મા આવા લોકોને ખૂબ જ હેરાન કરે છે. દાહ સંસ્કાર પછી આ આત્માઓ મોટાભાગે નાના બાળકો અને કમજોર દિલના લોકોના શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે. એ કારણે નાના બાળકો કે કમજોર દિલના લોકોને સ્મશાનમાં ન લઈ જવા જોઈએ. જો એમને લઈ પણ જવામાં આવી રહ્યા છે તો પાછા ફરતી વખતે એમને સૌથી આગળની તરફ રાખવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong