એવો તે કેવો સુવર્ણકાળ હશે આપણા દેશનો કે અહીંની એક નદીમાંથી આજે પણ વહે છે ખરું સોનું…

કહેવાય છે કે ભારત દેશના અંતરિયાળ વિસ્તારમાં એક એવું સ્થળ સ્થિત છે જે રાંચી શહેરના દક્ષિણ-પશ્ચિમ ભાગના ગામમાં એક અનોખી નદી વહે છે આ નદીનું ઉદ્ગમ સ્થાન શહેરથી ૧૬ કિ.મી દૂર નગડી નામના નાનકડાં ગાંમડાંના રાની ચૂઆ નામના વિસ્તાર પાસેથી નીકળે છે અને તે ઉત્તરપૂર્વ તરફના ધોધ સુધી પહોંચે છે. આ નદીનું વહેણ છેક ઉચ્ચપ્રદેશ સુધી વહીને વિસ્તરી રહી છે.

આ નદી વિશે આટલી સવિસ્તૃત વિગત જણાવવાનું ખાસ કારણ શું હોઈ શકે? તો આપને જણાવીએ કે આ એક સામાન્ય નદી નથી. અહીંના પાણીમાંથી મળી આવે છે ખરું સોનું! જી હા, સો ટચના સાચા સોનાના કણ આ નદીના પાણીમાંથી નીકળે છે. અને તેથી જ આ નદીનું નામ સુવર્ણરેખા નદી એવું પડ્યું હોય એવું બની શકે.

આ નદીને કાંઠે પથરાયેલ રેતાળ જમીની વિસ્તાર પણ એટલો જ ખાસ મનાય છે કારણ કે અહીંના સ્થાનીક આદિવાસી રહેણાક માટે આ નદી વરાદાન સ્વરૂપ છે. જો કે બને એવું છે કે આખો દિવસ અહીં નદીના તટ પર મહેનત કરીને અહીંની આદિવાસી પ્રજા સોનાના કણ શોધે છે. જેને શહેરમાં જઈને વેંચે છે ત્યારે તેમને વળતર પેટે માંડ ૫૦૦ રૂપિયા જેવી સાધારણ રકમ મળે છે. ખરેખર તો આ રેતાળ વિસ્તારમાંથી મળતા સોનાના કણ છડેલા ચોખા કે તેથીય નાના કદના હોય છે. ક્યારેક તો તેઓ દિવસે ૮૦થી ૧૦૦ રૂપિયા જેટલું સોનું પણ મુશ્કેલીથી ભેગું કરી શકે છે. બીજી તરફ શહેરના સોનીઓ આ ખરું સોનું મેળવીને સારી એવી કમાણી કરી જઈ શકે છે. એ બાબતનેય નકારી શકાય તેમ નથી. પરંતુ આ કુદરતી ચમત્કાર સ્વરૂપ નદી એક રહસ્યમયી રીતે સતત સોનું રળી આપે છે અહીંના લોકોને એ દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક દ્રષ્ટિએ અજાયબી છે. જેનું નિરાકણ શોધવું રહ્યું.

અહીંના અગાઉના ઇતિહાસની પરંપરા મુજબ, સાંભળવા મળ્યું છે કે રાંચી નજીકના પિસ્કા નામના ગામમાં નદીના મૂળ પાસે સદી પહેલાં સોનાનું ખાણકામ કરવામાં આવ્યું હતું. આ માટે તેનું નામ સુબર્નેરેખા રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “સોનાનો દોર” થાય છે. અહીંના લોકો પાસેથી આ વિશે અનેક દંતકથા પણ સાંભળવામાં આવે છે જેથી કરીને આજે પણ, લોકો તેના રેતાળ તટ પરથી ખરા સોનાના કણોના નિશાન શોધી કાઢે છે. ‘સુબર્નેરેખા’ નામ બે શબ્દોનું મિશ્રણ છે. જેનું ઉચ્ચારણ જોઈએ તો તેમાં બંગાળી લહેકો ભળેલો જણાશે આનું મુખ્ય કારણ એ પણ છે કે ભલે તે ઝારખંડના વિસ્તારના તટ પરથી વહેતી હોય પરંતુ એ બંગાળના વિસ્તારો અને અન્ય રાજ્યોને પણ અડકીને વહે છે. આ નદીએ પોતાનું એક આગવું મહત્વ જાળવી રાખ્યું છે.

સુબારણાખાનું મુખ્ય ઉપનદીઓ ખારકાઈ, રોરો, કાંચી, હર્મુ નડી, દમરા, કરરુ, ચિંગુરુ, કરકરી, ગુરમા, ગરા, સિંગદુબા, કોડિયા, ડુલુંગા અને ખાઈજોરી છે. ખાર્કાઈ જમશેદપુરના પડોશી, સોનારી (ડોમોહાની)માં સુબારનેરેખાને મળે છે.

આ સ્થળ જ્યાં રેતીમાંથી અને પાણીની વહેતી લહેરખીમાંથી સોનાના કણ જડી આવે છે તે સ્થાનને હુન્દ્રુઘઘ કહેવાય છે. ઘાટી તરીકે કાસ્કેડ નદી બને દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમમાં શિંગભૂમ વળાંક ઉત્તર મિદનાપુર જિલ્લામાં વહેતી કે મનભૂમ જિલ્લામાં પ્રવેશતાં પૂર્વમાં અને ત્રણ જંકશન પોઇન્ટ નીચેની સપાટી પછી આવેલ છે. આ જીલ્લાના પશ્ચિમી ઉપનગરોના જંગલોમાં વહેતી બાલશેર જીલ્લા સુધી પહોંચે છે. તે બંગાળની ખાડીની પૂર્વ તરફ, બાશેશ્વર નામની જગ્યાએ પૂર્વ બાજુ વહે છે. આ નદીની કુલ લંબાઇ 474 કિલોમીટર છે અને તેના દ્વારા આશરે 28, 9 28 ચોરસ કિમીનું ડ્રેનેજ થાય છે. તેની મુખ્ય નદીઓ કાંચી અને કરકરી છે. ભારતના પ્રખ્યાત અને પ્રથમ લોહ અને સ્ટીલ ફેક્ટરીની સ્થાપના તેના કિનારે થઈ હતી. ફેક્ટરીના સ્થાપક, જમશેદજી ટાટાનું નામ, જમશેદપુર અથવા તાતાનગર શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે તેના કાઠાં ઉપર ૧૬ માઇલ સુધીની બોટ દ્વારા નૌકાવિહાર કરવાની સગવડ પણ છે. સુબર્નેરેખા નદીનો આ પટ્ટો ભારતના મોટાભાગના બહુ-રાજ્ય નદીના વ્યાપ કરતાં નાનો છે. તેમ છતાં તે વરસાદી પાણીમાં 18,951 સ્ક્વેર કિલોમીટરનો ડ્રેનેજ વિસ્તાર પણ આવરી લે છે.

આ નદીના તટેથી પસાર થતા રાજ્યોના વિસ્તારોમાંથી પ્રભાવિત થઈને રીત્વિક ઘાટક નામના બંગાળી ફિલ્મ નિર્માતાએ ૧૯૬૫માં બંગાળી ફિલ્મ ‘સુબર્નેરેખા’ દિગ્દર્શિત કરી હતી. ઘાટકની ફિલ્મો 1947 માં બંગાળના પાર્ટીશનના દર્શકો દ્વારા ઘણું ભરાયેલા છે. ફિલ્મમાં સુબારનેરેખા, ઘાતક “એ ઘરની કલ્પનાને એક પ્રાસંગિક સ્થળ તરીકે અસરકારક સ્થળ તરીકે રજૂ કરી છે. સુબર્નેરેખા નદીના દૂરના, વિરોધી કાંઠાની જેમ, પ્રતીકાત્મક રીતે અન્યત્ર, આદર્શ અને પ્રસ્તાવિત, પ્રતિનિધિત્વ કરે છે.

એ વાત નિશ્ચિત છે કે ભારત દેશનો ભવ્ય ભૂતકાળ સોનાના વરખથી જ મઢાયેલ હશે તો જ સ્તો દુનિયાભરથી અહીં વેપાર અર્થે અને રાજ કરવા વિદેશની સાશકો ત્રાટકતા હતા. સોને કી ચિડિયા એમને એમ તો નહીં કહેવાયો હોય આપણા દેશને. ખરેખર આ વિસ્તારોએથી પ્રવાસ કરીને કુદરતી રીતે પ્રાપ્ત થતા સોનાના કણો શોધવાનો અનેરો લહાવો અને સુખદ અનુભવ લેવા કોઈનું પણ મન લલચાઈ જાય તેવું છે. હવે ક્યારેય કોઈ નદીના તટેથી પસાર થતાં સૂર્યના સોનેરી કિરણો પાણીમાં તરતાં જોશો ત્યારે વિચારાઈ જશે, શું અહીં પણ સોનું તણાઈ આવ્યું હશે?