એક દિવસ વાંગ તિંગ્યું ઉદાસી ભરેલ નજર સાથે એક ખાલી પડેલ જ્ગ્યા પર ઈશારો કરે છે જ્યાં તેને એક તાબૂત સાચવીને રાખીને મૂક્યું હતું, એક દિવસ અચાનક જ ચીનની સરકાર તેના ઘરમાં આવે છે અને તે તાબૂત લઈ જાય છે ને તેના બદલામાં તેને એક હજાર યુયાન જેટલી રકમ આપે છે.
વાત એમ છે કે આ તાબૂત તેના પતિએ વીસ વર્ષ પહેલા ખરીધ્યું હતું. જ્યારે આ તાબૂત ખરીદીને તેનો પતિ લાવ્યો એ પછી બે વર્ષ જેટલા સમયમાં જ તેનો પતિ મૃત્યુ પામ્યો હતો અને તે તાબૂત ને તેને આ પછી એક ખાલી પડેલ ખૂણામાં મૂકી દીધું હતું.
એવું પણ કહેવાય છે કે તાબૂતને સળગાવીને તેમાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. રાજ્યના મીડિયાનો એવો દાવો છે કે, લોકો પોતાની જાતે જ આવા તાબૂત સરકારને સોંપી દે છે. જો કેઘણા લોકોનું કહેવું છે કે ગામડાના લોકો ગુસ્સે પણ થયા છે.
ચીનના સરકારે તો લોકોને પોતાના કુટુંબીજનોના મોત પછી તેમને દફનાવવાની ક્રિયા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ વાતનો પણ લાંબો ઇતિહાસ છે જે જાણવો જરૂરી છે. 1911માં જ્યારે ઔપનિવેશિક સામ્રાજયનું પતન થયું એ બાદ સુધારમતવાદીએ લાશોને સળગાવવાની વાત કહી પણ કરી જ હતી. જેને આધુનિકતાનું પ્રતિક માનવામાં આવેલ હતું.