એ.સિ.ડિ.ટી.થી પરેશાન થવાને બદલે રાખો કેટલીક સામાન્ય તકેદારી…

ભારે ખોરાક ખવાઈ જવો અને બેઠાડું જીવન હોવું આ બે એવી પરિસ્થિતિ છે જેને લીધે ગેસ, આફરો, એ.સી.ડિ.ડી અને અપચો જેવી તકલીફોને નોતરે છે. નિયમિત કસરત ન કરવી, પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકા ખાવાની ટેવને કારણે આજકાલ મોટાભાગના લોકોના ઘરમાં ગેસથી હેરાન થતાં દર્દીઓ વધુ જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ વધુ પ્રમાણમાં હોય ત્યારે તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના લીધે અપચો થાય છે, સખત માથું દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ ક્યારેક એવું બને છે કે એ સમયે એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું. જ્યારે તમે કોઈ તળેલી કે તીખી વસ્તુઓ ખાધા પછી ખાટા ઓડકાર આવે અને તેની આડઅસરમાં છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેથી શરીરની આંતરિક બીમારીઓ જેમ કે અન્નનળીમાં ચાંદાં પડવા અથવા તો ફેફસાંમાં અલ્સર થવાની શક્યતાઓ રહે છે. આ સિવાય એ.સિ.ડિ.ટીની બળતરાને લીધે માનસિક રીતે કંટાળી કે થાકી જઈને ડિપ્રેશનમાં આવી જઈ શકે છે. કોઈ જગ્યારે બહાર જવામાં અને પ્રસંગોમાં જવામાં પણ તેમને સંકોચ થતો હોય છે. અને તેમણે તેમનો ઘરેથી થઈ શકે તેવા દેશી ઈલાજ માફક આવે એવા ઉપચાર કરવા જોઈએ.
આવો, આપણે અહીં કેટલાક એવા મુદ્દા જોઈએ જેમાં એ.સિડી.ટી.થી બચવાના અને નિવારવાના ઘરેલુ ઉપાયો જોઈએ.મોળ ચડવી કે ખાટા અટકારો આવતા હોય ત્યારે જ નહીં બલ્કે સામાન્ય ટેવ મુજબ પણ ખોરાક ખાવા સાથે પાણી ઓછું પીવું અથવા તો શક્ય હોય તો ન પીવું. વધુ પડતી ચરબીવાળા ખોરાક જેમ કે તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે પ્રસંગોપાત ખાવા સિવાય દરરોજ જમવામાં લેવાનું ટાળવું જોઈએ.
ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા કે એરિટેડ વોટર / ઠંડા પીણાં વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચે નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા વધી શકે છે.
જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી જુદી વ્યક્તિ માટે જુદી જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે. ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું. વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.જેમને પેટમાં ખૂબ જ વાયુ થયો હોય તો તેમણે દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો જોઈએ. જેના કારણે પેટના દુખાવામાં અને અંગની ડાબી બાજુએ હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધવ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં ચાટી જવાથી રાહત થશે. એવા ઘરેલું અક્સિર ઇલાજથી છે.