ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે અનેક લોકો તેનાથી હેરાન-પરેશાન થવા લાગ્યા છે. આવી ગરમીમાં લોકો બહાર જવાનું પણ ટાળતા હોય છે. જો કે અતિશય ગરમી પડવાને કારણે અનેક લોકો એસી તેમજ કુલરનો ખર્ચો કરતા હોય છે. આમ, મોટાભાગના લોકોએ ઘરમાં એસી તેમજ કુલર લાવી પણ દીધા હશે. તમને જણાવી દઇએ કે, આખો દિવસ એસી તેમજ કુલરમાં રહેવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. માટે જો તમે તમારા ઘરમાં નેચરલી ઠંડક કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે. કાળઝાળ ગરમીમાં આ નેચરલી ઠંડક તમારા સ્વાસ્થ્યને પણ નુકશાન નહિં પહોંચાડે અને તમને ફ્રેશ પણ રાખશે.
છત પર વ્હાઇટ કલર કરાવો
બેડશીટ ડાર્ક કલરની લેવાનું ટાળો
ઇકો ફ્રેન્ડલી ઘર
ગરમીમાં કાર્પેટ પાથરવાનું ટાળો
ઘર માટે હવા અને પાણી જરૂરી
જો તમે સવાર-સાંજ તમારા ઘરમાં બારી બંધ રાખવાનો આગ્રહ રાખો છો તો એક ખોટી બાબત છે કારણકે ઘરમાં હવા ઉજાસ આવે તે એક ખૂબ જ જરૂરી છે. વહેલી સવાર અને સાંજ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછુ હોય છે માટે તે સમયે ઘરની બારીઓ ખુલ્લી રાખો જેથી કરીને ઘર જલદી ઠંડુ થઇ જાય. આ સાથે જ તમને જો ઘરમાં ગરમી વધુ પ્રમાણમાં લાગતી હોય તો છત પર પાણી નાખો જેથી કરીને ગરમીથી તપી ગયેલી છત ઠંડી થઇ જશે અને તમે રાહત અનુંભવશો.
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ