સાવ સાદુ જીવન જીવીને લોકોને માત્ર 5 રૂપિયામાં ભોજન જમાડતા દાદીમાંનું થયુ નિધન, વાંચી લો દાદીમાંની જાણી-અજાણી વાતો

ગરીબોને માત્ર પાંચ જ રૂપિયામાં ભરપેટ જમાડતાં પરોપકારી જીવનું દુઃખદ નિધન

image source

‘દાદી કી રસોઈ’ના પરોપકારી જીવ 90 વર્ષના દાદીમાં સરોજની ખન્નાનું ગત રવિવારે દુઃખદ નિધન થયું છે.

આજે પૃથ્વી પર સારા માણસોની તાતી જરૂર છે તેવા જ સમયે તેમને ભગવાને પોતાની પાસે બોલાવી લીધા છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ રવિવારે જ સાંજે પૂર્ણ કરવામા આવી હતી.

image source

દાદીકી રસોઈના સંચાલક એવા સરોજની દાદીના દીકરા અનુપ ખન્નાએ જણાવ્યું હતું કે દાદીને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે પોતાના અંતિમ શ્વાલ લીધા હતા.

જો તમે ક્યારેક નોઇડા જાઓ તો જરા આસપાસ નજર નાખજો, એક અનોખુ રસોડું કદાચ તમને ક્યાંક જોવા મળી જાય. જેનું નામ છે “દાદી કી રસોઈ” એટલે કે દાદીનું રસોડું આ જગ્યા પર ફક્ત 5 રૂપિયામાં થાળી ભરીને રોજ નવા મેનૂ સાથે ખાવાનું મળે છે.

image source

મફત જમણવાર તો ઘણા જોવા મળશે પણ આ મોંઘવારીના જમાનામાં માત્ર 5 રૂપિયામાં ભોજન મળવું પણ કંઈ નાનીસૂની વાત નથી.

આ અનોખા રસોડાનું સંચાલન કરનાર સરોજની દાદીના દીકરા અનૂપ ખન્નાનું માનવું છે કે માણસની પાયાની જરૂર એટલે કે ખોરાકને જો રસ્તા પર આપવામાં આવે તો ભીખ અને ચોરી તેમજ લૂંટ ઘણા અંશે ઘટી જાય તેમ છે.

આ જ ઉદ્દેશથી તેમણે માત્ર 10 રૂપિયામાં કપડાં આપવાના શરૂ કર્યા છે. નોઇડાના સેક્ટર 17 તેમજ 29માં દાદીની રસોઈના કાઉન્ટર છે જે રોજ 10 થી 11.30 અને 12થી 2 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.

image source

જ્યારે અનુપે આ અલાયદી સમાજ સેવા શરૂ કરી તે વખતે 15-16 લોકો તેમની સાથે જોડાયા હતા. પણ સાચી સમાજ સેવા તે કંઈ ખાવાના ખેલ નથી હોતા. ધીમે-ધીમે તેમની સાથેના લોકો છૂટતા ગયા. માત્ર ચાર-પાંચ સાથીઓ જ તેમની સાથે રહ્યા.

તે વાતથી સીખ મેળવી હવે અનૂપ તે લોકોને કે જે તેમની સાથે તે કામમાં જોડાઈ પોતાના વિસ્તારોમાં તે પ્રકારનું કામ શરૂ કરવા માગે છે તેમને કહે છે કે પહેલાં તમે એક અઠવાડિયું અમારી સાથે રહીને જુઓ. પણ પરિણામ એ આવે છે કે અરધા કરતાં પણ વધારે લોકો તો પાછુ વળીને જોતા પણ નથી.

image source

આજે 70-80 લોકો અનૂપની આ ટીમ સાથે જોડાયેલા છે જે અહીં આવીને વિવિધ રીતે પોતાની સેવાઓ આપે છે અથવા પોતાનો જન્મ દિવસ મનાવે છે અને તે દિવસે 5 રૂપિયાની થાળીમાં સ્વીટ ડિશ જેમ કે રસગુલ્લા, આઇસક્રીમ, સોનપાપડી વિગેરે પણ પીરસે છે.

અનૂપ માટે તે ગર્વની વાત છે કે 5 રૂપિયાની થાળી આપનારા લોકોની લાઈન આજે લેનારા કરતાં પણ વધારે લાંબી છે. શુભ ભાવનાથી શરૂ કરેલા કામને આજે કેટલાએ સહયોગી મળી ગયા છે.

image source

માત્ર 5 રૂપિયા પાછળ અનૂપનો એવો ખ્યાલ છે કે જે વસ્તુ કોઈ પૈસા આપીને લે છે તે તેના સ્વાભિમાનને પોષે છે જ્યારે ગરીબ વ્યક્તિ 5 રૂપિયા આપીને હક્કથી અનૂપ પાસે થાળી માગે છે ત્યારે તેમને આત્મ સંતોષનો અનુભવ થાય છે.

અનૂપ આ ઉપરાંત એક બીજી પહેલ ચલાવી રહ્યા છે જે હેઠળ ગરીબ અને નિઃસહાય લોકોને કપડાં, જૂતા અને પુસ્તકો જેવી વસ્તુઓ દાન કરવામાં આવે છે. તેમણે નોઇડામાં પ્રથમ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ સ્થાપ્યું છે.

image source

આ યોજના હેઠળ વ્યાજબી ભાવ પર ગરીબોને દવા આપવામાં આવે છે. અનૂપ પોતાના વિસ્તારમાં તેવી બે દૂકાનો સંભાળે છે.

આસપાસ કોઈ અકસ્માત થવા પર લોકો સૌ પ્રથમ અનૂપને જ બોલાવે છે અને તેમને માત્ર એક ફોન કરવાથી તે તરત જ જગ્યા પર હાજર થઈ જાય છે.

અનૂપના પિતા સ્વતંત્ર્ય સંગ્રામના સેનાની રહી ચૂક્યા છે અને તેમના થકી જ અનૂપને સમાજ સેવાની પ્રેરણા મળી છે.

image source

સાચી સમાજ સેવાની ભાવના અને તેની પરાકાષ્ટાને કાયમ રાખવા માટે અનૂપે નથી તો દાદીની રસોઈને રજિસ્ટર્ડ કરાવીને તેનું વ્યવસાયિકરણ કર્યું કે નથી તો આજ સુધી થયેલા ખર્ચા કે આવનારા પૈસાનો હિસાબ રાખ્યો.

જે પૈસા ભેગા થાય છે તે તેને બેંકમાં જમા કરી ચેકથી ચૂકવણી કરે છે. જ્યારે ઓછા પડે છે ત્યારે પોતાના ખીસ્સામાંથી રૂપિયા કાઢે છે. અનૂપે આ કામ ખુબ જ નાના સ્તરે શરું કર્યું હતું, આજે 3 વર્ષથી સફળતાપૂર્વક તે આ રસોડું ચલાવી રહ્યા છે.

image source

તેમનું માનવું છે કે કોઈ વાર ભવ્યતા કે દેખાડો ટાઇટેનિકની જેમ સાદાઈને પણ લઈ ડૂબે છે, માટે તે ખુબ જ પ્લાનિંગ સાથે પોતાના આ સતકાર્યને આગળ પ્રસરાવવા માગે છે.

આવા કાઉન્ટર જો દરેક શહેરમાં ધીમે-ધીમે ખુલવા લાગે તો ગરીબોની રોટલો અને કપડાંની પાયાની જરરિયાત પૂરી થઈ જશે. બાળકો, મોટા અને ગરીબ બધાનું રસોડું છે દાદી કી રસોઈ કારણ કે અહીં ભોજન ખુબ જ પ્રેમથી પીરસવામાં આવે છે.

બાસમતી ચોખા, દેસી ઘીનો વઘાર, હાથથી બનેલા મસાલા અને તેમાં રસોઈ બનાવનારે પ્રેમથી બનાવેલી રસોઈ ફૂડ ઇન્સ્પેક્શનમાં પણ શુદ્ધ સાબિત થઈ છે અને ફૂડ ક્વાલિટીનું સર્ટિફિકેટ પણ મળ્યું છે.

image source

અનૂપ ખન્ના જેવા લોકો આજે સમાજમાં દીવો લઈને શોધવા જવા પડે તેમ છે. તેમની આ હૃદયથી થતી સેવાને અમારી હૃદયથી સલામ.

આવા પરોપકારી જીવ એવા દાદીમાંના આત્માને શાંતિ મળે અને ભગવાન આવા મૃદુ હૃદય ધરાવતા જીવનું હંમેશા પૃથ્વી પર અવતરણ કરાવતા રહે તેવી પ્રાર્થના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ