મિત્રો, ફિલ્મજગતની અભિનેત્રીઓના અંગત જીવનમા તેના ચાહકોને ખૂબ જ રસ હોય છે. ઘણીવાર તે પોતાના પ્રેમજીવનને લઈને હેડલાઇન્સમા રહેતી હોય છે. તેમા અમુક અભિનેત્રીઓ તો એવી પણ હોય છે કે, જે પહેલા લગ્ન તોડ્યા પછી પ્રેમમા પડે છે અને ફરી લગ્ન કરે છે. આજે અમે તમને આવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ.
દિયા મિર્ઝા :
આ અભિનેત્રી આ યાદીમા પહેલા નંબર પર આવે છે. વર્ષ ૨૦૧૯મા સાહિલથી છૂટાછેડા થયા પછી દીયા ફરી એકવાર મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ વૈભવ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેના બીજા લગ્નના સમાચાર આપીને દીયાએ તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
કિરણ ખેર :
આ અભિનેત્રીએ પણ અનુપમ ખેર સાથે બીજા લગ્ન કર્યા છે. અગાઉ તેમણે ગૌતમ બેદી નામના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા.
કામ્યા પંજાબી :
ગયા વર્ષે આ અભિનેત્રીએ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ શલાભ ડાંગ સાથે લગ્ન કર્યા. આ પહેલા વર્ષ ૨૦૦૩મા તેમના લગ્ન બંટી નેગી સાથે થયા હતા. જોકે, વર્ષ ૨૦૧૩મા બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા.
નીલમ કોઠારી :
આ અભિનેત્રીના પહેલા લગ્ન યુ.કે.ના ઉદ્યોગપતિ ઋષિ સેઠિયા સાથે થયા હતા પરંતુ, આ બનેના સંબંધ લાંબો સમય તાકી શક્ય નહિ અને બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેણીએ અભિનેતા સમીર સોની સાથે લગ્ન કર્યા.
નીલિમા આઝમી :
આ અભિનેત્રીએ એકવાર નહી પરંતુ, ત્રણવાર લગ્ન કર્યા છે. તેણીએ પહેલા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા. આ લગ્ન દ્વારા તેમને એક પુત્ર છે શાહિદ. પંકજ સાથેના સંબંધો સમાપ્ત થયા પછી નીલિમાએ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા અને પુત્ર ઇશાન ખટ્ટરને જન્મ આપ્યો પરંતુ, આ લગ્ન પણ ટૂંક સમયમા જ સમાપ્ત થઈ ગયા. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૦૪મા ઉસ્તાદ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા.
યોગિતા બાલી :
આ અભિનેત્રીએ પણ તેના બીજા લગ્ન મિથુન ચક્રવર્તી સાથે કર્યા છે. અગાઉ યોગીતા કિશોર કુમારની ત્રીજી પત્ની હતી.
શ્વેતા તિવારી :
ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રીએ પણ આ બંને લગ્નો કર્યા છે. આ અભિનેત્રીના પહેલા લગ્ન રાજા સાથે થયા હતા, જેની સાથે તેમની પુત્રી પલક છે. ત્યારબાદ તમામ લડત બાદ શ્વેતા અને રાજાના છૂટાછેડા થઈ ગયા. આ પછી શ્વેતાએ વર્ષ ૨૦૧૩મા અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા, જેમનાથી તેમને એક પુત્ર પણ છે.
દીપિકા કક્કર :
અભિનેત્રી દીપિકાએ શોએબ ઇબ્રાહિમ સાથે બીજા લગ્ન કર્યા છે. આ અભિનેત્રીના પહેલા લગ્ન વર્ષ ૨૦૧૩મા રૌનક સેમસન સાથે થયા હતા પરંતુ, બે વર્ષ બાદ જાન્યુઆરી ૨૦૧૫મા બંનેના છૂટાછેડા થઈ ગયા.
રેણુકા શહાણે :
આ પ્રખ્યાત અભિનેત્રી એ ફિલ્મ અભિનેતા આશુતોષ રાણાની પત્ની છે. આશુતોષ પહેલા તેણીએ વિજય કનાકરે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. રેણુકા અને વિજયનો સંબંધ ખુબ જ લાંબો ચાલ્યો નહીં અને લગ્ન સમાપ્ત થઈ ગયા. ત્યારબાદ રેણુકાએ વર્ષ ૨૦૦૧મા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,