કેન્દ્ર સરકારે આ કર્મચારીઓ માટે ફાળવ્યા 44 હજાર કરોડ, આ મહિનાથી નોકરી ગુમાવનારને ઘરે બેઠા મળશે પગાર
કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવલા લોકડાઉનથી ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા છે તો ઘણા લોકોની નોકરી જતી રહી છે. લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર રાહતની એક યોજના લઈને આવી રહી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (એબીવીકેવાય) હેઠળ ઈએસઆઈસીમાં રજિસ્ટર્ડ કામદારોને સરકાર તેમના પગારના 50 ટકા બેરોજગારી ભથ્થું આપશે. જોકે, કામદારો ત્રણ મહિના માટે જ આ ભથ્થું મેળવી શકશે. ઈએસઆઈસી આ યોજના માટે રૂ. 44,000 કરોડ ફાળવશે.
50 ટકા ભથ્થું આપશે
કોરોના મહામારીના કારણે 24મી માર્ચથી દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઊથલી પડતાં અનેક કામદારોએ નોકરી ગુમાવી હતી. કેન્દ્ર સરકાર હવે આવા કામદારોને તેમના પગારના 50 ટકા જેટલું ભથ્થું આપશે.
સરકાર આ અંગે એક જાહેરનામુ બહાર પાડશે
24મી માર્ચથી આ વર્ષના અંતમાં ડિસેમ્બર 31 સુધીમાં નોકરી ગુમાવનારા લોકોને આ યોજના હેઠળ ભથ્થું અપાશે. આ સમયમાં નોકરી ગુમાવ્યા પછી નોકરી ફરી મળી ગઈ હોય તેવા કામદારો પણ આ ભથૃથાં માટે હકદાર હશે. શ્રમ મંત્રાલયના એક અિધકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સરકાર આ અંગે એક જાહેરનામુ બહાર પાડશે. અત્યાર સુધી આ યોજના પર કોઈએ વિશેષ ધ્યાન આપ્યું નથી, પરંતુ આગામી દિવસોમાં તેનો પ્રચાર-પ્રસાર વધવાની સંભાવના છે.
ડિસેમ્બર સુધીમાં નોકરી ગુમાવી હોય તેવા કામદારોને મળશે
લોકડાઉનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તેવા લોકોને રાહત આપવા માટે સરકાર આ યોજના લાવી રહી છે. જોકે, આ યોજનાનો લાભ ઈએસઆઈસીમાં નોંધણી કરાવી હોય અને ડિસેમ્બર સુધીમાં નોકરી ગુમાવી હોય તેવા કામદારોને મળશે.
બેરોજગારી ભથ્થું 25 ટકાથી વધારીને 50 ટકા કરી દેવાયું
મંત્રાલયના સૂત્રો મુજબ આ યોજના હેઠળ દરરોજ અંદાજે 400 ક્લેમ મળી રહ્યા છે. ઈએસઆઈસી અને શ્રમ મંત્રાલયે ગયા મહિને આ યોજનાનો દાયરો વધારવાનો નિર્ણય કર્યો હતો, જેના હેઠળ કામદારોને અપાતું બેરોજગારી ભથ્થું 25 ટકાથી વધારીને 50 ટકા કરી દેવાયું હતું.
અગાઉ એમ્પ્લોયર મારફત આ સુવિધાનો લાભ મેળવી શકાતો હતો, પરંતુ હવે કામદારો પોતે જ ઈએસઆઈસીની ઓફિસ પરથી ક્લેમ કરી શકશે. ઈએસઆઈસી અંદાજે 3.4 કરોડ પરિવારોને મેડિકલ કવર આપે છે અને અંદાજે 13.5 કરોડ લાભાર્થી રોકડ લાભ મેળવે છે. કેન્દ્ર સરકારની આ પહેલથી જેમની નોકરી લોકડાઉનમાં જતી રહી છે તેમને ઘણો લાભ મળશે. કારણ કે ઘણા પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ