ઉનાળા માં મળતી કેરી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઇએ છે. જેમાં કાચી કેરી નો ઉપયોગ પણ બહોળા પ્રમાણ માં કરીએ છીએ.
કાચી કેરી માંથી વિવિધ પ્રકાર ના અથાણાં , ચટણી , શરબત વગેરે બનવવા માં આવે છે. ઉનાળામાં તાપ વધુ હોય એટલે સુકવણી પણ અત્યારે જ કરીએ છીએ.
આજે આપણે આખું વર્ષ ઉપયોગમાં લેતા હોઇએ એવા આમચૂર પાવડર ની રેસિપી લઇ ને આવી છું. કેરી ની સીઝન પૂરી થાય એ પહેલા બનાવી ને રાખી લો. હવે આમચૂર બહાર થી ખરીદવાની જરૂર નહીં પડે.’આમ’ એટલે કેરી અને ‘ચૂર’ એટલે ભુકો… આમચૂર એ કાચી કેરી ની સુકવણી કરીને બનાવેલો ભુકો… જેનું આયુર્વેદ માં પણ ઘણું મહત્વ જણાવ્યું છે.
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી કાચી કેરી નો ઉપયોગ આપણે બને એટલો આ સીઝન માં કરવો જોઈએ અને આખું વર્ષ આ આમચૂર પાવડર બનાવી ને ઉપયોગ કરી શકાય છે.
કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.
ખૂબ જ સરળ અને માત્ર 2 જ સામગ્રી થી બને છે આ આમચૂર પાવડર..
સામગ્રી:-
2-3 નંગ દેશી કાચી કેરી( ખટાશ હોય એવી)
1/8 ચમચી મીઠું
રીત:-
સૌ પ્રથમ કડક અને કાચી હોય એવી દેશી ખાટી કેરી પસંદ કરો. આ કેરી ને ધોઈ ને સાફ કરી લો.
નોંધ:-
કેરી જરા પણ પાકી ના હોવી જોઈએ.
આખો દિવસ તાપ માં રાખવાથી આમચૂર વધુ સારું અને જલ્દી બને છે.
કેરી ના કટકા તાપ માં મુકવા જાવ ત્યાં જ મીઠું એકવાર માં મિક્સ કરી ને રેહવા દેવું જેથી પાણી ના છૂટું પડે.
સમય જતા આમચૂર પાવડર જરા ડાર્ક કલર નું થાય છે જે સામાન્ય છે..
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)