આજકાલ દરેક લોકોના જીવન બદલાય ગયા છે. દરેક લોકો નોકરી કરતા થઇ ગયા છે, જેના કારણે થકાવટ પણ ખુબ જ લાગે છે અને માનસિક તનાવનો સામનો કરવો પડે છે. કામ કરવા છતાં પણ હકારાત્મક ફળ નથી મળતું ત્યારે મન ઉદાસ થઈ જાય છે. નકારાત્મકતાથી બચવા માટે રોજ સવારે કેટલાક ખાસ કામ કરતાં રહેવાથી આ પરેશાનીઓ દૂર થઈ શકે છે. જાણો ઉદાસી દૂર કરવા માટે અને એકાગ્રતાને વધારવા માટે કયા-કયા કામ કરી શકાય છે.
રોજ સવારે વહેલાં ઉઠીને ધ્યાન કરવું
રોજ સવારે વહેલાં ઊઠવું અને ઊઠ્યા પછી થોડીવાર માટે મેડિટેશન કરવું જોઈએ. ધ્યાન કરતી વખતે ऊँ શબ્દનો વારંવાર જાપ કરવો. આ મંત્રનું ઉચ્ચારણ લાંબા સ્વરમાં કરવું જોઈએ. રોજ આ કામ કરશો તો થોડા દિવસે પછી જ હકારાત્મક ફળ મળી શકે છે. એકાગ્રતા વધી શકે છે.
દરરોજ સવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો
હાલ મહામારીના સમયગાળામા અનેક લોકો નેગેટિવ વિચારોનો સામનો કરી રહ્યા છે. માનસિક તણાવના કારણે અનેક લોકોની પરેશાનીઓ વધી રહી છે. આવી સ્થિતિમાં રોજ સવારે હનુમાનજી સામે ધ્યાન કરવાથી લાભ મળી શકે છે. ઉજ્જૈનના ભાગવત અને શ્રીરામ કથાકાર પં. મનીષ શર્મા પ્રમાણે હનુમાનજીની પૂજાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.
રોજ સવારે વહેલાં જાગવું અને ધ્યાન કરવું-
રોજ સવારે વહેલાં જાગવું અને થોડી વાર માટે મેડિટેશન કરવું જોઇએ. ધ્યાન કરતી સમયે ૐ શબ્દનો સતત જાપ કરવો. આ મંત્ર ઉચ્ચારણ લાંબા સ્વરમાં કરવું જોઇએ. રોજ આ કામ કરશો તો થોડાં દિવસો બાદ જ પોઝિટિવ ફળ મળી શકે છે. એકાગ્રતા વધી શકે છે.
ભગવાનની પ્રતિમા અથવા તસવીર સામે ધ્યાન કરોઃ-
ઘરમાં હનુમાનજી અથવા શિવજીની એવી તસવીર લગાવો, જેમાં તેઓ ધ્યાન કરતાં જોવા મળી રહ્યા હોય. આ તસવીરના દર્શન રોજ કરવા જોઇએ. જો તમે ઇચ્છો તો હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. એવું કરવાથી મનની એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે. નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.
સૂર્યને જળ ચઢાવોઃ-
રોજ સવારે સ્નાન બાદ સૂર્યને એક તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ મંત્રો જાપ પણ કરવો જોઇએ. મંત્ર જાપથી મન શાંત થાય છે. આ કામથી સ્વાસ્થ્ય લાભ સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. સૂર્યને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે, જેના કારણે સૂર્યપૂજા કરવાથી આ લાભ પણ મળે છે.
ઘરમાં વાદ-વિવાદ કરશો નહીં-
ઘરમાં વાદ-વિવાદ કરવાથી બચવું. મન શાંત રાખવું અને ગુસ્સો કરવો નહીં. તણાવમાં આપણે ગુસ્સો કરવા લાગીએ છીએ, જેના કારણે પરેશાનીઓ વધી જાય છે. તેનાથી બચવા માટે ગુસ્સા ઉપર કાબૂ કરવાની કોશિશ કરો. આ કામ મેડિટેશનની મદદથી સરળતાથી થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!