આ રહસ્યમય મંદિરમાં યુગોથી કારાગારમાં બંધ છે દેવતા, નથી આપતા ભક્તોને દર્શન

ભારત દેશમાં એ કથી વધીને એક મંદિર છે જે પોતાની અગલ જ વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે.દરેક મંદિરની પોતાની અનોખી માન્યતા છે.દેશમાં એવું પણ એ ક મંદિર છે,જ્યાં મહિલા અને પુરુષ કોઈપણ શ્રધ્ધાળુઓને અંદર જવાની અનુમતિ નથી.અહી ભક્તોને તો શું મંદિરનાં પુજારીને પણ ભગવાનનાં દર્શન નથી મળતા.પુજારી પોતાની આંખો પર પટ્ટી બાંધીને અહી પૂજા અર્ચના કરે છે. જી હા આપને જાણીને અચરજ થશે કે અહી પુજારી સિવાય કોઈ પ્રવેશ નથી કરી શકતું,મંદિરમાં બિરાજમાન નાગરાજ અને તેમની અદભૂત મણી.જેને લઈને ક્ષેત્રોમાં મંદિરની ચર્ચા દૂર-દૂર સુધી છે.

ઉત્તરાખંડમાં સ્થિત છે મંદિર


આ મંદિર ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લામાં દેવાલ નામનાં બ્લોકમાં વાંણ નામનાં સ્થાન પર સ્થાપિત છે.રાજ્યમાં આ દેવસ્થળ લાટૂ મંદિર નામથી વિખ્યાત છે,કારણ કે અહી લાટૂ દેવતાની પૂજા થાય છે.અહીનાં રહેવાસીઓને અનુસાર,લાટૂ દેવતા ઉત્તરાખંડની આરાધ્યા નંદા દેવીનાં ધર્મભાઈ છે.વાત કંઈક એ મ છે કે વાંણ ગામમાં પ્રત્યેક ૧૨ વર્ષે થવાવાળી ઉત્તરાખંડની સૌથી લાંબી પદયા શ્રીનંદા દેવીની રાજ જાતા યાત્રાનો બારમો પડાવ છે.અહી લાટૂ દેવતા વાંણથી લઈને હેમકુંડ સુધી પોતાની બહેન નંદાદેવીની અગવાની કરે છે.

વર્ષમાં ફક્ત એકવાર પૂર્ણિમાનાં દિવસે ખુલ્લે છે મંદિરનાં દ્વાર


દર ૧૨ વર્ષોમાં ઉત્તરાખંડની સૌથી લાંબી શ્રીનંદા દેવીની રાજ જાત યાત્રાનો બારમો પડાવ વાંણ ગામ છે.લાટૂ દેવતા વાંણ ગામથી હેમકુંડ સુધી નંદાદેવીનું અભિનંદન કરે છે.મંદિરનાં દ્વાર વર્ષમાં એક જ દિવસ વૈશાખ મહિનાની પૂર્ણિમાનાં દિવસે ખુલ્લે છે.આ દિવસે પુજારી આ મંદિરનાં કપાટ પોતાની આંખ-મુખ પર પટ્ટી બાંધીને ખોલે છે.દેવતાનાં દર્શન ભક્ત દૂર થી જ કરે છે.જ્યારે મંદિરનાં કપાટ ખૂલે છે ત્યારે વિષ્ણ સહસ્રનામ અને ભગવતી ચંડિકાપાઠનું આયોજન હોય છે.

મંદિરમાં નાગરાજ પોતાની અદભૂત મણી સાથે છે બિરાજમાન


સ્થાનિય લોકોનું માનવું છે કે આ મંદિરમાં નાગરાજ પોતાની અદભૂત મણી સાથે રહે છે.જેને જોઈ શકવું સામાન્યલોકોનાં વશની વાત નથી.પુજારી પણ નાગરાજનાં મહાન રૂપને જોઈને ડરી ન જાય એટલા માટે તે પોતાની આંખ પર પટ્ટી બાંધે છે.આ પણ માનવું છે કે મણીની તેજ રોશની માણસને આંધળા બનાવી દે છે.ના તો પુજારીનાં મોંની ગંધ સુધી દેવતા સુધી કે ન તો નાગરાજની વિષેલી ગંધ પુજારીનાં નાક સુધી પહોંચવી જોઈએ .એ ટલા માટે તે નાક-મોં પર પટ્ટી લગાવે છે.