વૈજ્ઞાનિકોને અનુસાર આ કારણે જ ગંગા નદીનું પાણી આજ પણ આટલું પવિત્ર
ગંગા નદીને આપણા ગ્રંથોમાં પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ગ્રંથો મુજબ આ નદીનાં પાણીને કોઈપણ અશુદ્ધ ચીજ પર છાંટવાથી તે ચીજ શુધ્ધ થઈ જાય છે અને આ જ કારણ છે કે જ્યારે પણ આપણે પૂજા કરીએ છીએ, તો પોતાની આસપાસ ગંગાજળનો છંટકાવ જરૂર કરીએ છીએ. જેથી પૂજા દરમિયાન એક શુધ્ધ વાતાવરણ રહે.
આખરે શામાટે છે ગંગાનું પાણી પવિત્ર
ગંગા નદીનાં પાણી પર લગભગ સવાસો વર્ષ પહેલા બ્રિટિશ ડોક્ટર એમઈ હોકિને પણ એક શોધ કરી હતી. એમઈ હોકિને આ નદીનાં પાણી પર શોધ કરીને મેળવ્યું કે જો ગંગા નદીનાં પાણીમાં હેઝૈનાં બેક્ટેરિયા નાખવામાં આવે તો થોડા સમય બાદ જ આ બેક્ટેરિયા મરી જાય છે.
હાલમાં પણ ગંગાનું પાણી છે પવિત્ર
પરંતુ હાલમાં જ લખનઉનાં નેશનલ બોટેનિકલ રિસર્ચ ઈન્સટિટ્યૂટ (એનબીઆરઆઈ) એ ગંગાનાં પાણી પર એક શોધ કરી હતી અને શોધમાં સામે આવ્યું હતું કે હજુ પણ ગંગાનું પાણી એકદમ સાફ છે અને ગંગાનાં પાણીમાં બિમારી પેદા કરનાર બેક્ટેરિયાને મારવાની ક્ષમતા જળવાયેલી છે. એટલે કે ગંગા નદી હજુ પણ એટલી જ પવિત્ર છે જેટલી આ પહેલા હતી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ